SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન—૧૫ : સભિક્ષુક શિયાળુિં :– (૧) નિદાન – વિષય સુખની આસક્તિથી કરવામાં આવેલો સંકલ્પ. (૨) નિદાન એટલે કર્મબંધ કે કર્મબંધના કારણો જેનાં છેદાઈ ગયા છે, ઓછા થઈ ગયા છે. (૩) છિન્નનિદાનનો અર્થ અપ્રમત સંયત છે. ૨૯૩ ૩′3 :- ૭– (૧) ઋજુ - સંયમ, કડે - કરનાર, સંયમપ્રધાન અનુષ્ઠાન કરનાર. (૨) ૠજુ – જે માયાનો ત્યાગ કરી સરલતાપૂર્વક ધર્માનુષ્ઠાન કરે છે. संथवं जहिज्ज :- (૧) સંસ્તવ અર્થાત્ પરિચયને જે છોડી દે છે, પૂર્વપરિચિત માતપિતા વગેરે, પશ્ચાત્ પરિચિત સાસુ સસરા વગેરેના સંસ્તવ – પરિચયનો જે ત્યાગ કરે છે. (ર) સમસ્ત સંપર્ક, પરિચયથી દૂર રહેનાર. અજમાને :– (૧) ઈચ્છાકામ અને મદનકામરૂપ કામોની જે અભિલાષા કરતો નથી તે (૨) અકામ અર્થાત્ મોક્ષ. મનુષ્ય સમસ્ત અભિલાષાઓથી નિવૃત્ત થાય, ત્યારે મોક્ષ ઘાય છે, આ રીતે અકામ એ મોક્ષનું સ્વરૂપ છે. અન્ય કામના– ઈચ્છાઓનો ત્યાગ કરી જે એકાંત મોક્ષની કામના કરે છે, તે અકામકામી. અળાવÇી :– (૧) નિમંત્રણ કે પ્રતીક્ષા અથવા કોઈ પ્રકારની તૈયારી જ્યાં ન હોય એવાં ઘરોમાંથી ભિક્ષા લેનાર (ર) અજ્ઞાત ઘરોમાંથી એટલે સાધુના આવવાનું અનુમાન કે લક્ષ્ય જેને નથી એવાં ઘર (૩) જૈન સાધુથી અપરિચિત કે અલ્પપરિચિત ઘર. આ અજ્ઞાત ઘર શબ્દથી કોઈ એકાંત જૈનેતર ઘર, એવો અર્થ પણ કરે છે પરંતુ સામાન્યતઃ તે અર્થ ઉપયુક્ત નથી, વિશેષ અભિગ્રહધારી એવો અભિગ્રહ કરી શકે છે; સામાન્યતઃ સાધુ જૈનેતરના ઘરમાં જ ગોચરી જાય તો સામુદાનિક ગોચરી ન થાય અને શ્રાવકોને બારમા વ્રતનો લાભ પણ મળે નહીં, માટે આવો એકાંત અર્થ કરવો યોગ્ય નથી. ૬ મિન્યૂ :- અહીં આ શબ્દથી કોણ ભિક્ષુ છે કે નથી, એવો અર્થનિર્ણય કે આક્ષેપનો ઉદ્દેશ્ય નથી પરંતુ સૂત્રકારે અહીં ભિક્ષુના, મુનિના આચરણીય ગુણોનું કથન કર્યું છે. તેનાં આચરણથી મુનિત્વ કે મુનિત્વનો ઉદ્દેશ્ય પૂર્ણ થાય છે; અથવા આવાં આચરણોથી શ્રેષ્ઠ કે આદર્શ ગુણવાન મુનિ બની શકાય છે, માટે દીક્ષા લેનારને આ બધા ગુણોથી યુક્ત થવું જોઈએ અને તે ગુણોનો અભ્યાસ પણ કરવો જોઈએ. અહીં સમસ્ત ગાથાઓમાં પ્રયુક્ત સ મિવધૂ દ્વારા સૂત્રકારનો આ સંકેત સ્પષ્ટ થાય છે. રાઓવયં :- (૧) રાગોપરત – રાગ એટલે આસક્તિથી ઉપરત (૨) રાઝુરત – રાત્રિભોજન તથા રાત્રિવિહારથી ઉપરત – નિવૃત્ત. (૩) રાોવ - રાત્રિ – દિવસ ધર્મધ્યાનમાં યં - રત કે લીન રહેનાર. ઘેલિયાડયવિદ્-વધિવા-રક્ષિત ઃ તેના બે અર્થ થાય છે (૧) વેદવિત્ હોવાથી આત્માની રક્ષા કરનાર. (ર) જેના દ્વારા તત્ત્વ જાણવામાં આવે છે, તેને વેદ એટલે સિદ્ધાંત અથવા આગમ કહે છે. તેના વેત્તા એટલે શાતા હોવાથી દુર્ગતિથી આત્માનું જેણે રક્ષણ કર્યું છે. (૩) વેદવિત્ એટલે જ્ઞાનવાન, શાસ્ત્રજ્ઞ તથા આત્મરક્ષિત એટલે જેમણે સમ્યગ્દર્શનાદિનો લાભ પ્રાપ્ત થયો છે અથવા જે આત્મગુણોની રક્ષા કરે છે તે.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy