________________
૧૦
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૩
સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત શરીરોનું સંસ્થાન પણ જાણવું જોઈએ.
२६ वणस्सइकाइयाणं णाणासंठाणसंठिए पण्णत्ते । एवं सुहुम- बायर-पज्जत्तापज्जत्ताण वि ।
ભાવાર્થ :- વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન વિવિધ પ્રકારનું છે. આ જ રીતે તેના સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના શરીરોનું સંસ્થાન પણ જાણવું જોઈએ.
૨૭ એવિયોરલિયસરીને ળ મતે ! વિ સંતાપસવિદ્ પળત્તે ? નોયમા ! હુંડसंठाण-संठिए पण्णत्ते । एवं पज्जत्तापज्जत्ताण वि । एवं तेइंदिय-चउरिंदियाण वि ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! બેઇન્દ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– હે ગૌતમ ! બેઇન્દ્રિય ઔદારિક શરીરનું હૂંડ સંસ્થાન હોય છે. આ જ રીતે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત શરીરોનું પણ હુંડ સંસ્થાન છે. આ જ રીતે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય ઔદારિક શરીરનું પણ હુંડ સંસ્થાન છે.
|२८ तिरिक्खजोणियपंचेंदियओरालियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते? गोयमा ! छव्विहसंठाणसंठिए पण्णत्ते, तं जहा- समचउरंससंठाणसंठिए जाव हुंडसंठाणसंठिए वि । एवं पज्जत्तापज्जत्ताण वि ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તિર્યંચ પંચદ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન કેવું છે ? ઉત્તર− હે ગૌતમ ! સમચતુરસ સંસ્થાનથી લઈને હુંડ સંસ્થાન સુધી છ પ્રકારના સંસ્થાન હોય છે. આ જ રીતે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત શરીર સંસ્થાનના વિષયમાં પણ જાણવું જોઈએ.
२९ सम्मुच्छिम-तिरिक्खजोणिय-पंचेंदियओरालियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते ? गोयमा ! हुंडसंठाणसंठिए पण्णत्ते । एवं पज्जत्तापज्जत्ताण वि । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! સંમૂર્છિમ તિર્યંચ પંચેંદ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન કેવું છે ? ઉત્તરહે ગૌતમ ! હુંડ સંસ્થાન છે. આ જ રીતે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત શરીરનું પણ હુંડ સંસ્થાન જાણવું જોઈએ. ३०
गब्भवक्कतिय-तिरिक्खजोणिय-पंचेंदिय-ओरालियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते ? गोयमा ! छव्विहसंठाणसंठिए पण्णत्ते, तं जहा - समचउरंसे जाव हुंडसंठाण- संठिए । एवं पज्जत्तापज्जत्ताण वि । एवमेते तिरिक्खजोणियाणं ओहियाणं णव आलावगा।
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન કેવું છે ? ઉત્તર- હે ગૌતમ ! સમચતુરસ્ર સંસ્થાન યાવત્ હુંડ સંસ્થાન, આ છએ પ્રકારના સંસ્થાન હોય છે. આ જ રીતે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત શરીરના પણ છએ સંસ્થાન જાણવા જોઈએ.
આ જ રીતે સમુચ્ચય તિર્યંચયોનિક શરીરના પૂર્વોક્ત પ્રકારે નવ આલાપક થાય છે, જેમ કે– (૧) સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિય, (૨–૩) તેના પર્યાપ્ત-અપર્યાપ્ત; (૪) સમુચ્ચય સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય