SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૦ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ વિવેચન : પ્રસંગવશ અહીંયા જ્ઞાનનો અર્થ શ્રુતજ્ઞાન છે. સમ્યક પ્રકારે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થવી, તેને જ્ઞાન સંપન્નતા કહે છે. તેનાથી ચાર પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે– (૧) સર્વ પદાર્થોનું જ્ઞાન (૨) ભવભ્રમણનો અંત (૩) જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોની સંપ્રાપ્તિ (૪) અનેક લોકો માટે માનનીય થવું. સબૂમવાદિનામું :- નંદી સૂત્ર અનુસાર શ્રુતજ્ઞાનસંપન્ન સાધક ઉપયોગ યુક્ત હોય, ત્યારે અપેક્ષાથી સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણી દેખી શકે છે. સંસારે જ વિખર્સ :- જ્ઞાન સંપન્ન આત્મા સંસારમાં રખડતો નથી. જ્ઞાન પ્રકાશરૂપ છે. સાધક ગમે ત્યાં હોય પરંતુ જ્ઞાનરૂપ પ્રકાશમાં પોતાનો માર્ગ શોધી લે છે, તે મોક્ષમાર્ગથી દૂર થતો નથી. અહીં જ્ઞાનસંપન્ન વ્યક્તિ માટે દોરાથી યુક્ત સોયની ઉપમા આપવામાં આવી છે. દોરો પરોવેલી સોય પડી જવા છતાં ખોવાઈ જતી નથી. તેવી જ રીતે જ્ઞાનસંપન્ન સાધક, કોઈ પણ સંયોગ, સંગતિ, વિચારણા કે ચર્ચામાં અન્ય દાર્શનિકોના પ્રભાવમાં આવી જતો નથી. તે જ્ઞાન સંપન્ન સાધક પોતાને જિનાજ્ઞામાં સુશિક્ષિત, સુરક્ષિત અને સ્થિર રાખી શકે છે અને કયારે ય મિથ્યાત્વમાં ફસાતો નથી. પણ પિય...તપાસ :- શ્રતજ્ઞાની અભ્યાસ કરતાં કરતાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને તથા વિનય, તપ તેમજ સર્વોત્કૃષ્ટ ચારિત્રને પ્રાપ્ત કરી લે છે. સમય-પરસમજ વિસારે ય સંપાયને - તે જીવ સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતમાં વિશારદ હોવાથી અનેક વ્યક્તિઓના સંશય દૂર કરવા માટે સંઘાતનીય અર્થાત્ પ્રમાણભૂત, કેન્દ્રીભૂત બની જાય છેઃ અનેક લોકો માટે ઇચ્છનીય થઈ જાય છે. ટીકા-સ્વમત પરમતબિજ્ઞલેન પાન પુરુષત્વત પંક્તિ નાનીયો ભવતિ ભાવઃ | સંક્ષેપમાં જ્ઞાન સંપન્ન આત્મા પોતાની સાધનામાં દઢ બની જાય છે અને અન્ય જીવો માટે પણ કેન્દ્રભૂત બની જાય છે. દર્શન સંપન્નતા - ६२ सणसंपण्णयाए णं भंते ! जीवे किं जणयइ ? दसणसंपण्णयाए णं भवमिच्छत्तछेयणं करेइ, परंण विज्झायइ, परं अविज्झाए माणे अणुत्तरेणं णाणदंसणेणं अप्पाणं संजोएमाणे सम्म भावेमाणे विहरइ । શબ્દાર્થ –વંસળસંપUUU = દર્શન સંપન્નતાથી, લાયોપથમિક સમ્યકત્વથી ભવનિઝર-છેવળ = ભવ ભ્રમણના કારણ રૂપ મિથ્યાત્વનું છેદન રેડ્ડ = કરે પરં= તેનો સમ્યકત્વરૂપ દીપક વિજ્ઞાચક્ = બુઝાતો નથી પરં વિજ્ઞાણમા = તે સમ્યકત્વના પ્રકાશથી યુક્ત રહેતો જીવ અપુર = અનુત્તર, પ્રધાન, શ્રેષ્ઠ વિસfખ = જ્ઞાન દર્શન, કેવળ જ્ઞાન, કેવળ દર્શનથી અખાણ = પોતાના આત્માને સંગોપમ = સંયુક્ત કરતો = સમ્યક પ્રકારથી મામા = ભાવિત કરતો વિદરડુ = વિચરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દર્શન સંપન્નતાથી જીવને શું લાભ થાય છે? ઉત્તર– દર્શન સંપન્નતાથી જીવ ભવભ્રમણના કારણરૂપ મિથ્યાત્વનું છેદન કરે છે, ત્યાર પછી તેનો પરમ તત્ત્વરૂપ સમ્યકત્વનો પ્રકાશ બુઝાતો નથી. ત્યાર પછી તે અનુત્તર જ્ઞાન-દર્શન(કેવળજ્ઞાન, કેવળદર્શન)થી આત્માને સંયોજિત કરતો તથા આત્માને તપ-સંયમમાં ભાવિત કરતો વિચરણ કરે છે.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy