SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન–૧૧: બહુશ્રુત પૂજા ૨૦૩ | १२ ण य पावपरिक्खेवी, ण य मित्तेसु कुप्पइ । अप्पियस्सावि मित्तस्स, रहे कल्लाण भासइ ॥१२॥ १३ कलह डमर वज्जए, बुद्धे अभिजाइए । हिरिमं पडिसलीणे, सुविणीए त्ति वुच्चइ ॥१३॥ શબ્દાર્થ :- ૩૬ - હવે, પUMદં- પંદર, સાહિં - સ્થાનોથી (પંદર ગુણવાળી વ્યક્તિ), સુવિ ત્તિ = સુવિનીત, નીયાવિત્તી = નમ્ર વૃત્તિવાળો, અવને = ગતિ, સ્થાન, ભાષા અને ભાવ વિષયક ચપળતા રહિત, અમારું - માયા રહિત, અશુદ- ખેલ–તમાશા વગેરે કુતૂહલમાં રુચિ ન રાખનારો, નં ૨ લિજિકુવક કોઈની નિંદા ન કરતો હોય. પરંધું ધ્વ૬. ક્રોધને લાંબા સમય સુધી ન રાખનારો, શીધ્ર શાંત થઈ જનાર, - નિભાવે, સુય. શાસ્ત્ર જ્ઞાન, તબ્ધ - પ્રાપ્ત કરીને, મmડુ = અભિમાન નથી કરતો, ન ય પવરિષેવીને બીજાની ભૂલને લંબાણથી પ્રગટ ન કરે, મિત્તલુ - મિત્ર પર, ન સુપ - ક્રોધ કરતો નથી તથા, ખ્રિસ્ત - અપ્રિય, મિત્તલ્સ - મિત્રની, જિ- પણ, હે - પીઠ પાછળ, વહાણ માત - ભલાઈ જ કરે, તેમના ગુણોની પ્રસંશા કરે, નહ ઇમરવMણ - જે કલેશ તોફાન, હુલ્લડથી દૂર રહે છે, આમળાફા-કુળવાન, ગુણવાન, સંસ્કારી, હિર - લજ્જાવાન, સંતીને - ઇન્દ્રિયોનું ગોપન કરનાર, યુદ્ધ - તત્ત્વજ્ઞ સાધુ. ભાવાર્થ :- પંદર કારણો અર્થાત્ પંદર ગુણોને ધારણ કરનાર સાધક સુવિનીત કહેવાય છે –(૧) જે નમ્ર બની રહે છે, (૨) ચંચળતા કે ચપળતા રહિત છે, (૩) માયા, દંભ કે છલથી રહિત છે, (૪) ખેલ તમાશા વગેરે જોવામાં ઉત્સુક નથી, (૫) કોઈને તિરસ્કારતો નથી, (૬) ક્રોધમાં લાંબા સમય સુધી રહેતો નથી, (૭) મૈત્રીભાવ રાખનાર પ્રતિ કૃતજ્ઞાતા રાખે છે અર્થાત્ મિત્રતા ટકાવે છે, (૮) શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરી મદ કરતો નથી, (૯) અલના થવા પર બીજાની નિંદા કરતો નથી, (૧૦) મિત્રો પર ક્રોધિત થતો નથી, (૧૧) પ્રિય મિત્રના પણ એકાંતમાં ગુણાનુવાદ કરે છે, (૧૨) વાણી, કલહ અને મારામારીથી દૂર રહે છે, (૧૩) તત્ત્વજ્ઞાની, સુંદર સ્વભાવી અને સંસ્કારી હોય છે, (૧૪) લજ્જાશીલ હોય છે, (૧૫) ઈન્દ્રિયોનું ગોપન કરનાર અને વિવેકી હોય છે, એવા બુદ્ધિમાન સાધક સુવિનીત કહેવાય છે. વિવેચન : વાં જોહી -જે વારંવાર ક્રોધ કરે છે કે ક્ષણ ક્ષણમાં ક્રોધ કરે છે, કારણ કે અકારણ ક્રોધ કરતો જ રહે છે. પર્વવું જ પશુધ્ય – (૧) જે અવિચ્છિન્ન રૂપથી અર્થાત્ નિરંતર તીવ્ર ક્રોધ કરે છે. સમજાવવા છતાં ઉપશાંત થતો નથી. (૨) વિકથા આદિમાં નિરંતર પ્રવૃત્ત રહે છે. ત્તિનો વમદ્ – પ્રકૃતિની પ્રચંડતાને કારણે અથવા માયા કપટને કારણે કોઈની સાથે મિત્રતા ટકાવે નહીં અને તુચ્છ વાત માટે મિત્રતા તોડી નાંખે અર્થાત્ કોઈની સાથે મિત્રતા નિભાવે નહીં.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy