SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩ તિર્યંચ ગતિના જીવો અને મનુષ્યના જેટલા ભેદ-પ્રભેદ છે, તેટલા જ ઔદારિક શરીરના ભેદ-પ્રભેદ થાય છે. એકેજિયના વીશ ભેદના વીશ દારિક શરીર–પાંચ એકેન્દ્રિય; પ્રત્યેકના સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા, આ ચાર-ચાર ભેદ છે, તેથી પાંચ એકેન્દ્રિયોના કુલ ૫૪૪ = ૨૦ ભેદ થાય છે,આ ૨૦ ભેદના ૨૦ ઔદારિક શરીર છે. અહીં ચાર ભેદની મુખ્યતાથી બાદર વનસ્પતિના પ્રત્યેક અને સાધારણ રૂપ ભેદોની વિવક્ષા કરી નથી. તેમ છતાં અહીં તેનો નિષેધ નહીં સમજવો, કારણ કે શાસ્ત્રમાં અન્યત્ર તે પ્રકારના ભેદ પણ મળે છે.] ત્રણ વિકસેન્દ્રિયના છ ભેદના છ દારિક શરીર :- ત્રણ વિકસેન્દ્રિયના અપર્યાપ્તા અને પર્યાપ્તાના ભેદથી છ ભેદના છ ઔદારિક શરીર થાય છે. તિયચપસેંદ્રિયના વીશ ભેદના વીશ ઔદારિક શરીર – તિર્યંચ પંચેંદ્રિયના મુખ્ય ત્રણ ભેદ છે– જળચર, સ્થળચર અને ખેચર. તેમાં સ્થળચરના બે ભેદ છે– ચતુષ્પદ અને પરિસર્પ. પરિસર્પના બે ભેદ છેઉરપરિસર્પ અને ભુજપરિસર્પ. આ રીતે તિર્યંચ પંચંદ્રિયના પાંચ ભેદ થાય છે– જળચર, ચતુષ્પદ સ્થળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર. આ પાંચેના ચાર-ચાર ભેદ છે– સંમૂર્છાિમ, ગર્ભજ, અપર્યાપ્તા અને પયોપ્તા; તેથી તિર્યંચ પંચેન્દ્રિયના કુલ પ૪૪ = ૨૦ ભેદ થાય છે. ૨૦ભેદના ૨૦ ઔદારિક શરીર છે. મનુષ્યના ત્રણ ભેના ત્રણ ઔદારિક શરીર - સંમુશ્કેિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે, તેથી તેનો એક ભેદ અને ગર્ભજ મનુષ્યના બે ભેદ છે અપર્યાપ્તા અને પર્યાપ્યા. આ રીતે મનુષ્યના કુલ ત્રણ ભેદના ત્રણ ઔદારિક શરીર થાય છે. આ રીતે સર્વમળીને એકેન્દ્રિયના–૨૦+વિકલૈંદ્રિયના-૬+તિર્યંચ પંચેન્દ્રિયના૨૦+ મનુષ્યના-૩= ૪૯ ભેદ ઔદારિક શરીરના થાય છે. ઔદારિક શરીરના ૪૯ ભેદ એકેન્દ્રિય-૨૦ બેઇન્દ્રિય-ર તેઈન્દ્રિય ચૌરેન્દ્રિય-ર પંચેન્દ્રિય-૨૩ પૃથ્વી ૪ પાણી ૪ અગ્નિ ૪ વાયુ ૪ વન-૪ પર્યાપ્ત અપર્યાપ્ત પર્યાપ્ત અપર્યાપ્ત પર્યાપ્ત અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય ૨૦ મનુષ્ય ૩ સૂક્ષ્મ (૨) બાદર (૨) સંમૂર્છાિમ પર્યાપ્ત અપર્યાપ્ત પર્યાપ્ત અપર્યાપ્ત જલચર સ્થલચર ઉરપરિસર્પ ભુજ ખેચર ગર્ભજ | અપર્યાપ્ત | | | પર્યાપ્ત અપર્યાપ્ત ભજ સંમૂર્છાિમ પર્યાપ્ત અપર્યાપ્ત પર્યાપ્ત અપર્યાપ્ત
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy