SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર તરફ પ્રયાણ કરે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ગ્રહો, નક્ષત્રો, તારાઓનું એક મંડલથી બીજા મંડલ ઉપર ગમન થતું ન હોવાથી તેને ઉત્તરાયણ, દક્ષિણાયન કે ચાર ક્ષેત્ર નથી. સૂર્યના તાપથી વસ્તુની છાયા–પડછાયો પડે છે. ઉત્તરાયણ–દક્ષિણાયનમાં તે છાયા નાની-મોટી થાય છે. તેની હાનિ-વૃદ્ધિના ક્રમનું વર્ણન આ વક્ષસ્કારમાં છે. ૪૪૬ ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર એ ત્રણેની ગતિની ભિન્નતાના કારણે પોત-પોતાના ભ્રમણ માર્ગ પર ચાલતા ચંદ્ર-નક્ષત્ર, સૂર્ય-નક્ષત્રનું સહભ્રમણ થાય છે, તેનાથી અનેક પ્રકારના યોગ થાય છે. તે વિવિધ યોગોનું, કરણનું, જ્યોતિ દેવ વિમાનોનું, તેના દેવોનું અને ઇન્દ્રાદિનું વર્ણન આ વક્ષસ્કારમાં છે. ગ્રહ અને તારા સંબંધી અલ્પ વર્ણન છે. આ વક્ષસ્કારના અંતમાં જંબુદ્રીપ વર્ણનની સમાપ્તિ કરતા સૂત્રકારે જંબુદ્રીપની લંબાઈ-પહોળ ાઈ આદિનું પુનઃ કથન કરી, જંબૂદ્દીપના નામહેતુનું કથન કર્યું છે. મિથિલા નગરમાં આ 'જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર'ની પ્રરૂપણાના કથન સાથે વક્ષસ્કાર અને સૂત્રની સમાપ્તિ કરવામાં આવી છે. ܀܀܀
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy