SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ [ 2 ] શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧ તૃપ્ત થતાં નથી અર્થાત્ નિર્વેદભાવને, વિરક્તિભાવને પ્રાપ્ત કરતા નથી. દ મ્ય-સર્દિ સમૂહ, તુરિયા વદુવેયT I अमाणुसासु जोणीसु, विणिहम्मति पाणिणो ॥६॥ શબ્દાર્થ :- મૂર્દિ - કર્મોના સંયોગથી, સમૂદા - મૂઢ બનેલા, કુરિયા - માનસિક દુઃખથી દુઃખી, વહુવેયણ - અતિશય શારીરિક વેદનાવાળા, પાળિો - પ્રાણી, બાપુલાલુ - મનુષ્યયોનિ સિવાય બીજી નરકાદિ, ગોળાતું - યોનિઓમાં, વિપતિ - અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. ભાવાર્થ :- કર્મ સંગથી અતિ મૂઢ, દુઃખિત અને અત્યંત વેદનાથી યુક્ત પ્રાણી, મનુષ્યતર યોનિમાં જન્મ લઈ, ફરી ફરી ત્રાસ પામી દુઃખી થતાં રહે છે. कम्माणं तु पहाणाए, आणुपुव्वी कयाइ उ । जीवा सोहिमणुप्पत्ता, आययति मणुस्सयं ॥७॥ શબ્દાર્થ - યર્િ = કયારેક, માધુપુળી = ક્રમશઃ, મ્મમાં મનુષ્યગતિ પ્રતિબંધક કર્મોનો, અશુભ કર્મોનો, પહાણ નાશ થવાથી, નહિં. કર્મક્ષયરૂપ શુદ્ધિને, આત્મશુદ્ધિને, આત્મ વિકાસને, ગુખત્તા = પ્રાપ્ત થયેલા, નવા = જીવો, મનુસ્મર્થ - મનુષ્યજન્મને, આવેતિ - પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - કાલક્રમે ક્રમશઃ કર્મોનો ક્ષય થવાથી જીવોની શુદ્ધિ થાય છે અને તેના ફળસ્વરૂપે તેને મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. વિવેચન : મનુષ્યત્વ પ્રાપ્તિમાં બાધક કારણોઃ- (૧) એકન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ભિન્ન પ્રકારવાળી જાતિઓમાં જન્મ (૨) દેવલોક, નરકભૂમિ, તેમજ આસુરકાયમાં જન્મ (૩) તિર્યંચગતિ, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિયમાં જન્મ (૪) રાજા આદિની જેમ ભોગ સાધનોની પ્રચુરતાને કારણે સંસારદશાથી અવિરક્તિ (૫) મનુષ્યતર યોનિઓમાં સમૂઢતા (બેભાન દશા) તેમજ વેદનાને કારણે મનુષ્યત્વ પ્રાપ્તિનો અભાવ (૬) મનુષ્યગતિ બાધક કર્મોનો ક્ષય ન થવો (૭) મનુષ્યા, બંધને અનુરૂપ આત્મશુદ્ધિનો અભાવ. મનુષ્યત્વની દુર્લભતા આદિ વિષયને દસ દષ્ટાંતો દ્વારા સમજાવ્યા છે, તે આ પ્રમાણે છે – चुल्लग पासगधन्ने, जूए रयणे य सुमिण चक्के य । વખ્ય ગુણો પરમા, વલ વિતા મધુ તમે ITદ્દા ઉત્તરા. નિર્યુક્તિ (૧) ચુલ્લક (ભોજન માટેનું ઘર) - બ્રહ્મદત્તરાજા ચક્રવર્તીપદ પ્રાપ્ત થતાં એક બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા. તેની આગ્રહ ભરેલી ઈચ્છાનુસાર ચક્રવર્તીના છ ખંડના રાજયમાંથી પ્રતિદિન એક એક ઘરેથી
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy