________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૩૭]
ષાઢા, ઉત્તરાષાઢાને વર્જિન)નો યોગ ચંદ્રની દક્ષિણ દિશાથી જ થાય છે. (૨) ઉત્તરાભિમુખી યોગ :- જે નક્ષત્રો ચંદ્રથી ઉત્તર દિશામાં જ રહીને સાથે ચાલે તેવા નક્ષત્રોનો ચંદ્ર સાથે ઉત્તરાભિમુખી કે ઉત્તર દિશાથી જ યોગ કહેવાય છે. સર્વાત્યંતર મંડળવર્તી ૧૨ નક્ષત્રો ઉત્તરથી જ યોગ કરે છે. (૩) પ્રમર્દ યોગ – જે નક્ષત્રો ચંદ્રની ઉપર કે નીચે સીધાઈમાં રહીને જ સાથે ચાલે તેવા નક્ષત્રોનો ચંદ્ર સાથે પ્રમર્દ યોગ કહેવાય છે. જ્યેષ્ઠા નક્ષત્રને ચંદ્ર સાથે હંમેશા પ્રમર્દ યોગ જ થાય છે.
(૪) ઉત્તર, દક્ષિણ, પ્રમઈ આ ત્રણ પ્રકારના યોગ કરનાર નક્ષત્રો :- મધ્યમંડળ એટલે કે બીજાથી સાતમા નક્ષત્ર મંડળના આઠ નક્ષત્રમાંથી જ્યેષ્ઠાને વર્જિને શેષ ૭ નક્ષત્રનો ચંદ્ર સાથે ત્રણ પ્રકારે યોગ થાય છે. ચંદ્ર જ્યારે બહાર જતો હોય ત્યારે આ ૭ નક્ષત્ર સાથે ઉત્તર દિશાથી યોગ થાય છે. ચંદ્ર જ્યારે અંદર આવતો હોય ત્યારે દક્ષિણ દિશાથી યોગ થાય છે અને જ્યારે નક્ષત્ર વિમાનો ચંદ્ર વિમાનની ઉપર અથવા નીચે સીધાઈમાં આવીને સાથે ગમન કરતા હોય, ત્યારે પ્રમર્દ યોગ થાય છે.
(૫) દક્ષિણ અને પ્રમર્દ, આ બે પ્રકારના યોગ કરનાર નક્ષત્રો :- પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રને ૪-૪ તારા છે. તેમાંથી તેના બે-બે તારા(વિમાન) આઠમા મંડળની અંદર અને બે-બે તારા બહાર છે. બહારના બે તારાની અપેક્ષાએ ચંદ્રનો યોગ દક્ષિણ દિશાથી થાય છે અને અંદરના બે તારાની અપેક્ષાએ ઉપર અથવા નીચે રહેવાથી પ્રમર્દ યોગ થાય છે.
કયા નક્ષત્રોને ચંદ્ર સાથે કેવા પ્રકારનો યોગ થાય છે. તે આ કોષ્ટકથી જાણી શકાય છે.
ચંદ્રયોગ અને નક્ષત્રો :
દક્ષિણાભિમુખી નક્ષત્રો | . આદ્ર, મૃગશિર, પુષ્ય, આશ્લેષા, મૂળ અને હસ્ત ઉત્તરાભિમુખી નક્ષત્રો
૧૨. અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષક, પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી,
પૂર્વાફાલ્યુની, ઉત્તરાફાલ્ગની, સ્વાતિ કેવળ પ્રમર્દ યોગી નક્ષત્રો
જયેષ્ઠા ત્રણે પ્રકારનો યોગ કરનારા નક્ષત્રો | ૭. પુર્નવસુ, મઘા, કૃતિકા, ચિત્રા, રોહિણી, વિશાખા
અને અનુરાધા. ૫ દક્ષિણ અને પ્રમર્દ યોગ આ બે પ્રકારનો ૨. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા.
યોગ કરનારા નક્ષત્રો.