SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ પરાક્રમ [ ૧૮૧] આશાતના રહિત અવસ્થાને પામે છે. શ્રુતજ્ઞાનની શુદ્ધ સ્મૃતિ અને આશાતના રહિત સાધક તીર્થધર્મનું અવલંબન પ્રાપ્ત કરે છે અથવા શાસન માટે તે અવલંબનભૂત બને છે. તીર્થધર્મનું અવલંબન લેનાર અથવા અવલંબનભૂત થનાર જીવ કર્મોની મહાનિર્જરા કરીને અને કર્મોનો અંત કરીને મોક્ષસુખ પ્રાપ્ત કરે છે. વિવેચનઃ(૧) વાચના - વાચના એટલે– (૧) શાસ્ત્રની વાચના લેવી અને દેવી, અધ્યયન અને અધ્યાપન કરવું. (૨) સ્વયં શાસ્ત્ર વાંચવા, અભ્યાસ કરવો. (૩) ગુરુ અથવા મૃતધર પાસેથી શાસ્ત્રનું અધ્યયન કરવું. વાચનાનું ફળ :- વાચના કરનાર અને કરાવનાર શ્રુતપરંપરાને અખંડ રાખવાનો મહાન લાભ મેળવે છે. વાચનાથી તે મોક્ષમાર્ગનું આલંબન લઈ, સાધના દ્વારા અનંતકર્મોની નિર્જરા કરે છે. અપુલના :- અવ્યવચ્છેદપણાથી(વારંવાર) શ્રુતજ્ઞાનનું પઠન-પાઠન કરવાથી, શ્રતનું નિરંતર સ્મરણ કરવાથી કે શ્રતની વાચના કરવાથી શ્રતની ઉપસ્થિતિ, સ્થિરીકરણ, સ્મૃતિમાં રહેવું આદિ ગુણોની નિષ્પત્તિ થાય છે. અણસાયણTE :- શ્રુતની અનાશાતના. ગ્રંથ, સિદ્ધાંત, આખોપદેશ અને આગમ, આ શ્રુતના પર્યાયવાચી શબ્દો છે. તેની અવજ્ઞા ન કરવી અને શ્રુતથી વિપરીત પ્રરૂપણા ન કરવી, તે અનાશાતના છે. વાચનાથી શ્રુતની ઉપસ્થિતિ અને શ્રુતની સ્મૃતિ રહે છે, તેથી જ્ઞાની સાધક શ્રુત વિપરીત પ્રરૂપણા રૂપ આશાતના કરતો નથી. શાસ્ત્રજ્ઞાન ઉપસ્થિત હોવાથી તે વિવેકપૂર્વક શુદ્ધ પ્રરૂપણા કરે છે. જિલ્થí અવલ – તીર્થધર્મનું અવલંબન. (૧) શ્રતની આશાતના ન કરનાર સાધક તીર્થધર્મનું– જિનેશ્વર ભગવંતોના ધર્મનું અર્થાત્ રત્નત્રયનું આલંબન ગ્રહણ કરે છે. (૨) શ્રત વાચનાથી સંપન તે સાધક ધર્મતીર્થ માટે સહાયભૂત બને છે. મહiળારે મહાપુનવસને - સમ્યગુ જ્ઞાન, સમ્યગુદર્શન, સમ્યકચારિત્ર અને સમ્યક તપનું આચરણ કરનાર કર્મોની મહા નિર્જરા કરે છે. સંસારનો અંત થાય તેટલા પ્રમાણમાં કર્મોની નિર્જરા થાય, તેને મહાનિર્જરા કહે છે. "મહાપર્યવસાન" એટલે સંસારનો અંત કરે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રતિપૃચ્છના:२२ पडिपुच्छणयाए णं भंते ! जीवे किं जणयइ ? पडिपुच्छणयाए णं सुत्तत्थ-तदुभयाई विसोहेइ, कंखामोहणिज्ज कम्मं वोच्छिदइ । શબ્દાર્થ -પદપુછાયા-પ્રતિપુચ્છનાથી સુરસ્થિતદુમાડું = સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ બંને વિનોદ = વિશુદ્ધ કરે છે ફાનોનં કાંક્ષા-મોહનીય = કર્મનો વો૭િ૬ = નાશ કરે છે, છેદન કરે છે, ક્ષય કરે છે. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રતિપુચ્છના કરવાથી જીવને શું લાભ થાય છે? ઉત્તર–પ્રતિપૃચ્છના- સૂત્ર કે અર્થ અથવા સૂત્રાર્થના વિષયમાં સંદેહ ઉત્પન્ન થાય, ત્યારે ગુરુદેવને પૂછીને સમાધાન મેળવવાથી જીવ તે સૂત્ર, અર્થ અને તદુભયને વિશુદ્ધ કરી લે છે તથા સુત્રાર્થ વિશુદ્ધ થતાં કાંક્ષામોહનીય કર્મનો અર્થાતુ મિથ્યાત્વ મોહનીયના કર્મદલિકોનો ક્ષય કરે છે. વિવેચન :પ્રતિપચ્છના :- આચાર્ય-ગુરુદેવ શિષ્યને જ્યારે શાસ્ત્રપાઠની વાચના આપે છે અને વાચના આપતાં
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy