________________
[ ૨૯૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પ્રવૃત્તિને જાણીને તેનો દરેકનો ત્યાગ કરી જે સંયમ માર્ગમાં વિચરણ કરે છે, તે ભિક્ષુ છે. |९ खत्तियगण उग्गरायपुत्ता, माहणभोइय विविहा य सिप्पिणो ।
णो तेसिं वयइ सिलोगपूर्य, तं परिण्णाय परिव्वए स भिक्खू ॥९॥ શબ્દાર્થ – હરિય - ક્ષત્રિય, - મલ્લ, યોદ્ધા, ૩ આરક્ષક, રાવપુરા - રાજપુત્ર, મારા - બ્રાહ્મણ, મોડ્યું - પ્રધાન, સામંત, સિખો - શિલ્પી, કલાકાર, ઉિં - આ બધાની, લિતો પૂર્વ પો વી - પ્રશંસા વચન કહે નહીં, પૂર્થ - પૂજા કરે નહીં. ભાવાર્થ :- જે મુનિ, ક્ષત્રિય રાજા, મલ્લ, લિચ્છવી આદિ ગણ, આરક્ષક, રાજપુત્રો, બ્રાહ્મણો, સામંત અને અનેક પ્રકારના શિલ્પીઓ વગેરેની પ્રશંસા કરતા નથી, તેની પૂજાના વિષયમાં રસ લેતા નથી, તે પૂજા અને પ્રશંસા સંયમી જીવનને ઉપકારક નથી, એમ જાણીને તેને છોડી સંયમમાં વિચરણ કરે, તે ભિક્ષુ છે. १० गिहिणो जे पव्वइएण दिट्ठा, अप्पव्वइएण व संथुया हविज्जा ।
तेसिं इहलोइयफलट्ठा, जो संथवं ण करेइ स भिक्खू ॥१०॥ શબ્દાર્થ - પથરૂણા -દીક્ષા લીધા પછી, ળિો - ગૃહસ્થોને, gિ - જોયા હોય, પરિચય થયો હોય, અખબ્રણ - ગૃહસ્થાવસ્થામાં, સંથથા - પરિચય, વિષ્ણા - થયો હોય, તેહિં - તે ગૃહસ્થોની સાથે, તોફથnerg - આ લૌકિક ઉદ્દેશ્યોથી, સથવ - વિશેષ પરિચય, ગ રે - કરતા નથી.
ભાવાર્થ :- પ્રવ્રજિત થયા પછી કે પહેલાં જે ગૃહસ્થોના સહવાસમાં કે પરિચયમાં આવ્યા હોય, તેમાંથી કોઈની પણ સાથે લૌકિક ઉદ્દેશ્યથી અર્થાત્ વસ્ત્ર, પાત્ર, ભિક્ષા, પ્રખ્યાતિ, પ્રશંસા વગેરેની પ્રાપ્તિ માટે જે પરિચય કરતા નથી, તે ભિક્ષુ છે. ११ सयणासण पाणभोयणं, विविहं खाइमं साइमं परेसिं ।
___ अदए पडिसेहिए णियंठे, ते तत्थ ण पउस्सइ स भिक्खू ॥११॥ શબ્દાર્થ :- સયાલા પાપભોય - શય્યા, આસન, પાણી અને આહાર, વિવિ૬ - અનેક પ્રકારના, હાફ - ફળ, મેવા, સાફાં - મુખવાસના પદાર્થો, પff - ગૃહસ્થના ઘરમાં હોય, એવા • ન આપે, પરિપ. નિષેધ કરે, પિય-નિગ્રંથ મુનિએ, તલ્થ - તેના પર, ઇ પડસ - દ્વેષ ન કરે. ભાવાર્થ :- આવશ્યક શયન, આસન, પેયપદાર્થ, ભોજન, વિવિધ પ્રકારનાં ફળ, મેવા અને મુખવાસ આદિ ગૃહસ્થ ન આપે કે યાચના કરવા છતાં પણ નિષેધ કરે, તો તેના પર અંશ માત્ર દ્વેષ કરતા નથી, તે નિગ્રંથ ભિક્ષુ છે.