SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૨૦ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ હોવાથી એકાર્થક છે. તો પણ ઉપધિનો અર્થ અહીં શરીરોપયોગી, વસ્ત્રપાત્રાદિ છે અને ઉપકરણનો અર્થ સંયમ ઉપકારક રજોહરણ, પ્રમાર્જીનિકા આદિ છે. રિયા :- અહીં અનાર્ય શબ્દ અસભ્ય, અનાડી અથવા સાધુ પુરુષોના નિંદક કે અનિષ્ટ કરનાર, એ અર્થમાં પ્રયુક્ત છે. આચરણહીન બ્રાહ્મણ :- પ્રસ્તુત પાંચમી ગાથામાં આચરણહીન બ્રાહ્મણોનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. તેનાં પાંચ વિશેષણ કહ્યાં છે – (૧) જાતિમદથી ઉન્મત્ત (૨) હિંસક (૩) અજિતેન્દ્રિય (૪) અબ્રહ્મચારી (૫) બાલ. અમે બ્રાહ્મણ છીએ, ઊંચ જાતિના છીએ, શ્રેષ્ઠ છીએ, આ પ્રકારના જાતિમદથી તેઓ મત્ત હતા. યજ્ઞોમાં પશુવધ કરવાના કારણે હિંસાપરાયણ હતા. પાંચે ય ઇન્દ્રિયોને વશ કરેલી ન હતી, તેઓ પુત્રોત્પત્તિ માટે અબ્રહ્મચર્યને ધર્મ માનતા હતા. બાલક્રીડાની જેમ લૌકિક કામનાવશ યજ્ઞ–હોમાદિમાં પ્રવૃત્ત હોવાથી તેઓ અજ્ઞાની હતા. ગોમત:- અચેલ અથવા જીર્ણશીર્ણ તુચ્છ વસ્ત્રોવાળાં અથવા હલકાં, ગંદા તેમજ જીર્ણ હોવાથી અસાર વસ્ત્રોવાળા. પરિસાયમૂU:લૌકિક વ્યવહારમાં જેનાં દાઢી, મૂછ, નખ અને રૂંવાટી લાંબી અને મોટી થયેલી હોય, શરીર ધુળયુક્ત હોય, તેને પિશાચ કહેવામાં આવે છે. મુનિ પણ શરીર તરફ નિરપેક્ષ તેમજ ધૂળથી મલિન હોવાથી ભૂત, પિશાચ જેવા લાગતા હતા. સંરક્વલં પરિદરિયે રે - ઉકરડા પરથી લાવેલાં ચીથરાં ગળામાં પહેરેલાં. અહીં સંકરનો અર્થ છે - તૃણ, ધૂળ, રાખ, છાણ, આદિથી ભરેલો ઢગલો, કચરાનો ઢગલો, જેને ઉકરડો કહેવામાં આવે છે. ત્યાં લોકો એવાં વસ્ત્રો નાખે છે, જે નિરુપયોગી તેમજ જીર્ણ હોય અર્થાતુ સંકર દૂષ્ય એટલે ઉકરડા ઉપરથી લાવેલાં ચીંથરાં. વિરાને – વિકરાલ મુનિના દાંત આગળ નીકળેલા હતા, તેથી તેમનો ચહેરો વિકરાળ લાગતો હતો. મુનિના શરીરમાં પ્રવિષ્ટ યક્ષ :८ जक्खो तहिं तिंदुयरुक्खवासी, अणुकंपओ तस्स महामुणिस्स । पच्छायइत्ता णियगं सरीरं, इमाई वयणाइमुदाहरित्था ॥८॥ શબ્દાર્થ :- તfહં. તે સમયે, ત્યાં, ત- તેમહામુળ - મહામુનિ ઉપર, અનુવપો - અનુકંપા કરનાર, ભક્તિભાવ રાખનાર, હિંદુfહવાસી- તિંદુક નામના વૃક્ષ પર રહેનાર, નવો = યક્ષ, બિયાં પોતાનું, શરીરં શરીર, પછી ફત્તી = છુપાવીને અર્થાત્ મુનિના શરીરમાં પ્રવેશ કરીને, રૂમાડું = આ આગળ કહેવાયેલા, આ પ્રમાણે, વયTIઠું = વચન, ૩૬ દરિસ્થા = કહેવા લાગ્યો. ભાવાર્થ :- સમયે ત્યાં તે મહામુનિ પ્રતિ ભક્તિભાવ રાખનારા હિંદુકવૃક્ષવાસી યક્ષ – દેવ પોતાનું
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy