SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨ સામાયા (સમાચારી) :– સમાચારી શબ્દના વિવિધ અર્થ થાય છે, યથા– (૧) સમ્યક્ આચરણને સમાચારી કહે છે. (૨) જેનો ભાવ શિષ્ટાચરિત હોય, તેવો ક્રિયાકલાપ તે સમાચારી. (૩) શ્રમણોના કર્તવ્ય, અકર્તવ્યની સૂચના, મર્યાદા, તે સમાચારી. (૪) સમાચારી એટલે સાધુ જીવનની શાસ્ત્રીય દિનચર્યા. (૫) સાધુજીવનના આચાર-વિચારની સમ્યક્ વ્યવસ્થાને સમાચારી કહે છે. સમાચારીના આ સર્વ અર્થો સાપેક્ષ અને સમીચીન છે તેમજ તેના સ્વરૂપને સહજ રીતે સ્પષ્ટ કરે છે. ૧૦૦ સમાચારીની મહત્તા ઃ- (૧) સવ્વવુવવ વિમોવળિ = શારીરિક, માનસિક બધા દુઃખોથી મુક્તિ અપાવનારી છે. (૨) તિખ્ખા સંસાર સTR = સમાચારીનું પાલન કરી અનેક નિગ્રંથો સંસાર સાગર તરી ગયા છે, ઉપલક્ષણથી વર્તમાનમાં તરે છે અને ભવિષ્યમાં પણ તરશે. જિનેશ્વર પ્રરૂપિત આ સમાચારીના આચરણથી સાધુ જીવનમાં પ્રમાદ, અહંકાર વગેરે અનેક દુર્ગુણોનો ત્યાગ થઈ જાય છે. તેમજ ગુરુજનો અને શ્રમણો સાથેનો સંબંધ પવિત્ર બને છે, રાત્રિ અને દિવસનો સંપૂર્ણ સમય વ્યવસ્થિત રૂપે સપ્રવૃત્તિમાં પસાર થાય છે. અત્યધિક સમય સ્વાધ્યાય અને ધ્યાનમાં વ્યતીત થતાં અન્ય સંકલ્પ-વિકલ્પોને અવકાશ રહેતો નથી પરંતુ ચિત્તવૃત્તિ એકાગ્ર અને અંતર્મુખી થાય છે. આ રીતે સમગ્ર દિનચર્યા સંવર અને નિર્જરા પ્રધાન હોવાથી કર્મોનો ક્રમશઃ ક્ષય થાય છે તેથી જ આ સમાચારીનું આચરણ કરનારના સર્વ દુઃખોનો નાશ થાય છે. દશ સમાચારીનો પ્રયોગ ઃ ५ ६ = गमणे आवस्सियं कुज्जा, ठाणे कुज्जा णिसीहियं । आपुच्छणा सयंकरणे, परकरणे पडिपुच्छणा ॥ छंदणा दव्वजाएणं, इच्छाकारो य सारणे । मिच्छाकारो य णिंदाए, तहक्कारो पडिस्सुए ॥ अब्भुट्ठाणं गुरुपूया, अच्छणे उवसंपया । एवं दुपंचसंजुत्ता, सामायारी पवेइया ॥ = = = શબ્દાર્થ :- મ - બહાર જતાં સમયે આવસ્તિય - આવશ્યકી સમાચારી છુખ્ખા - કરે વાળે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં બિકીન્દ્રિય = નૈષધિકી સમાચારી જ્ગા = કરે સયંરણે = પોતાના કાર્ય કરવાને માટે આપુ∞ળા = ગુરુને પૂછવું પરણે = પોતાના કાર્ય સાથે બીજા મુનિઓનાં કાર્ય કરવાને માટે પહિપુ∞ળા = પુનઃ પૂછવું વળ્વનાĪ = આહારાદિ દ્રવ્યો માટે સાધુઓને નિમંત્રણ આપવું છેલા = છંદના સમાચારી છે સારણે = બીજા પાસેથી કાર્ય કરાવવામાં ફાત્તે = ઇચ્છાકાર સમાચારી છે. તેમજ હે પ્રભુ ! આપની ઇચ્છા હોય તો આપ મને જ્ઞાનાદિ આપી મારા ઉપર ઉપકાર કરો; આ પણ ઇચ્છાકાર સમાચારી છે પિલાણ્ = કોઈ દોષ લાગવાથી આત્મનિંદા કરવી મિચ્છાનો = મિથ્યાકાર સમાચારી છે પહિન્નુમ્ = ગુરુ મહારાજનાં વચનોને સાંભળીને હ્રહારો - ‘તહત્તિ’, સત્ય વચન, એમ કહેવું એ ‘તથાકાર’ સમાચારી છે ગુરુપૂયા - ગુરુપૂજા-ગુરુમહારાજ અને રત્નાધિક સાધુઓની વિનય-ભક્તિ કરવી તથા બાલ, વૃદ્ધ, ગ્લાન સાધુઓને યથોચિત આહાર-ઔષધિ લાવી આપવાં અમુકાળ અભ્યુત્થાન નામની સમાચારી છે અ∞ળે = ગુરુ આજ્ઞાથી અન્ય શ્રમણની નિશ્રામાં રહેવું, વિચરવું, અધ્યયન કરવું વસંપયા = ઉપસંપદા સમાચારી છે વ = આ રીતે રુપવસંગુત્તા = ૨×૫ = ૧૦ દસ પ્રકારની સમાચારી પવેડ્યા = કહી છે, જિનેશ્વરોએ પ્રરૂપી છે.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy