SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શીય કરનાર વિજયઘોષ બ્રાહ્મણ પર કોઈ પણ પ્રકારનો કોપ કર્યા વિના સમભાવમાં સ્થિત થયા. પ્રસ્તુત પ્રસંગ તત્કાલીન સમાજ વ્યવસ્થામાં રહેલી જાતિવાદની વિચારધારાને પ્રગટ કરે છે. વિશ્વ અને વિજ :- સામાન્ય રીતે વિપ્ર અને વિજ બંને એકાર્થક શબ્દ છે. આ બંને શબ્દો બ્રાહ્મણના અર્થમાં વપરાય છે, તોપણ બૃહદ્વવૃત્તિકારે આ બંનેમાં તફાવત સ્પષ્ટ કર્યો છે. બ્રાહ્મણ જાતિમાં જન્મ ધારણ કરનાર વિપ્ર કહેવાય અને યોગ્ય ઉંમરે તેને યજ્ઞોપવિત(જનોઈ) આપી સંસ્કારિત કરાય છે, ત્યારે તે સંસ્કારથી બીજો જન્મ ધારણ કરનાર દ્વિજ કહેવાય છે. પ્રાચીન કાળમાં વેદપાઠીને વિપ્ર અને વેદજ્ઞાતા તેમજ યજ્ઞ કરાવનાર હોય તે દ્વિજ કહેવાતા હતા. ૩ બોસાવિત ઃ- જ્યોતિષશાસ્ત્ર વેદનું અંગ છે, કાલ વિધાયક આ શાસ્ત્ર વેદનું નેત્ર માનવામાં આવે છે અને વેદમાં દર્શાવેલા યજ્ઞોનો જ્યોતિષ શાસ્ત્ર સાથે ગાઢ-વિશિષ્ટ સંબંધ છે. જયોતિષ જાણનારા બ્રાહ્મણો જ યજ્ઞ કરાવે છે. જ્યોતિષ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુકત અને છંદ, તે છ અંગોના જાણકાર જયોતિષજ્ઞ કહેવાય છે. સવ્વામિય :- જૈન સિદ્ધાંતોમાં તીખો, કડવો, ખાટો, તૂરો અને મીઠો તે પાંચ રસ માનવામાં આવ્યા છે પરંતુ સંસ્કૃત અને હિન્દી સાહિત્યમાં ‘લવણ’(નમક) રસ – પજો રસઃ નવળઃ । કહ્યો છે. સવ્વામિય નો અર્થ અહીં ડરસયુક્ત ભોજન” થાય છે. ત્તમટ્ટુ-વેસઓ :– ઉત્તમ અર્થના ગવેષક અર્થાત્ શોધક. જયઘોષ મહામુનિ આત્માર્થી હતા. આત્મા એ ઉત્તમ અર્થ છે. જૈન મુનિનું લક્ષ્ય કર્મરૂપી રજૂમેલ દૂર કરી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પામવાનું હોય છે. તેથી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના શોધક મુનિ ઉત્તમ અર્થના ગવેષક કહેવાય છે. જયોઘોષ મુનિના પ્રશ્નનો : १० णण पाणहेडं वा ण वि णिव्वाहणाय वा । > तेसिं विमोक्खणट्ठाए, इमं वयणमब्बवी ॥ = = શબ્દાર્થ :- બળવું - અન્નને માટે નહીં વા - અને ૫ પાબહેૐ - પાણીને માટે નહિ બ વિ જિલ્લારખાય વા - નિર્વાહને માટે નહિ, પરંતુ તેનું અજ્ઞાન દૂર કરવાને તેલિ = તેને વિમોÜખકાર્ - મુક્તિ પ્રાપ્ત કરાવવા માટે રૂમ – આ પ્રકારે થયાં આ પ્રકારે વયળ = વચન અવવી = કહેવા લાગ્યા. ભાવાર્થ:- [જયઘોષ મુનિએ] અન્નને માટે નહિ, જળને માટે નહિ અને જીવન નિર્વાહને માટે પણ નહિ પરંતુ તે બ્રાહ્મણને મિથ્યા જ્ઞાનદર્શનથી મુક્ત કરાવવા માટે આ વચનો કહ્યા ११ ण वि जाणासि वेयमुहं ण वि जण्णाण जं मुहं । णक्खत्ताण मुहं जंच, जं च धम्माण वा मुहं ॥ શબ્દાર્થ :- ૫ વિ - તમે ન તો વેયમુē = વેદોનું મુખ, વેદોમાં મુખ્યતા ગાળાસિ = જાણો છો અને = = વિ - તમે નહીં નળાળ = યજ્ઞોનું f = જે મુહં = મુખ(મુખી) છે તેને જાણો છો 7 = અને f = જે ખસ્વત્તાપ = નક્ષત્રોના ૬ = તથા ધમ્માળ વા= ધર્મોના. ભાવાર્થ :– તમે વેદનું મુખ જાણતા નથી અને ધર્મનું કે યજ્ઞનું મુખ જાણતા નથી તેમજ નક્ષત્રોનું મુખ પણ જાણતા નથી અર્થાત્ વેદ, યજ્ઞ, નક્ષત્ર કે ધર્મમાં મુખ્યતા કોની છે ? તે તમે જાણતા નથી.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy