SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાયન સૂત્ર ૨ લોકના અગ્રભાગમાં પડ્ડિયા = પ્રતિષ્ઠિત થાય છે, સ્થિત થાય છે હૈં = આ તિરછાલોકમાં, તિર્યશ્લોકમાં બોધિ – શરીરને પત્તાપ્યું - છોડીને તત્ત્વ – લોકના અગ્રભાગમાં હંશૂળ – જઈને ભિન્નદ્ – સિદ્ધ થાય છે. ભાવાર્થ :- સિદ્ધ જીવો લોકના અંત ભાગે પહોંચીને રોકાઇ જાય છે. લોકના અગ્રભાગમાં(લોકાર્ચે) સ્થિર થાય છે અને આ મનુષ્યલોકમાં શરીર છોડીને લોકના અગ્રભાગમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં સિદ્ધ થયેલા જીવોની ગતિ આદિ સંબંધિત ચાર પ્રશ્નોત્તર છે–(૧) સિદ્ધના જીવોની ગતિ ક્યાં સુધી થાય છે ? તેમની ગતિ ક્યાં અટકે છે ? (૨) સિદ્ધના જીવો ક્યાં સ્થિર થાય છે ? (૩) ક્યાં શરીરને છોડે છે ? (૪) ક્યાં જઈને સિદ્ધ થાય છે ? ge: અલોપ્ ડિયા સિદ્ધા :– જીવની ગતિ ધર્માસ્તિકાય દ્રવ્યની સહાયતાથી જ થાય છે. સિદ્ધ થયેલા જીવ સ્વાભાવિક રીતે ઊર્ધ્વગમન કરીને લોકાંત સુધી પહોંચી જાય છે. ત્યાર પછી અલોકમાં ધર્માસ્તિકાય દ્રવ્યનો અભાવ હોવાથી ત્યાં જીવની ગતિ થતી નથી. તેથી અલોકથી સિદ્ધની ગતિ પ્રતિહત થાય છે. તે જીવ લોકાંતે જ અટકી જાય છે. તોયì ય પક્રિયા- લોકના અગ્રભાગ પર સિદ્ધક્ષેત્રમાં જ તે સિદ્ધજીવ શાશ્વતકાલ પર્યંત સ્થિત થઈ જાય છે. તે સ્થાન પરથી જીવની અધોગતિ કે નિર્યગતિ કદાપિ થતી નથી. કારણ કે અધોગમન કે નિયંગમન કર્મજન્ય છે. સર્વ કર્મોનો આત્યંતિક નાશ થયા પછી જ જીવ સિદ્ધ થાય છે. ત્યાર પછી કર્મજન્ય કોઈ પણ સ્થિતિની સંભાવના નથી. હૈં નવિ ચત્તા”- જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે સર્વ કર્મો અને કર્મજન્ય સર્વ ભાવોને અહીં જ છોડી દે છે. તેથી આ મનુષ્યલોકમાં જ સ્થુલ ઔદારિક શરીર અને સૂક્ષ્મ તૈજસ-કાર્યણ શરીરનો ત્યાગ આ જ કરીને અશરીરી બનીને સિદ્ધ જીવની ગતિ થાય છે. તત્ત્વ ાંતૂળ સિન્ન- જે સમયે કર્મ અને કર્મજન્ય ભાવો છૂટે છે તે જ સમયે તે જીવ સિદ્ધક્ષેત્રમાં જાય છે ત્યાં જ તે સિદ્ધ થાય છે. તે જ અશરીરી કે કર્મ રહિત અવસ્થાનો પ્રથમ સમય છે. આ રીતે ચારે પ્રશ્નોના ઉત્તરો પરસ્પર સાપેક્ષ છે. સર્વ કર્મોનો ક્ષય થવો, શરીરનું છૂટવું, લોકાગ્રે પહોંચવું અને ત્યાં સ્થિત થવું તે ચારે ક્રિયા સમસમયવર્તી જ છે. સિદ્ધક્ષેત્ર: ५८ શબ્દાર્થ:- સવ્વદK = સર્વાર્થ સિદ્ધ વિમાનથી વારસદં = બાર બોયનેહિં = યોજન ર્િં ઉપર છેત્તમંદિયા – ઉત્તાન ત્રના આકારની, છત્રીના આકારની સિપ બા-બામા - ઈષપ્રાગ્મારા નામની પુજવી = પૃથ્વી મને = છે. बारसहिं जोयणेहिं सव्वट्ठस्सुवरिं भवे । ईसिप भारणामा उ पुढवी छत्तसंठिया ॥ = ભાવાર્થ :- સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર જોજન ઉપર ઈષપ્રાગમારા નામની પૃથ્વી છત્રના આકારમાં અવસ્થિત છે.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy