SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ અણગાર માર્ગ ગતિ [ ૩૬૧ ] ન પણ પથાવણ:- રાંધવાની ક્રિયામાં અગ્નિકાયના જીવો તથા જળ, અનાજ(વનસ્પતિ), લાકડા અને પૃથ્વીને આશ્રિત રહેલા અનેક જીવોની હિંસા થાય છે. અગ્નિ પણ સજીવ છે. તેના દૂર-દૂર સુધી ફેલાઈ જવાથી અગ્નિકાયની તથા તેની છએ દિશાવર્તી અનેક ત્રસ સ્થાવર જીવોની હિંસા થાય છે. તેથી મુનિ ત્રણ કરણ, ત્રણ યોગથી રાંધવાની ક્રિયાનું વર્જન કરે. કય-વિજયનો નિષેધ– ખરીદ-વેચાણમાં પ્રવૃત્ત થતો સાધુ, અણગાર ધર્મથી શ્રુત થઈ જાય છે અને સદા ખરીદ વેચાણ કરવાથી તે સાધુ સમાચારીનું યથાર્થ રીતે પાલન કરી શકતો નથી તેમજ તેની ચિત્તવૃત્તિ પણ ખરીદ-વેચાણમાં હોય છે. તેથી તેનો સાધુધર્મ નાશ પામે છે તેમજ તે આગમોક્ત શ્રમણ રહેતો નથી, વેશમાત્રથી જ સાધુ રહી જાય છે. નદત્ત.. - શાસ્ત્રોક્ત આજ્ઞા અનુસાર ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરે. શાસ્ત્રમાં ગોચરી સંબંધી અનેક નિયમોનું કથન છે. મુનિ માંસાહારી, અનાર્ય તથા વેશ્યા આદિ નિંદિત કુલોને વર્જિને અનિંદિત કુળ ના અનેક ઘરોમાં, ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલા આહારમાંથી, ભ્રમરની જેમ થોડો-થોડો આહાર ગ્રહણ કરે. આહારના લાભ કે અલાભમાં સમભાવ રાખે; પ્રાપ્ત થયેલા આહારમાં મૂર્છાભાવ રાખ્યા વિના અને આહારમાં લોલુપી બન્યા વિના વિરક્તભાવે અનાહારકદશાની પ્રાપ્તિના પુરુષાર્થ માટે આહાર કરે. પળમૂય:- ગાથામાં પ્રાણ અને ભૂત બે શબ્દ છે. તેનાથી પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ એ ચારનું ગ્રહણ થઈ જાય છે અર્થાત્ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોનું ગ્રહણ થઈ જાય છે. જ રસકા મુનિના :- મુનિ સ્વાદ માટે આહાર કરે નહીં, શરીર અને સંયમ નિર્વાહના લક્ષ્યને જ સદા સ્મૃતિમાં રાખે; સ્વાદની ભાવનાથી કોઈ પણ પદાર્થ માટે ગોચરીમાં ભ્રમણ કરે નહીં અને સહજ પ્રાપ્ત આહારના સ્વાદમાં પણ આનંદ ન માનતા માત્ર ઉદરપૂર્તિના લક્ષ્ય જ આહાર કરે. આ રીતે પોતાના સ્વાથ્ય અને સંયમના લક્ષ્યમાં સતત સાવધાન રહીને, આગમ આદેશોના ચિંતનપૂર્વક આહારનું સેવન કરે. આણગારની આરાધના : । अच्चणं रयणं चेव, वंदणं पूयणं तहा । १८ इड्डीसक्कारसम्माण, मणसा वि ण पत्थए । શબ્દાર્થ - અશ્વM = અર્ચના, ચંદનાદિ તિલકથી સ્વાગત થi = રચના, સ્વસ્તિકાદિની રચનાથી સન્માન વર્ગ = વંદના દ્વારા આદર તe= તથા પૂવળ = વિશિષ્ટ વસ્ત્રાદિની ભેટરૂપ પૂજા-સવાર ન = આ રીતે ઋદ્ધિ, સત્કાર અને સન્માનની સાધુ મUGHT = મનથી પણ માં પત્ય =ઈચ્છા ન કરે. ભાવાર્થ - મુનિ ચંદનાદિના તિલકથી સ્વાગત, પોતાની સન્મુખ મોતીના સ્વસ્તિકાદિની રચના, વંદના, વિશિષ્ટ સામગ્રીથી પુજા, આ રીતે ઋદ્ધિ સત્કાર અને સન્માનની મનથી પણ ઈચ્છા ન કરે. सुक्कज्झाणं झियाएज्जा, अणियाणे अकिंचणे । वोसट्टकाए विहरेज्जा, जाव कालस्स पज्जओ ॥ શબ્દાર્થ – નવ= જ્યાં સુધી શાસ્ત્ર = કાલની, મૃત્યુની પન્નઓ= પર્યાય-સમય પ્રાપ્ત થાય ત્યાં સુધી પિયા = નિયાણા રહિત વિ = પરિગ્રહ રહિત વોકૂવાણ = વ્યસૃષ્ટકાય અર્થાત્ શરીરના મમત્વ- ભાવથી રહિત થઈને સુફા = શુક્લધ્યાન ફિયાન્ના = ધ્યાવે, ધ્યાન કરે વિદા ૨૬
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy