SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૨ | શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર બે સૂર્ય મળીને એક અહોરાત્રમાં એક મંડળ પૂર્ણ કરે છે. એક સૂર્ય એક અહોરાત્રમાં અર્ધમંડળ ચાલે છે અને બીજો સૂર્ય તે જ અહોરાત્રમાં શેષ અર્ધ મંડળ ચાલે છે, બંને સૂર્યના એક-એક અહોરાત્ર થાય પણ પરમાર્થતઃ બંનેના ભેગા કરીએ તો બે અહોરાત્ર થાય. ૧ અહોરાત્રના ૩૦ મુહૂર્ત છે, બે અહોરાત્રના ૬૦ મુહૂર્ત છે. બે સૂર્ય મળીને મુહૂર્તમાં ૧ મંડળ પાર કરે છે. તેથી મંડળની જે પરિધિ હોય તેને ૬૦ થી ભાગતા જે સંખ્યા પ્રાપ્ત થાય, તે તેની મુહૂર્ત ગતિ કહેવાય છે, જેમ કે પ્રથમ સર્વાત્યંતર મંડળની પરિધિ ૩, ૧૫, ૦૮૯ યોજન છે. તેને બે અહોરાત્રના ૬૦ મુહૂર્તથી ભાગ આપતા (૩,૧૫,૦૮૯ + ૬૦ =) ૫,૨૫૧ ૬ યોજન પ્રાપ્ત થાય છે. તે પ્રથમ મંડળ પરની સૂર્યની મુહૂર્તગતિ જાણવી. મહર્તગતિ હાનિ-વૃદ્ધિ ધવાંક :- પ્રત્યેક મંડળની પરિધિ વ્યવહારથી ૧૮, ૧૮ યોજન વૃદ્ધિ પામે છે, (વાસ્તવમાં તો ૧૭ ૪ યોજન પરિધિ વધે છે.) તેથી સૂર્યને પ્રત્યેક મંડળે બે અહોરાત્રમાં ૬૦ મુહૂર્તમાં ૧૮-૧૮ યોજન વધુ ચાલવું પડે છે, તેથી દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળે યોજન પ્રમાણ મુહૂર્તગતિ વધે છે અને ઉત્તરાયણમાં યોજન પ્રમાણ મુહૂર્તગતિ ઘટે છે, જેમ કે પ્રથમ મંડળે સૂર્યની મુહૂર્તગતિ ૫,૨૫૧ ૬ યોજન છે, તેમાં યોજન વધારવાથી ૫,૨૫૧ +) = ૫,૨૫૧ ૭ યોજનાની મુહૂર્તગતિ બીજા મંડળે પ્રાપ્ત થાય છે. આ રીતે સૂર્યની ગતિ ક્રમશઃ વધતી જાય છે. સૂર્યના દષ્ટિપથનું પ્રમાણ : 9 માં બારક ... - * 42 43 - *નામ સંક* A ડ N બવાનપર્વત સતત નીલ વાન પર્વત ગી +નષધ પર્વત છું • જરૂર+નિ ધ « પર્વત ST ભરત દેના , . .. 'મનુ ષ સૂર્યને ..... S માધી મુબોધિત
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy