SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ | છત્રીસમું પદઃ સમુદ્દઘાત [ ૩૬૩] સંખ્યાતગુણા છે. (૪) તેનાથી વેદના સમુદ્યાતવાળા વાયુકાયિક જીવો વિશેષાધિક છે અને (૫) તેનાથી અસમવહત જીવો અસંખ્યાતગુણા છે. વાયુકાયિકોમાં સમુઘાતોનું અલ્પબદુત્વઃસમુઘાત | પ્રમાણ કારણ ૧ વૈક્રિય સમુદ્યાત | | સર્વથી થોડા બાદર વાયુકાયના પર્યાપ્તા જીવોમાંથી અસંખ્યાતમા ભાગને જ વૈક્રિયલબ્ધિ હોય છે. ૨ | મારણાંતિક સમુદ્દઘાત, અસંખ્યાતગુણા | સૂક્ષ્મ–બાદર, પર્યાપ્તા–અપર્યાપ્તા ચારે ય ભેદોમાંથી ઘણા જીવોને મારણાંતિક સમુદ્દઘાત સહિત મૃત્યુની સંભાવના છે. ૩ | કષાય સમુદ્યાત સંખ્યાતગુણા | મારણાંતિક સમુદ્યાત જીવનમાં એક જ વાર હોય જ્યારે કષાય સમુઘાત જીવનમાં અનેકવાર થાય છે. ૪| વેદના સમુદ્યાત |વિશેષાધિક | અવ્યક્ત કષાય કરતાં અવ્યક્ત વેદના વધુ હોય છે. ૫ (સમુઘાત રહિત) | અસંખ્યાતગુણા | જીવનમાં સમુદ્યાતોનો સમય અલ્પ અને સમુદ્યાત રહિત અવસ્થા અસમવહત વધુ હોય છે. વિકલૈંદ્રિયોમાં સમુદ્ધાત સંબંધી અલ્પબદુત્વઃ- (૧) સર્વથી અલ્પ મારણાંતિક સમુદ્યાતવાળા છે, કારણ કે પૃચ્છા સમયે અમુક જ બેઇન્દ્રિયાદિમાં મૃત્યુનો સંભવ છે. (૨) તેનાથી વેદના સમુદ્યાતવાળા અસંખ્યાત ગુણા છે, કારણ કે બેઇન્દ્રિયાદિ જીવોને ગરમી ઠંડી વગેરે અનેક પ્રકારની વેદના હોય છે. (૩) તેનાથી કષાય સમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે. કારણ કે બેઇન્દ્રિયાદિમાં ક્રોધ કે માયા કષાયની માત્રા વધુ હોય છે. (૪) તેનાથી અસમવહત સંખ્યાતગુણા છે. વિકલેન્દ્રિયોમાં સમુદ્યાતોનું અલ્પબહુત્વઃ| | સમુધાત | પ્રમાણ કારણ ૧| મારણાંતિક સમુદ્રઘાત| સર્વથી થોડા | મૃત્યુ સમયે જ કેટલાક જીવોને હોય છે. ૨| વેદના સમુદ્યાત | અસંખ્યાતગુણા | જીવનમાં અનેકવાર થઈ શકે છે. ઠંડી-ગરમી આદિમાં ઘણાં જીવો તીવ્ર વેદનાનો અનુભવ કરે છે. | ૩] કષાય સમુદુધાત | | સંખ્યાતગુણા માયા કષાયની બહુલતા હોવાથી કષાય સમુઘાત વધુ હોય છે. ૪] અસમવહત- | સંખ્યાતગુણા જીવનમાં સમુદ્યાતોનો સમય અલ્પ અને સમુદ્યાત રહિત અવસ્થા વધુ (સમુદ્યાત રહિત) હોય છે. પદ્રિય તિર્યચોમાં સમદુઘાત સંબંધી અલ્પબહત્વ :- (૧) સર્વથી થોડા તૈજસ સમુદુઘાતવાળા, તિર્યંચ પંચેન્દ્રિયો છે, કારણ કે તિર્યંચ પંચેન્દ્રિયોમાં કોઈકને જ તેજોલબ્ધિ સંભવે છે. (૨) તેનાથી વૈક્રિય સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા, કારણ કે વૈક્રિયલબ્ધિ અધિક તિર્યંચોને હોય છે. (૩) તેનાથી મારણાંતિક સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા કારણ કે વૈક્રિયલબ્ધિ સહિત અને વૈક્રિયલબ્ધિ રહિત ગર્ભજ તિર્યંચ તથા સંમૂર્છાિમ જળચર, સ્થળચર અને ખેચર આદિ પ્રત્યેક જીવોમાં મારણાંતિક સમુદ્યાત સંભવે છે તેથી તે જીવો અસંખ્યાતગુણા થાય છે. (૪) તેનાથી વિકસેન્દ્રિયોની જેમ વેદના સમુદ્રઘાતવાળા અસંખ્યાતગુણા છે.
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy