________________
| ૧૩૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- પ્રજ્ઞાવાન સાધકની મૃત્યુ પછી દેવલોકમાં અનેક નયુત વર્ષની અર્થાત્ પલ્યોપમ અને સાગરોપમ જેટલા અસંખ્યાતકાળની સ્થિતિ હોય છે. દુબુદ્ધિ માનવ સો વર્ષથી પણ ઓછા આયુષ્યવાળા માનવભવના તુચ્છ સુખ માટે દીર્ઘકાલીન દિવ્ય સુખોને ગુમાવી દે છે. વિવેચન :
આ ગાથામાં બે દષ્ટાંત દ્વારા કામભોગની અસારતા પ્રદર્શિત કરી છે (૧) કાકિણી માટે હજાર સોનામહોર ગુમાવનાર (૨) આમ્રફલાસક્ત રાજા, આ બંને દષ્ટાંત અધ્યયન પરિચયમાં આપ્યા છે. વાળ :- (૧) ચૂર્ણિ અનુસાર એક રૂપિયાની ઐસી કાકિણી થાય. (૨) બૃહદ્રવૃત્તિ અનુસાર વસ કોડીઓની એક કાકિણી (૩) સંસ્કૃત-ઈગ્લિશ ડિકશનરી અનુસાર પળનાં ચતુર્થ ભાગની કાકિણી થાય છે. અર્થાતુ વીસ માસાનો એક પળ હોય છે, તે મુજબ પાંચ માસાની એક કાકિણી હોય છે (૪) કોશ અનુસાર કાંકણી એટલી વીસ કોડીના મૂલ્યનો એક સિક્કો છે. સદઉં :- સહસ્સ શબ્દથી હજાર કાર્દાપણ ઉપલક્ષિત છે. પ્રાચીન કાળમાં કાર્દાપણ એક પ્રકારનો સિક્કો હતો, તે યુગમાં તેનું ચલણ હતું, તે સોના, ચાંદી, ત્રાંબા એમ ત્રણે ય ધાતુઓનો બનતો હતો. સુવર્ણ કાર્દાપણ ૧૬ માસાનો, ચાંદી કાર્દાપણ ડર રતીનો અને તામ્ર કાર્દાપણ ૮૦ રતી જેટલા વજનવાળો થતો હતો. સવાલાખથા :- નયુત એક સંખ્યાવાચક શબ્દ છે. તે પદાર્થોની ગણનામાં અને આયુષ્યકાળની ગણનામાં પ્રયુક્ત થાય છે. અહીં તે શબ્દથી આયુષ્યકાળની ગણના કરી છે તેથી તેની પાછળ વર્ષ શબ્દ જોડાયેલો છે. એક નયુતની વર્ષ સંખ્યા ૮૪ લાખ નયુતાંગ છે. અનેક શબ્દોથી સંખ્ય–અસંખ્ય બંનેનો સમાવેશ થઈ જાય છે માટે અહીં અનેક નયુત વર્ષથી પલ્યોપમ–સાગરોપમ જેટલાં વર્ષોનું કથન છે.
ત્રણ વણિકોનું દષ્ટાંત :१४ जहा य तिण्णि वाणिया, मूलं घेत्तूण णिग्गया ।
एगोऽत्थ लहइ लाह, एगो मूलेण आगओ ॥१४॥ |१५ एगो मूलं पि हारित्ता, आगओ तत्थ वाणिओ ।
ववहारे उवमा एसा, एवं धम्मे वियाणह ॥१५॥ શબ્દાર્થ :- નહીં ય - જે રીતે, સિuિr -ત્રણ, વાળિયા -વણિક, મૂત્ર - મૂળ-સંપતિ, જૂળ • લઈને, ઉપવા - વ્યાપારને માટે નીકળ્યા, ગલ્થ - તેમાંથી, પો - એક, તાદ - લાભ, નફ - પ્રાપ્ત કરીને આવ્યો, મૂળ મૂળ સંપત્તિ લઈને જ, બાયો - પાછો આવ્યો, તલ્થ - તેમાંથી, વાળો - ત્રીજો વણિક, મૂત્ર - મૂળ-સંપત્તિ પણ, હરિતા હારીને, ખોઈને, પક્ષ - આ, ૩૧મ - ઉપમા, વવારે - વ્યવહારમાં, વ્યાપાર સંબંધમાં છે, પર્વ - આ રીતે, ને - ધર્મમાં પણ,