SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧૨ઃ હરિકેશીય . | ૨૩૭ | ના પુત્ર, હરિસ સાદું = હરિકેશમુનિને જુઓ, બસ = જેની, રિસા = આ પ્રકારની, મહાનુભા - મહાપ્રભાવશાળી, ફાફ - ઋદ્ધિ છે. ભાવાર્થ :- ત્યાં જોનાર લોકો કહેવા લાગ્યા અથવા અહીં શાસ્ત્રકાર કહે છે કે ખરેખર! તપની મહત્તા પ્રત્યક્ષ દેખાય છે, જણાય છે. જાતિની કોઈ વિશેષતા નથી. જેમની આવી મહાન ઋદ્ધિ છે, મહાન પ્રભાવ છે, તે હરિકેશબલ મુનિ ચાંડાલપુત્ર છે, છતાં તેમની સેવામાં દેવો હાજર રહે છે. વિવેચન :સનg g રસિફ :- પ્રસ્તુત ગાથામાં પ્રયુક્ત ઉદ્ગારો, હરિકેશબલ મુનિના તપ, સંયમ તેમજ ચારિત્રનો પ્રત્યક્ષ ચમત્કાર જોઈને, આશ્ચર્યચકિત થયેલા બ્રાહ્મણોના સંભવિત છે. તેઓ હવે સુલભબોધિ તેમજ મુનિના શ્રદ્ધાળુ ભક્ત બની ગયા હતા. અતઃ તેઓના મુખથી નીકળતી આ વાણી શ્રમણ સંસ્કૃતિના તત્ત્વને અભિવ્યક્ત કરી રહી છે કે જાતિવાદ અતાત્ત્વિક છે, કલ્પિત છે. આ સૂત્રના ૨૫ મા અધ્યયનમાં કહ્યું છે કે પોતાનાં કર્મોથી જ મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બને છે. જન્મ (જાતિ) થી નહીં. સૂત્રકૃતાંગ સૂત્રમાં પણ સ્પષ્ટ બતાવ્યું છે - "મનુષ્યની સુરક્ષા તેના જ્ઞાન અને ચારિત્રથી થાય છે, જાતિ અને કુળથી નહીં. વ્યક્તિની ઊંચતા નીચતાનો આધાર તેની જાતિ અને કુળ નહીં પરંતુ જ્ઞાન, દર્શન, ચારિત્ર કે તપ, સંયમ છે. જેના જ્ઞાન, દર્શન, ચારિત્ર ઉન્નત છે અથવા તપ,સંયમનું આચરણ વિશેષ છે, તે જ ઊંચ છે. જે આચારભ્રષ્ટ છે, જ્ઞાન, દર્શન, ચારિત્રથી રહિત છે, તે કદાચ બ્રાહ્મણ કે ક્ષત્રિય વગેરે કોઈ પણ ઉચ્ચ જાતિના હોય, છતાં તે નિષ્ફટ છે. જૈનધર્મની ઘોષણા છે કે કોઈ પણ વર્ણ, જાતિ, દેશ, વેશ કે લિંગની વ્યક્તિ જો રત્નત્રયની નિર્મળ સાધના કરતી હોય, તો તેના માટે સિદ્ધિ-મુક્તિના દ્વાર ખુલ્લાં છે. આ પ્રસ્તુત ગાથાનો સારાંશ છે. ભાવયજ્ઞ અને ભાવગ્નાન :३८ किं माहणा जोइ समारभंता, उदएण सोहिं बहिया विमग्गहा । जं मग्गहा बाहिरिय विसोहिं, ण तं सुदिट्ठ कुसला वयति ॥३८॥ શબ્દાર્થ :- નાદ-હે બ્રાહ્મણો! આપ, નો અગ્નિનો, સનારમંતા-આરંભ કરતાં, ૩પજળથી, વહિયા= બાહ્ય, સદં = શુદ્ધિની, વિં= શા માટે, વિકાદ- શોધ કરો છો?, ઈચ્છો છો?, ગ = જે આપ, વાહિરિયન બાહ્ય, વિસર્દિક વિશુદ્ધિની, મહા શોધ કરો છો, તંત્ર તેને, તે આચરણને, સુલતા- તત્ત્વજ્ઞાની કુશળ પુરુષ, સુવિ૬ - સુદષ્ટ, સાચો માર્ગ, ન વતિ કહેતા નથી. ભાવાર્થ :- (મુનિ બોલ્યા) હે બ્રાહ્મણો ! અગ્નિનો આરંભ કરીને અર્થાત્ અગ્નિમાં જીવોની હિંસા કરીને અને પાણી દ્વારા બાહ્ય શુદ્ધિ, શરીર શુદ્ધિ શા માટે કરી રહ્યા છો? અર્થાત્ યજ્ઞ, સ્નાન આદિથી બાહ્ય શુદ્ધિ શા માટે ઈચ્છો છો? જેઓ બહારની શુદ્ધિને શોધે છે, તેમના તે આચરણને જ્ઞાની પુરુષો શ્રેષ્ઠ કે સાચો
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy