SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય ૩૭૭. શબ્દાર્થ - અબ્બો - હે માતાપિતા!, ને મેં રંજ - પાંચ, મદધ્વનિ મહાવ્રતોનું પાલન કર્યું હતું તેને મેં, સુવાનિ - જાણી લીધાં છે, નરપશુ - નરક ગતિમાં, સિરિજા નાસુ - તિર્યંચ યોનિમાં ભોગવેલા, દુજણ - દુઃખોને પણ સ્મરણ કરી જાણી લીધાં છે, અમદાવાઓ- સંસારરૂપી મહાસાગરમાંથી, દ્વિધાનો મ - હું નિવૃત્તિનો અભિલાષી છું, તરવાનો અભિલાષી છું, જુનાગદમને આજ્ઞા આપો, પશ્વામિ - હું દીક્ષા લઈશ ભાવાર્થ - મૃગાપુત્ર- હે માતાપિતા ! પૂર્વકાળમાં મેં પંચમહાવ્રતરૂપ સંયમધર્મ સાંભળ્યો છે અને તેનું પાલન કર્યું છે. નરક અને તિર્યંચયોનિમાં જે દુઃખો છે, તે પણ મેં જાણ્યાં છે. હું સંસારરૂપ મહાસાગરથી તરવાનો અભિલાષી છું. હે માતા! હું પ્રવ્રજ્યા લઈશ, મને આજ્ઞા આપો. વિવેચન :પૂર્વજન્મનો અનુભવ - જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી મૃગાપુત્રે માતાપિતાને પોતાના પૂર્વજન્મનો અનુભવેલોવૃત્તાંત કહ્યો. પૂર્વજન્મની અનુભૂતિઓ અને સ્મૃતિઓને આધારે મૃગાપુત્રને સંસારના કામભોગોથી વિરક્તિ થઈ. ફલતઃ તેણે દીક્ષા ગ્રહણ કરવા માટે માતાપિતાને આજ્ઞા પ્રદાન કરવાનું નિવેદન કર્યું. 'પૂર્વકાળમાં મેં પંચમહાવ્રતનું પાલન કર્યું, આ પ્રકારના મૃગાપુત્રના કથનથી પ્રતીત થાય છે કે મૃગાપુત્રનો પૂર્વભવ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના શાસનમાં થયો હશે. વૈરાગ્યભાવનું નિવેદન :१२ अम्मताय मए भोगा, भुत्ता विसफलोवमा । पच्छा कडुयविवागा, अणुबंध दुहावहा ॥१२॥ શબ્દાર્થ :- અમ્મતાય = હે માતાપિતા!, મ = મેં, મોT = કામભોગોને, મુત્તા = ભોગવી લીધા છે, પચ્છા - ભોગવ્યા પછી, કુચ વિવા' - તેનું પરિણામ અતિ કડવું હોય છે અને, અનુબંધ કુહાવદ - નિરંતર દુઃખ પરંપરાને વધારનારા છે, વિસનોવા - વિષફળ જેવા છે. ભાવાર્થ :- હે માતાપિતા ! મેં ભોગો ભોગવી લીધા છે, તે વિષફળની સમાન, પાછળથી કટુ પરિણામવાળા અને નિરંતર દુઃખની પરંપરાને વધારનારા છે. |१३ इमं सरीरं अणिच्चं, असुई असुइसंभवं । असासया वासमिणं, दुक्ख केसाण भायणं ॥१३॥ શબ્દાર્થ - ગં = આ, સરીર = શરીર, ગળવું = અનિત્ય છે, અલુડું = અપવિત્ર છે, અણુ સંપર્વ-અપવિત્રતામાંથી જ તેની ઉત્પત્તિ થઈ છે, ફક્ત તેમાં, અસારાવાસં જીવનું નિવાસસ્થાન
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy