SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૪ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ ભોગ ભોગવો, ત્યાર પછી પુત્રોને ઘરનો ભાર સોંપી, અરણ્યવાસી શ્રેષ્ઠ મુનિ બનજો. १० सोयग्गिणा आयगुणिंधणेणं, मोहाणिला पज्जलणाहिएणं । - संतत्तभावं परितप्पमाणं, लालप्पमाणं बहुहा बहु च ॥१०॥ શબ્દાર્થ :- આયfથM - આત્મગુણને માટે બંધન-લાકડારૂપ, નોળિતા - મોહરૂપીવાયુથી, પનહિ = અત્યંત પ્રજ્વલિત થયેલી, સોયાબT = શોકરૂપી અગ્નિથી, સંતરમાવ = સતત ભાવોવાળા, પરિતHTM- પરિતાપને પ્રાપ્ત થતાં, દુઃખી હૃદયે, વદ = ઘણા પ્રકારે, વદુ - અતિ અધિક, તાતષ્કમાઈ - પ્રલાપો કરતાં ભાવાર્થ :- (ત્યાર પછી) પોતાના આત્મગુણ રૂપી ઈધણથી અને મોહરૂપ પવનથી અત્યંત પ્રજ્વલિત શોકાગ્નિથી સંતપ્ત ભાવો સહિત દુઃખિત હૃદયે પુરોહિત અનેક પ્રકારના દીનહીન વચન બોલી રહ્યા હતા અર્થાત્ મોહથી વલવલાટ કરતા હતા. ११ पुरोहियं तं कमसोऽणुणतं, णिमंतयंतं च सुए धणेणं । जहक्कम कामगुणेहिं चेव, कुमारगा ते पसमिक्ख वक्कं ॥११॥ શબ્દાર્થ - મો ક્રમથી, કપુત અનુનય કરતાં, - યથાક્રમથી, - પુત્ર પ્રાપ્તિનું, થ - ધનનું, નિસંતાંત - નિમંત્રણ કરતાં, સં - તે, પુરોદિયું - ભૃગુ પુરોહિતને, શુમાર'T - બંને કુમારો, પક્ષમણ - વિચારપૂર્વક, વવ - આ રીતે વચનો કહેવા લાગ્યા. ભાવાર્થ :- એક પછી એક પ્રલોભનો આપતાં, વારંવાર અનુનય કરતાં અને પુત્ર પ્રાપ્તિનું, ધનનું કે ભોગસુખનું નિમંત્રણ કરતાં, એવા ભૃગુપુરોહિતને કુમારોએ વિચારપૂર્વક આ પ્રમાણે કહ્યું – વિવેચન :મુળા :– બંને કુમારો માટે અહીં 'મુનિ' શબ્દનો પ્રયોગ ભાવોની અપેક્ષાએ છે, તેથી અહીં મુનિ શબ્દનો અર્થ 'ભાવમુનિ' સમજવો જોઈએ. તવસ વાવ નં :- અહીં તપ શબ્દથી તપ સંયમ વગેરે બધાં ધર્માચરણનું ગ્રહણ થાય છે અર્થાત્ સદ્ધર્માચરણમાં વિધનકારક વચન. ન હો ગયા તો - વૈદિક ધર્મગ્રંથનું માનવું છે કે જેને પુત્ર ન હોય તેની સદ્ગતિ થતી નથી. તેનો પરલોક બગડી જાય છે. કેમ કે પુત્ર વિના પિંડદાન વગેરે આપનાર કોઈ હોતું નથી, તેથી અપુત્રની સદ્ગતિ કે ઉત્તમ પરલોકની પ્રાપ્તિ નથી થતી, જેમ કે કહ્યું છે – 'अपुत्रस्य गतिनास्ति, स्वर्गो नैव च नैव च । तस्मात् पुत्रमुखं दृष्ट वा पश्चात् धर्म समाचरेत् ।।'
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy