SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૧૯ : મૃગાપુત્રીય શબ્દાર્થ :- મોીિ - સુમેરુ પર્વતને, તુણ્ = તુલામાં (ત્રાજવામાં), તોતેવું = તોળવો, બિન્દુય નીસં - સાવધાન અને શંકાઓથી રહિત થઈને, એકાગ્રચિત્ત થઈને. = ભાવાર્થ :- જેમ મેરુ પર્વતને ત્રાજવાથી તોળવો અઘરો છે, તેમ સાવધાનીથી અને નિઃશંક ભાવે શ્રમણધર્મનું પાલન કરવું પણ દુષ્કર છે. |૪૩ जहा भुयाहिं तरिडं, दुक्करं रयणायरो । તદ્દા અનુવસંતેળ, તુવર ૬મસાયરો ॥૪રૂા ३८७ શબ્દાર્થ :- વળાયરો - રત્નાકર, સમુદ્રને, મુયાર્જિં = ભુજાઓથી, તāિ – તરવો, અનુવસંતેળ - અનુપશાંત માટે, કષાયોને શાંત કર્યા વિના, વમસાયરો - ઈન્દ્રિય દમનરૂપ સંયમ સાગર. ભાવાર્થ :- જેમ ભુજાઓથી સમુદ્ર તરવો દુષ્કર છે, તેમ અનુપશાંત કષાયવાળી વ્યક્તિ માટે મન અને ઈન્દ્રિય નિગ્રહરૂપ સંયમના સાગરને પાર કરવો દુષ્કર છે. |૪૪ भुंज माणुस्सए भोए, पंचलक्खणए तुमं । भुत्तभोगी तओ जाया, पच्छा धम्मं चरिस्ससि ॥४४॥ શબ્દાર્થ :- નાયા - હે પુત્ર !, તુમ - તું, પંચતત્ત્વય્ = શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ, માપુસ્કર્ = મનુષ્ય સંબંધી, મોર્ = ભોગોને, મુંગ - ભોગવ, તો = ત્યાર પછી, મુત્તમોની - ભુક્તભોગી બનીને, પદ્મા = વૃદ્ધાવસ્થામાં, ધમ્મ - ધર્મનું, પરિણિ - પાલન કરજે. ભાવાર્થ :- હે પુત્ર ! પહેલાં તું મનુષ્ય સંબંધી શબ્દાદિ પાંચ પ્રકારના ઇન્દ્રિય વિષયોનાં સુખોને ભોગવ અને ત્યાર પછી ભુક્તભોગી થઈને ચારિત્રધર્મને ખુશીથી સ્વીકારજે. વિવેચન : ૨૫ થી ૪૪ સુધીની ગાથાઓમાં મૃગાપુત્ર સમક્ષ તેના માતાપિતાએ શ્રમણધર્મની દુષ્કરતા તેમજ કઠિનતાનું ચિત્ર વિવિધ ઉપમાઓથી પ્રસ્તુત કર્યું છે, અંતે ૪૪ મી ગાથામાં માતાપિતાએ કહ્યું કે આટલી દુષ્કરતા અને કઠિનતાને જાણ્યા પછી પણ જો તારી ઈચ્છા શ્રમણધર્મને સ્વીકારવાની હોય, તો પહેલાં પાંચ ઈન્દ્રિયનાં સુખ ભોગવ, પછી સાધુ બનજે. મુળળળ તું સહસ્સારૂં:– સાધુને સંયમ માટે ઉપકારક હજારો ગુણોને ધારણ કરવાના હોય છે અર્થાત્ સંયમમાં હજારો નિયમ ઉપનિયમોનું પાલન કરવાનું હોય છે. = સમયા સવ્વપૂછ્યું :– સાધુને જીવનપર્યંત સમત્વમાં, સમભાવોમાં રહેવું આવશ્યક છે. તેણે કોઈ પણ જીવો પ્રત્યે વિષમભાવ રાખવો નહીં.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy