________________
સમ્યક્ પરાક્રમ
पच्छा अणुत्तरं अणंतं कसिणं पडिपुण्णं णिरावरणं वितिमिरं विसुद्धं, लोगालोगप्पभावं केवलवरणाणदंसणं समुप्पाडेइ, जाव सजोगी भवइ ताव ईरियावहियं कम्मं णिबंधइ सुहफरिसं दुसमयद्विइयं; तं पढमसमए बद्धं, बिइयसमए वेइयं, तइयसमये णिज्जिण्णं, तं बद्धं पुट्ठे उदीरियं वेइयं णिज्जिण्णं, सेयाले य अकम्मं यावि भवइ ।
૨૧૭
શબ્દાર્થ:- વિન્ગ-વોલમિ∞ાવંશ – પ્રેમરાગ, દ્વેષ, મિથ્યાદર્શન બળવંતળ- ચરિત્તારાહળયાર્ = જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે અમુદ્દેફ = ઉધમવંત થાય છે અદૃવિહલ્સ = આઠ પ્રકારના જમ્મલ = કર્મોની મષ્ટિ વિમોયળવાર્ = કર્મગ્રંથિથી મુક્ત થવા માટે તબમયાહ્ = સૌથી પહેલાં અઠ્ઠાવીસદ્વિદું = અઠયાવીસ પ્રકારની મોહખિન્ન = મોહનીય માંં = કર્મની પ્રકૃત્તિને નહાળુપુષ્વિ = યથાક્રમથી પાણ્ડ્ = ક્ષય કરે છે પંષવિઠું = પાંચ પ્રકારની બાળાવન્નિ જ્ઞાનાવરણીય વવિદ્ = નવ પ્રકારની વંસળાવભિન્ન = દર્શનાવરણીય અંતરાયું = અંતરાય C = એ તિષ્નિ વિ = ત્રણે ય વમ્ભલે = કર્મના અંશોને ગુવં = એક સાથે હવે = ક્ષય કરે છે તો- ત્યાર પચ્છા = પછી મળ્યુત્તર = અનુત્તર મળતા = અનંત સિગ = કૃત્સ્ન-સંપૂર્ણ પહિપુળ = પ્રતિપૂર્ણ જિરાવળ = નિરાવરણ વિતિમિર- અંધકાર રહિત વિયુદ્ધ-વિશુદ્ધતો જોખમાવ = લોકાલોકને પ્રકાશનારું વ્હેવલવ-બળવંસળ = કેવળજ્ઞાન અને કેવળ દર્શન સમુપ્પા ડેફ = પ્રાપ્ત કરે છે નાવ = જ્યાં સુધી સગોળી = સયોગી મવદ્ = રહે છે તાવ = ત્યાં સુધી ફરિયાવહિય = ઈર્યાપથિક માંં = કર્મનો વિધરૂ = બંધ થાય છે સુહરિસં= તેનો સ્પર્શ સુખદ હોય છે વુસમયદ્ગિશ્ય = બે સમયની સ્થિતિવાળું તે - તેનો પહમક્ષમણ્ = પ્રથમ સમયે વસ્તું = બંધ થાય છે વિદ્યસમયે – બીજા સમયમાં વેડ્યું – ઉદય થઈને વેદાય છે તડ્વસમયે = ત્રીજા સમયે બિગિળ = નિર્જરાથાય, ક્ષય થાય છે તેં – આ પ્રકારે વાં
=
=
=
=
- બંધ પુ= = સ્પર્શ છીયેં = ઉદીરિત થાય વેઠ્યું = વેદિત થાય, વેદન થાય યાવિ - અને ખિજ્જિ
= નિર્જરા થઈને લેયાત્તે = આગામીકાળે, જીવ અમ્બં = સર્વથા કર્મરહિત મવદ્ = થઈ જાય છે.
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! રાગ, દ્વેષ અને મિથ્યાદર્શન પર વિજય મેળવવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– રાગ, દ્વેષ અને મિથ્યાદર્શન પર વિજય મેળવવાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે ઉધમવંત થાય છે. આઠ પ્રકારની કર્મગ્રંથિને તોડવાને માટે સર્વપ્રથમ યથાક્રમથી મોહનીય કર્મની અઠયાવીસ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ, અંતરાય કર્મની પાંચ, એ ત્રણે ય કર્મોની પ્રકૃતિઓનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે અનુત્તર, અનંત, સંપૂર્ણ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ, અજ્ઞાનતિમિરથી રહિત, વિશુદ્ધ અને લોકાલોક પ્રકાશક, શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરે છે.
જ્યાં સુધી તે સયોગી રહે છે, ત્યાં સુધી ઈર્યાપથિક કર્મ બંધાય છે. તે બંધ પણ સુખદ, શાતાવેદનીય પુણ્યકર્મ રૂપ હોય છે. તેની સ્થિતિ બે સમયની છે. પ્રથમ સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં વેદન થાય છે અને ત્રીજા સમયમાં નિર્જરા થાય છે.
તે ક્રમશઃ બંધાય છે, સ્પર્શ થાય છે, ઉદયમાં આવે છે, પછી વેદન થાય છે (ભોગવાય છે) અને નિર્જરાને પ્રાપ્ત થાય છે. પરિણામે આગામી કાળમાં અર્થાત્ અંતમાં તે કર્મ, અકર્મ થઈ જાય છે.