________________
૨૮૨ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિવેચન :વંતાણી - ભૃગુ પુરોહિતનો સપરિવાર સંયમના માર્ગે જવાથી, રાજા ઈષકાર તેના દ્વારા ત્યાગ કરેલા ધનને લેવા તૈયાર થયા; તેથી રાણી કમલાવતીએ રાજાને વમન કરેલા પદાર્થને ભોગવનાર કહ્યા છે. તેનું તાત્પર્ય એ છે કે પુરોહિતે તે ધનને દુઃખહેતુક કે હેય સમજીને છોડી દીધું, તેને જ તમે શા માટે ગ્રહણ કરો છો? તે ધન આપણા માટે ગ્રાહ્ય નથી. M૬ મે - જેમ પક્ષિણી પિંજરામાં આનંદ માનતી નથી, તેમ હું પણ જરા, મરણાદિ ઉપદ્રવોથી ભરેલા ભવપિંજરમાં આનંદ પામતી નથી. સંતાછા - પરંપરાગત રાગનો અથવા પારિવારિક સ્નેહ બંધનોને છેદન કરીને, ત્યાગ કરીને. fપાલિતા સાનિં- ૪૧ મી ગાથામાંfપરમિલાનો તથા ૪૬ મી ગાથામાં વિલં, રિમિi,
બારિસ અને પિરામિલ શબ્દોનો ચાર વાર પ્રયોગ છે. અંતે ૪૯ મી ગાથામાં પિરામિલ શબ્દનો પ્રયોગ પ્રસંગાનુસાર તે બે અર્થમાં પ્રયુક્ત છે. (૧) માંસના ટુકડા (૨) ઈન્દ્રિય વિષયની અને ધન સામગ્રીની આસક્તિ, અનાસક્તિ. પાહાર ળિયત્તવોસ :- (૧) પરિગ્રહ અને આરંભરૂપ દોષોથી નિવૃત્ત (૨) હિંસાદિ પાપ અને સંગ્રહવૃત્તિના ત્યાગવાળી નિર્દોષ દીક્ષા. નામુથવિરો :- (૧) વાયુની જેમ લઘુભૂત એટલે અપ્રતિબદ્ધ વિચરણ કરનારા (૨) લઘુ અર્થાત્ સંયમમાં વિચરણ કરવાના સ્વભાવવાળા (૩) દ્રવ્યથી ઓછા સાધન અને ઉપકરણોવાળા અને ભાવથી ઓછા કર્મબંધવાળા થઈને વિચરણ કરનાર. કિયા વામના ફેવ - ઈચ્છાનુસાર ચાલનાર અર્થાત્ જેમ પક્ષી સ્વેચ્છાનુસાર જ્યાં ઈચ્છે ત્યાં મુક્તપણે ફરે છે, તેમ આપણે પણ સ્વેચ્છાથી સ્વતંત્રતાપૂર્વક પરિવાર અને ઘરનાં બંધનથી મુક્ત થઈને સંયમમાં વિચરણ કરશું. ના વતિ:- અનેક ઉપાયો દ્વારા નિયંત્રિત કે સુરક્ષિત કરાયેલાં હોવા છતાં પણ પ્રાપ્ત સુખો સ્પંદન કરે છે અર્થાત્ પ્રાપ્ત સુખો ક્ષણિક કે અસ્થિર સ્વભાવવાળાં હોવાથી ચાલ્યાં જાય છે. છ આત્માઓની પ્રવજ્યા અને મુક્તિ :। चइत्ता विउलं रज्जं, कामभोगे य दुच्चए ।
णिव्विसया णिरामिसा, णिण्णेहा णिप्परिग्गहा ॥४९॥ શબ્દાર્થ - વિડd = વિસ્તીર્ણ, i = રાજ્યને, વત્તા - છોડીને, દુર્વ = મુશ્કેલીથી છોડી શકાય તેવા, ઉન્નિસા = વિષયોથી રહિત, રિમિક્ષ = ધન ધાન્યાદિના મમત્વથી રહિત, આસક્તિ