________________
૧૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
શબ્દાર્થ:- સંનમેળ = સંયમથી અળયાં = આશ્રવોનો નિરોધ.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સંયમથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર– સંયમથી જીવ આશ્રવોનો નિરોધ કરે છે.
વિવેચનઃ
સાવધ યોગના પૂર્ણપણે પ્રત્યાખ્યાન કરવા તે સંયમ છે. સંયમના સત્તર પ્રકાર છે– હિંસા, અસત્ય, અદત્તગ્રહણ, મૈથુન, પરિગ્રહ આદિ પાંચ આશ્રવથી વિરકત થવું; પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો; ચાર કષાયોને જીતવા; મન, વચન અને કાયાના અશુભ વ્યાપાર રોકવા, તેના સત્તર પ્રકાર છે. આ સત્તર પ્રકારના સંયમથી આશ્રવના દ્વાર બંધ થાય અને સંવર ધર્મની આરાધના થાય છે. અળબ્જયાં = તેનું સંસ્કૃત રૂપ અનહત્વમ્ । થાય છે. અન્ રહિત અહમ્-અંહ = પાપ, અનંહસ્કત્વમ ્ = પાપ રહિતપણું. સંયમી જીવન સંપૂર્ણપણે પાપરહિત હોય છે. તેથી જ કર્મોનો આશ્રવ અટકી જાય છે.
તપ:
२९ तवेणं भंते ! जीवे किं जणयइ ? तवेणं वोदाणं जणयइ ॥ શબ્દાર્થ:તવે” = તપથી, બાહ્ય અને આત્યંતર, એમ ૧૨ પ્રકારના તપથી, વોવાળ વ્યવદાન(પૂર્વકૃત કર્મોનો ક્ષય).
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તપથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર- તપથી જીવ પૂર્વકૃત કર્મોનો ક્ષય કરે છે. તપથી આત્મા કર્મમુક્ત બની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે.
વિવેચન :
તપ ઃ– બાહ્ય અને આત્યંતર તપ એક પ્રકારની વિશિષ્ટ અગ્નિ છે, જેમાં જીવના પૂર્વબદ્ધ કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને આત્મા નિર્મળ બને છે.
=
વોવાળ :- વ્યવવાનું - શુદ્ધિ પૂર્વબદ્ધર્મમતક્ષયાવાત્મનો નૈર્મત્યું નનયતિ । પૂર્વબદ્ધ કર્મરૂપ મલનો નાશ થવાથી આત્મા નિર્મળ અને શુદ્ધ થાય છે.
વ્યવદાન
३० वोदाणेणं भंते ! जीवे किं जणयइ ?
वोदाणेणं अकिरियं जणयइ । अकिरियाए भवित्ता तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वायइ सव्वदुक्खाणमंतं करेइ ।
શબ્દાર્થ:- વોવાળેĪ = નિર્મળ થવાથી, સંપૂર્ણ આશ્રવ નિરોધથી અિિરયનળયક્ = અક્રિય અવસ્થા પ્રાપ્ત કરે છે અિિરયાત્ મવિત્તા = અક્રિય થવાથી તેઓ પછા = ત્યાર પછી સિાફ = સિદ્ધ
થઈ જાય છે, કૃતકૃત્ય થઈ જાય છે વારૂ = બુદ્ધ થઈ જાય છે, કેવળજ્ઞાન કેવળદર્શનથી સંપૂર્ણ લોકાલોકને જાણે અને દેખે છે મુખ્યજ્ઞ = સર્વ કર્મોથી મુક્ત થાય છે પરિબિલ્વાયજ્ઞ = કર્મરૂપ અગ્નિને બુઝાવીને શીતલ થઈ જાય છે સવ્વનુંવવાળું = શારીરિક અને માનસિક સર્વ દુઃખોનો અંત = અંત રેફ્ = કરે છે.