________________
૨૮ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સુખ સામગ્રીના ભોગ સંબંધી પ્રશ્નોત્તર१० धणं पभूयं सह इत्थियाहिं, सयणा तहा कामगुणा पगामा ।
तवं कए तप्पइ जस्स लोगो, तं सव्व साहीणमिहेव तुब्भं ॥१६॥ શબ્દાર્થ - વિઅહીં જ, પોતાના ઘરમાં જ, સ્થિëિ સહ સ્ત્રીઓની સાથે, ભૂયં-ઘણું બધું. થM - ધન છે, સયT - સ્વજનો પણ ઘણા છે અને, પVI - પર્યાપ્ત છે, ગત વર્ષે - જે પદાર્થોની પ્રાપ્તિ માટે, તો- લોકો, તવંત તપ, જપ વગેરે કરે છે, સબ્સ બધા પદાર્થો, - તમારા, તારી - સ્વાધીન છે. ભાવાર્થ :- પિતાએ કહ્યું – જે સુખ સુવિધાની પ્રાપ્તિ માટે સંસારના લોકો તપ અર્થાત્ ધર્માનુષ્ઠાનો અને દીર્ઘ તપશ્ચર્યા કરે છે, તે અખૂટ ધનસંપતિ, સ્ત્રીઓ, સ્વજનો અને ઇન્દ્રિયોના મનગમતાં વિપુલ સુખો તમોને અહીં જ સ્વાધીન થયાં છે, તો પછી આ સુખો છોડી શા માટે ભિક્ષુ બનવા ઈચ્છો છો? १७ धणेण किं धम्मधुराहिगारे, सयणेण वा कामगुणेहि चेव ।
समणा भविस्सामु गुणोहधारी, बहिविहारा अभिगम्म भिक्ख ॥१७॥ શબ્દાર્થ :- ધુમ્મ - ધર્મ, ધૃદિરે - ધુરાના અધિકારમાં અર્થાત્ ધર્માચરણના વિષયમાં,
ખ - ધનથી, વિંજ - શું પ્રયોજન છે, તથા : સ્વજન સંબંધીઓથી, ગુણોતધારી - સમ્યગુ દર્શનાદિ ગુણોને ધારણ કરનાર, તેના વિરૂા. શ્રમણ બનીશું, હિંવિધાઅનાસકત બની એક ગામથી બીજે ગામ વિહાર, ધાને -કરતાં, પણ શુદ્ધ ભિક્ષાવૃત્તિથી જીવન વ્યતીત કરશું. ભાવાર્થ :- પુત્રોએ પ્રત્યુત્તર આપતા કહ્યું – ધર્મધુરાના અધિકારમાં અર્થાત્ ધર્માચરણ દ્વારા આત્મ કલ્યાણ માટે દીક્ષા અંગીકાર કરવામાં ધનસંપત્તિ, સ્ત્રી, પુત્ર, પરિવાર અને ઈન્દ્રિય વિષયનાં સુખોની વાત જ કયાં છે? અર્થાતુ આત્મ કલ્યાણના માર્ગમાં આ સાંસારિક સંપદાઓ સાથે કોઈ સંબંધ નથી. ધર્માચરણ કે દીક્ષાનો ઉદ્દેશ્ય તો સમસ્ત કર્મ ક્ષય કરી મુક્તિ પ્રાપ્ત કરવાનો હોય છે માટે અમો ક્ષમા આદિ અને જ્ઞાનાદિ ગુણોના ધારક શુદ્ધ ભિક્ષા લેનાર, મોક્ષના લક્ષ્ય ગ્રામાનુગ્રામ વિચરણ કરનાર શ્રમણ બનીશું. વિવેચન :
થઇ જિં ધુમ્મથુરાશિTY :- આ ગાથા દ્વારા પુરોહિત પુત્રોએ પિતાના તર્કનું સમાધાન કરતાં કહ્યું કે જ્યારે અમારે મુનિધર્મના આચરણ માટે નિસ્પૃહ, અપ્રતિબદ્ધવિહારી, ભિક્ષાજીવી, શ્રમણ નિગ્રંથ બનવું છે, ત્યારે ધન, સ્વજન કે કોઈ પણ વિષયભોગનાં સાધનો સાથે શું સંબંધ? કેમ કે મહાવ્રતનું પાલન તો મોક્ષસાધના માટે છે. કામભોગ, ધન કે સ્વજન આદિ તેમાં બાધક છે માટે વેદમાં કહ્યું છે – 'નyગયા, ન ધન, ત્યાનોનામૃતત્વમાનઃ I' – સંતાનથી કે ધનથી નહીં, પરંતુ એકમાત્ર ત્યાગથી જ લોકો અમરપદને પામે છે.