SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રાભૃત-૧૦ઃ પ્રતિપ્રાભૃત-૪ ૧૫ | સુધીનો સમય છે. ત્રીજા પ્રતિપ્રાભૃત કથિત પુcલંબા- પૂર્વ ભાગનો સમાવેશ થા-પ્રાતઃકાળમાં થાય છે, પશ્ચાત્ ભાગનો સમાવેશ સાયં સાયંકાળમાં અને ખાંભા II નો સમાવેશ સાયંકાળમાં થાય છે. સાંયકાળે યોગનો પ્રારંભ કરનારા અર્ધક્ષેત્રી, ૧૫ મુહૂર્તના યોગવાળા નક્ષત્રો તે દિવસ અને તે રાત્રિ સુધી યોગયુક્ત રહે છે. સાંયકાળે યોગનો પ્રારંભ કરનારા સમસ્ત્રી, ૩૦ મુહૂર્તના યોગવાળા નક્ષત્રો તે દિવસ, પછીની રાત્રિ અને પછીના દિવસના મધ્યાહ્ન કાળ સુધી યોગયુક્ત રહે છે. સાંયકાળે યોગનો પ્રારંભ કરનારા દોઢ ક્ષેત્રી, ૪૫ મહુર્તના યોગવાળા નક્ષત્રો તે દિવસ, પછીની રાત, પછીનો દિવસ અને પછીની રાતના કેટલાક મુહૂર્ત પર્યત યોગ યુક્ત રહે છે. પ્રાતઃકાળે-મધ્યરાત્રિ પછી યોગ પ્રારંભ કરનારા અર્ધક્ષેત્રી, ૧૫ મુહૂર્તના યોગવાળા નક્ષત્રો, તે રાત અને પછીના દિવસ પર્યત યોગયુક્ત હોય છે. સમક્ષેત્રી ૩૦ મુહૂર્તના યોગવાળા નક્ષત્રો તે રાત, પછીનો દિવસ અને પછીની રાત્રિ પર્યત યોગયુક્ત રહે છે અને સાર્ધ ક્ષેત્રી ૪૫ મુહૂર્તના યોગવાળા નક્ષત્રો તે દિવસ, રાત્રિ(બે રાત્રિ એક દિવસ) અથવા દિવસ, રાત્રિ, દિવસ(બે દિવસ, એક રાત્રિ) પર્યત યોગયુક્ત રહે છે. નક્ષત્રોના ચંદ્ર સાથેના યોગકાળની ગણના પદ્ધતિ :- ૨૮ નક્ષત્રો ક્રમશઃ ૨૮ અહોરાત્ર(દિવસ)ના, ૮૧૯ છે, કે મુહૂર્તમાં યોગ કરે છે. યુગના પ્રથમ દિવસે સૌ પ્રથમ અભિજિત નક્ષત્ર યોગ કરે છે. યુગનો પ્રથમ દિવસ ૧૭ મુહૂર્તનો હોય છે. તેમાંથી ૯ મુહૂર્ત સુધી અભિજિત નક્ષત્ર યોગમાં હોય છે અને ત્યાર પછી શ્રવણ નક્ષત્ર યોગનો પ્રારંભ કરે છે. શ્રવણ નક્ષત્રનો યોગકાળ ૩૦ મુહૂર્ત છે એટલે પ્રથમ દિવસે ૯૭ મુહૂર્ત પછી તેનો યોગ શરૂ થાય અને ૩૦ મુહૂર્તમાં પ્રથમ રાત્રિ વ્યતીત થઈ જાય અને બીજા દિવસે તેનો યોગ પૂર્ણ થાય છે. દિનમાન અને રાત્રિમાન મુહૂર્તમાં એકસઠીયા ભાગ છે અને નક્ષત્ર યોગ કાળમાં સડસઠીયા ભાગ છે માટે બંનેના એકસઠીયા-સડસઠીયા ભાગ કરવા આવશ્યક બને છે. અભિજિત નક્ષત્રનો યોગકાળ ૯ છુ મુહૂર્ત પ્રમાણ છે. તેમાંથી ૭ ના એકસઠીયા ભાગ કરવા 9 x = થાય, ૧૬૪૭ + ૬૦ = ૨૪ પ્રાપ્ત થાય છે. આ રીતે ૨૪ એકસઠીયા ભાગ અને ૩૯ સડસઠીયા ભાગ પ્રાપ્ત થાય છે. આ રીતે અભિજિત નક્ષત્રનો યોગકાળ ૯ છું, ફ મુહૂર્ત છે. યુગના પ્રથમ દિવસે અભિજિત નક્ષત્રના યોગનો પ્રારંભ થાય છે. યુગનો પ્રથમ દિવસ ૧૭ મુહૂર્ત અર્થાત્ ૧૭ મુહૂર્ત અને એકસઠીયા ૫૯ પ્રમાણ છે. તેમાંથી અભિજિત નક્ષત્રના યોગકાળને બાદ કરતા. ૧૭: ૫૯-૯ઃ ૨૪: ૩૯ આ બાદબાકીમાં એકસઠીયા ૫૯ ભાગમાંથી એક ભાગ લેતાં ૧૭: ૫૮: ૬૭ – ૯ઃ ૨૪ : ૩૯ = ૮ઃ ૩૪: ૨૮ મુહૂર્ત શેષ રહે છે. પ્રથમ દિવસના સૂર્યોદય સમયથી પ્રારંભ કરીને, અભિજિત નક્ષત્ર : ૨૪ : ૩૯ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ યુક્ત રહે છે. દિવસના ૮ઃ ૩૪ : ૨૮ મુહૂર્ત શેષ રહે, ત્યારે અભિજિત નક્ષત્રનો યોગ પૂર્ણ થાય છે અને શ્રવણ નક્ષત્રના યોગનો પ્રારંભ થાય છે. શ્રવણ નક્ષત્રનો યોગકાળ ૩૦ મુહૂર્ત છે. તે પ્રથમ દિવસના ૮ઃ૩૪: ૨૮ મુહૂર્ત, પ્રથમ રાત્રિના ૧૨ ઃ ૦૨: 00 મુહૂર્ત અને બીજા દિવસના ૯: ૨૪: ૩૯ મુહૂર્ત સુધી યોગ કરે છે.
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy