SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦] શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧ ભાવાર્થ – ભિક્ષુએ સમય થાય, ત્યારે ભિક્ષા માટે બહાર નીકળવું અને સમય થાય, ત્યારે પાછા આવી જવું. અસમયમાં તે કાર્ય કરવું નહિ, પરંતુ જે કાર્ય જે સમયે હોય તે કાર્ય તે જ સમયે કરવું. વિવેચન :કાલચર્યાથી લાભ અને અકાલચર્યાથી હાનિ:- જેમ ખેડૂત વર્ષાકાળમાં બીજારોપણ કરે, તો તેને યોગ્ય સમયે અનાજનો પાક મળે છે, તેમ યોગ્ય કાળમાં ભિક્ષા, પ્રતિલેખન, પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાથી સાધકને સ્વાધ્યાય, ધ્યાન, આદિનો સમય મળી શકે છે. વળી તે ક્રિયામાં મન પણ સ્થિર રહી શકે છે. પરંતુ જેમ કોઈ ખેડૂત વર્ષાકાળ પસાર થઈ ગયા પછી બીજ વાવે, તો તેને અનાજનો પાક મળતો નથી, તેમ સાધકને અસમયમાં એટલે કે સમય વીતી ગયા પછી ભિક્ષાચર્યા વગેરે કરવાથી આહારદિનો લાભ મળતો નથી અને તેનું મન પણ સંકલેશયુક્ત થઈ જાય છે. તેથીજ તેની સાધનામાં તેજસ્વિતા આવતી નથી અને તેનાં સ્વાધ્યાય, ધ્યાન, આદિ કાર્ય પણ વ્યવસ્થિત થતાં નથી, માટે સાધુનું કર્તવ્ય છે કે તેણે દરેક કાર્ય આગમ નિર્દિષ્ટ અને વ્યવહારોચિત સમયે જ કરવાં જોઈએ. ભિક્ષા ગ્રહણ તથા આહારવિધિ :३२ परिवाडिए ण चिट्ठिज्जा, भिक्खू दत्तेसणं चरे । पडिरूवेण एसित्ता, मियं कालेण भक्खए ॥३२॥ શબ્દાર્થ :- રવાડણ - આહાર લેવા માટે પંક્તિમાં, વિકિના - ઊભો રહે નહિ, પડવે - મુનિની મર્યાદામાં રહી, વલi - ગૃહસ્થ દ્વારા દીધેલો અને ગવેષણા સહિત, રે - ભિક્ષા ગ્રહણ કરતો વિચરે, સિત્તા - ગવેષણાથી પ્રાપ્ત, બિયે મર્યાદિત આહારને, વાળ - યોગ્ય સમયે, નિયત સમયે જ, ભવાઈ - ખાય. ભાવાર્થ :- ભિક્ષા માટે નીકળેલા ભિક્ષુ આહાર લેવા માટે પંકિત કે લાઈનમાં ઊભા રહે નહી. તે સાધુ સંયમની મર્યાદા અનુસાર આહારની ગવેષણા કરીને ગૃહસ્થ આપેલા આહારનો સ્વીકાર કરીને યોગ્ય સમયમાં જ આવશ્યકતા અનુસાર પરિમિત ભોજન કરે. ૩૩ ગામો , પુલિં વહુ I I. एगो चिट्ठज्ज भत्तट्ठा, लंघित्ता तं णाइक्कमे ॥३३॥ શબ્દાર્થ :- મત્ત - ગોચરી માટે, આહાર માટે, સં - ત્યાં પહેલાંથી ઊભેલા ભિક્ષુઓને, નંદિત્તા - ઓળંગીને, " મ ને - ઘરમાં પ્રવેશ ન કરે, દૂરં = અતિદૂર કે, માસ – અતિ સમીપ પણ ઊભો ન રહે, અહિં - અન્યની, દાતા અથવા ભિખારીની, ન રહુ પplaઓ - દષ્ટિ ન પડતી હોય ત્યાં, હો - એકલો જ, રાગ દ્વેષ રહિત, વિજ - ઊભો રહે.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy