________________
[ ૧૮૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
વેદ - વિદેહ દેશની રાજધાની મિથિલાને વૈદેહી કહેવાય છે અને વિદેહ દેશમાં ઉત્પન્ન થનારી કન્યાને પણ વૈદેહી કહે છે. સંતા :- મિથ્યાત્વનો નાશ થવાથી જેણે જીવાદિ તત્ત્વોને જાણી લીધાં છે, ધર્મને સમજી ગયા છે. ડિયા :– જેણે શાસ્ત્રોના અર્થને સુનિર્ણિત કરી દીધા છે. નિયfgT :- અત્યંત અભ્યાસી હોવાથી શ્રમણક્રિયામાં પ્રવીણ છે, દક્ષ છે.
ઉપસંહાર :- સાધક સંસારને પ્રિય અને અપ્રિય એમ બે વિભાગમાં વિભાજિત કરતા નથી પરંતુ તેઓ સાંસારિક સુખોનો, આસક્તિનો તથા કષાયોનો ત્યાગ કરવામાં જ આનંદ અનુભવે છે. વૈરાગ્ય રસથી ભરેલા આ અધ્યયનનાં ચિંતન મનનથી સાધકે સદા વૈરાગ્યભાવમાં લીન રહેવું જોઈએ.
I અધ્યયન-૯ સંપૂર્ણ II