SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર | શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ता से णं केवइए राइंदियग्गेणं आहिएति वएज्जा ? ता तिण्णि सत्तावीसे राइंदियसयं एक्कावण्णं च सत्तट्ठिभागे राइंदियस्स राइंदियग्गेणं आहिएति वएज्जा । ता से णं केवइए मुहुत्तग्गे णं आहिएति वएज्जा ? ता णव मुहुत्तसहस्साई अट्ठ य बत्तीसे मुहुत्तसए छप्पण्णं च सत्तट्ठिभागे मुहुत्तस्स मुहुत्तग्गेणं आहिएति વપુષા | ભાવાર્થ :- પ્રશ્ન- આ પાંચ પ્રકારના સંવત્સરમાંથી પ્રથમ નક્ષત્ર સંવત્સરના નક્ષત્ર માસમાં ૩૦ મુહૂર્તના એક અહોરાત્રના હિસાબે કેટલા અહોરાત્ર થાય છે અર્થાત્ કેટલા અહોરાત્રનો એક નક્ષત્ર માસ છે? ઉત્તર- એક નક્ષત્ર માસના સત્યાવીસ પૂર્ણાક એકવીસ સડસઠાંશ(૨૭) અહોરાત્ર છે. પ્રશ્ન- એક નક્ષત્ર માસના કેટલા મુહૂર્ત છે? ઉત્તર- એક નક્ષત્ર માસમાં આઠસો ઓગણીસ પૂર્ણાક સત્યાવીસ સડસઠાંશ(૮૧૯) મુહૂર્ત હોય છે. આ કાળને બારગણો કરતાં એક નક્ષત્ર સંવત્સર થાય છે. પ્રશ્ન- તેમાં અર્થાત્ બાર નક્ષત્ર માસવાળા એક નક્ષત્ર સંવત્સરના કેટલા અહોરાત્ર છે? ઉત્તરએક નક્ષત્ર સંવત્સરના ૩૨૭ અહોરાત્ર છે. પ્રશ્ન- એક નક્ષત્ર સંવત્સરમાં કેટલા મુહૂર્ત છે? ઉત્તર- એક નક્ષત્ર સંવત્સરના નવ હજાર આઠસો બત્રીસ પૂર્ણાક છપ્પન સડસઠાંશ(૯,૮૩૨ ૫૬) મુહૂર્ત છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં નક્ષત્ર માસ અને નક્ષત્ર સંવત્સરના અહોરાત્ર, દિવસ તથા તેના મુહૂર્તની ગણના બતાવવામાં આવી છે. એક યુગમાં ૧૮૩૦ અહોરાત્ર છે અને પાંચ વર્ષના એક યુગમાં ૬૭ નક્ષત્ર માસ છે. તેથી ૬૭ માસે ૧૮૩૦ અહોરાત્ર થાય તો ૧ માસમાં કેટલાક અહોરાત્ર થાય? આ રીતે ત્રિરાશિ મૂકતા ૧૮૩૦ અહોરાત્ર + ૬૭ માસ = ૨૭ 8 અહોરાત્ર એક નક્ષત્ર માસમાં પ્રાપ્ત થાય છે. ૩૦ મુહૂર્તનો એક અહોરાત્ર છે, તેથી નક્ષત્ર માસના મુહૂર્ત કાઢવા તેના અહોરાત્રને ૩૦ થી ગુણતા ૨૭ & x ૩૦માં ૨૭ ૪ ૧૮.૩૦ ૧૮૩૦, ૩૦, ૫૪,૯૦૦ ના પગ, પ્રતા પક00. પૂર્ણાક કાઢવા ૫૪,૯૦૦ + ૬૦ = ૮૧૯૬૬ મુહૂર્ત ૭ ૧ ૧ ૬૭ નક્ષત્ર માસના પ્રાપ્ત થાય છે. એક નક્ષત્ર વર્ષના અહોરાત્ર શોધવા માટે એક નક્ષત્ર માસના અહોરાત્ર ૨૭૨ સાથે વર્ષના બાર માસથી ગુણતા ૨૭૨ x ૧૨માં ૨૭૪૬૭ = ૧૮૦૯+ ૨૧ = ૧૩૦૪- ૧૨ = ૨૧ % (૨૧,૯૬૦ + ૬૭) = ૩૨૭ 8 અહોરાત્ર એક નક્ષત્ર વર્ષમાં હોય છે અને તેના મુહૂર્ત બનાવવા ૩૨૭૪ x ૩૦ (૩૨૭ x ૩૦) = ૯૮૧૦ પ્રાપ્ત થાય છે અને ૫૧ x ૩૦ = ૧૫૩૦ + ૬૭ = રર , ૯૮૧૦ + રર ! = ૯,૮૩૨ ૫૬ મુહૂર્ત એક નક્ષત્ર સંવત્સરના પ્રાપ્ત થાય છે. ચંદ્ર માસઃ સંવત્સરાદિના અહોરાત્ર મુહૂર્ત સંખ્યા :| ३ ता एएसि णं पंचण्हं संवच्छराणं दोच्चस्स चंदसंवच्छरस्स चंदे मासे
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy