SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧: વિનયકૃત છે. સ્વેચ્છાએ કષાયોનું શમન-દમન કરવાથી સકામ નિર્જરા થાય છે, જ્યારે અન્ય દ્વારા દમન થવાથી અકામ નિર્જરા જ થાય છે. જે આત્મા દમન કરતા નથી, તે પરાધીનપણે કર્મોને વશ થઈ જુદી રીતે અવશ્ય દુઃખી થાય છે. તે દુઃખ કરતાં તો સ્વયં જ્ઞાન અને વિવેકથી આત્માનું દમન કરી અર્થાતુ તપ અને સંયમનાં માધ્યમથી ઈન્દ્રિય વિજય અને કષાય વિજય કરી, મનને અંકુશમાં રાખવું, એ વધારે શ્રેયસ્કર છે. ગુરુ પ્રત્યેનો વિનય ભાવ :१७ पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा । आवी वा जइ वा रहस्से, णेव कुज्जा कयाइ वि ॥१७॥ શબ્દાર્થ :- આવ વા - પ્રગટમાં, જાહેરમાં, લોકોની સામે, ન વા - અથવા, રદત્તે - એકાંતમાં, વાયા - વચનથી, મહુવ- અને, મુ કાર્યથી, કાયાથી, પ્રવૃત્તિથી, વરાયારૂ વિ - કયારેય, વૃદ્ધાળ- ગુરુમહારાજથી, પલળી વિપરીત આચરણ, વન, નહીં, શુના - કરે. ભાવાર્થ :- લોકોની સમક્ષ અથવા એકાંતમાં, વાણીથી અથવા પ્રવૃત્તિથી કયારેય આચાર્ય કે ગુરુની સામે પ્રતિકૂળ આચરણ કરે નહીં. 22 ण पक्खओ ण पुरओ, णेव किच्चाण पिट्ठओ । __ण जुजे ऊरुणा ऊरु, सयणे णो पडिस्सुणे ॥१८॥ શબ્દાર્થ :- ક્વિાણ - આચાર્ય મહારાજની, જા પહો - પડખે, અડીને ન બેસવું જ પુરઓ - આગળ પણ ન બેસવું છેવ પિટ્ટો - પાછળ પણ અવિનયથી ન બેસવું ઝરુખા - ગોઠણથી, હે - ગોઠણ, ગુને = અડીને ન બેસવું ને શય્યા પર સૂતાં સૂતાં કે બેઠાં બેઠાં, જો ડિસુ ન સાંભળવું. ભાવાર્થ :- આચાર્યની બરાબર બાજુમાં ગુરુનો સ્પર્શ થાય તેમ ન બેસવું, આગળ ન બેસવું, અને પાછળ ગુરુનો સ્પર્શ થાય તેમ અવિનયથી ન બેસવું. ગુરુની અતિ નજીક ગોઠણથી ગોઠણનો સ્પર્શ થાય એમ ન બેસવું, પથારીમાં બેઠા બેઠા ગુરુએ કહેલા આદેશોને સ્વીકારીને તેનો ઉત્તર ન આપવો અર્થાત્ આસન ઉપરથી ઊઠીને પાસે જઈને તેમના વચનનો સ્વીકાર કરવો અથવા ઉત્તર આપવો. १० णेव पल्हत्थियं कुज्जा, पक्खपिंडं व संजए । __पाए पसारिए वावि, ण चिट्टे गुरुणतिए ॥१९॥ શબ્દાર્થ :- સંગ - વિનીત સાધુ, પત્વિયં પલાંઠી વાળીને, પગ ઉપર પગ ચઢાવીને બેસવું, પહf૬ - બંને હાથોથી બંને ગોઠણને છાતી પાસે બાંધીને બેસવું, વ સુના એમ ન કરવું, ન બેસવું, વાવ - અથવા, ગુરુતિ - ગુરુની પાસે, પણ પરિપ - પગ લાંબા કરીને, ફેલાવીને, જ વિદ્ = ન બેસે.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy