SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૦] શ્રી ચંદ્રસૂર્ય પ્રશપ્તિ સૂત્ર |४ ता एगमेगेणं मुहुत्तेणं णक्खत्ते केवइयाई भागसयाई गच्छइ ? ता ज-जं मंडलं उवसंकमित्ता चारं चरइ तस्स-तस्स मंडलपरिक्खेवस्स अट्ठारस पणईसे भागसए गच्छइ, मंडल सयसहस्सेणं अट्ठाउणउईए सएहिं छेत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- નક્ષત્ર પ્રતિમુહૂર્તમાં મંડલ-પરિધિના કેટલા ભાગ ઉપર ગમન કરે છે? ઉત્તરનક્ષત્ર જે જે મંડલ ઉપર પરિભ્રમણ કરતો હોય છે, તે-તે મંડલની પરિધિના ૧૩૫ ભાગ ઉપર પ્રતિ મુહૂર્તમાં ગમન કરે છે અર્થાત્ એક મંડલના એક લાખ અટ્ટાણુ સો ભાગમાંથી નક્ષત્ર એક મુહૂર્તમાં અઢ રિસો પાંત્રીસ ભાગને પાર કરે છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રોની અંશ (ભાગ) રૂપે મુહૂર્તગતિનું કથન છે. નક્ષત્રના ચંદ્ર-સૂર્યના યોગ ક્ષેત્રના આધારે મંડળ પરિધિની અંશરૂપે ગણના કરી મુહૂર્તગતિ પ્રગટ કરી છે. છપ્પન નક્ષત્રો પોત-પોતાના યોગકાળ દરમ્યાન જે જે ક્ષેત્રમાં યોગ કરે છે, તે સર્વ યોગ ક્ષેત્રનો ક્ષેત્ર વિસ્તાર ૧,૦૯,૮૦૦ અંશાત્મક છે. તે અંશભાગ રૂપ સીમા વિખંભમાંથી એક મુહૂર્તમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર કેટલું ગમન કરે છે? તે સૂત્રકારે સમજાવ્યું છે. અંશરૂપે નક્ષત્ર મંડળનો સીમા વિસ્તાર :- એક અહોરાત્રના ૬૭ ભાગની કલ્પના કરીએ તો સમ ક્ષેત્રી નક્ષત્રના ૬૭ ભાગ, અર્ધ ક્ષેત્રી નક્ષત્રના સાડાતેત્રીસ (૩૩) ભાગ અને સાર્ધ ક્ષેત્રી નક્ષત્રના સાડા સો (૧૦૦) ભાગ થાય. સમ ક્ષેત્રી વગેરે નક્ષત્રોના અંશ–ભાગ શોધવા ૬૭થી ગુણતા સમ ક્ષેત્રી નક્ષત્ર ૧૫ x ૬૭ અંશ = ૧,૦૦૫ અંશ. અર્ધ ક્ષેત્રી નક્ષત્ર ૬૪ ૬૭ અંશ = ૪૦૦ અંશ સાર્ધ(દોઢ) ક્ષેત્રી નક્ષત્ર ૬૪ ૬૭ અંશ = ૪૦૦ અંશ અને અભિજિત નક્ષત્રના ૨૧ અંશ છે. આ સર્વનો સરવાળો કરતાં ૧,૦૦૫ + ૪૦ + ૪૦ + ૨૧ = ૧,૮૩૦ અંશ પ્રાપ્ત થાય છે. આ રીતે ૨૮ નક્ષત્રના ૧,૮૩૦ અને ૫૬ નક્ષત્રના ૧૮૩૦ + ૧૮૩૦ = ૩,૬૦ અંશ થયા. પ્રત્યેક નક્ષત્ર એક મુહૂર્તમાં આટલા અંશો ચાલે છે તેથી એક અહોરાત્રના ૩૦ મુહૂર્તથી ગુણતા ૩, ૬૦ x ૩૦ = ૧,૦૯,૮૦૦ અંક(ભાગ) પ્રાપ્ત થયા. એક મંડળના ૧,૦૯,૮00 અંશમાંથી ચંદ્ર એક મુહૂર્તમાં ૧,૭૬૮ અંશ, સૂર્ય ૧,૮૩૦ અંશ, અને નક્ષત્ર ૧,૮૩૫ અંશ ચાલે છે. ચંદ્રની અંશાત્મક મુહૂર્ત ગતિ :- એક યુગમાં પ્રત્યેક(બે) ચંદ્ર ૮૮૪-૮૮૪ અર્ધ મંડળ અર્થાત્ ૮૮૪ * ૨ = ૧૭૬૮ અર્ધ મંડળ ચાલે છે. એક યુગના ૧૮૩) અહોરાત્ર છે. ચંદ્રો ૧૭૬૮ અર્ધ મંડળ ૧૮૩૦ અહોરાત્રમાં પાર કરે છે, તો ૨ અર્ધ મંડળ(એક પરિપૂર્ણ મંડળ)ને ચાલવામાં કેટલો સમય લાગે? આ
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy