SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૮ ] શ્રી પન્નવણા સુa: ભાગ-૩ | | કેવળી સમુદ્યાત એક જ વાર થાય છે. જે કેવળી ભગવાનને કેવળી સમુદ્યાત થઈ ગયો હોય અને ત્યાર પછીના અંતર્મુહૂર્ત સુધી તે હજુ મોક્ષગતિને પામ્યા ન હોય તેવા કેવળીની અપેક્ષાએ ભૂતકાલીન એક કેવળી સમુઘાત સમજવો જોઈએ. ભવિષ્યકાલમાં ૨૪ દંડકના એક-એક જીવ કેવળી સમુઘાત કરશે અથવા કરશે નહીં. જે જીવ મોક્ષગમનને અયોગ્ય છે તેવા અભવી જીવો કદાપિ કેવળી સમુઘાત કરશે નહીં અને કેટલાક મોક્ષગમનને યોગ્ય ભવી જીવો કેવળી સમુઘાત કર્યા વિના પણ મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે- અતૂપ સમુપાયપિતા છેવતિ નિણા, નરમર વિપ્રમુજ (વિરાયા કેવળી સમુદ્ઘાત કર્યા વિના અનંત જિનેશ્વરોએ જન્મ-જરા-મરણથી રહિત થઈને શ્રેષ્ઠ એવી સિદ્ધગતિને પ્રાપ્ત કરી છે. જે જીવો ભવિષ્યમાં મનુષ્ય જન્મમાં કેવળી સમુદ્યાત કરશે તે એક જ વાર કરશે કારણ કે કેવળી સમુદ્દઘાત પછી એક અંતર્મુહૂર્તમાં જ જીવનો મોક્ષ થતો હોવાથી કેવળી સમુદ્રઘાત એક જ વાર થાય છે. ૨૪ દંડકમાં એકવચનની અપેક્ષાએ ભૂત-ભવિષ્યકાલીન સમુદઘાત :સમુદ્દઘાત | જીવ ભૂતકાળ ભવિષ્યકાળ જઘન્ય | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ વેદનીયાદિ પાંચ ૨૪ દંડકમાં - | અનંત x/૧-૨-૩ | અનંત આહારક ર૩ દંડકમાં (મનુષ્ય છોડી) | ૪/૧-૨ | x/૧-૨-૩ આહારક મનુષ્યમાં x/૧–૨–૩ | x/૧-૨-૩ કેવળી ૨૩ દંડકમાં | X | X કેવળી | મનુષ્યમાં x/૧ | x ચોવીસ દંડકમાં બહુત્વની અપેક્ષાએ અતીત-અનાગત સમુઠ્ઠાત:|११ णेरइयाणं भंते ! केवइया वेयणासमुग्घाया अतीता ? गोयमा ! अणंता । केवइया पुरेक्खडा? गोयमा ! अणंता । एवं जाव वेमाणियाणं । एवं जाव तेयगसमुग्घाए । एवं एए वि पंच चउवीसा दंडगा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અનેક નરયિકોના ભૂતકાળમાં કેટલા વેદના સમુદ્યાત થયા છે? ઉત્તર- હે ગૌતમ! અનંત થયા છે. પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકોના ભવિષ્યકાલમાં કેટલા વેદના સમદુઘાત થશે ? ઉત્તરહે ગૌતમ ! અનંત થશે. આ જ રીતે વૈમાનિકો સુધીના સર્વ દંડકના જીવોમાં ભૂત અને ભવિષ્યકાળમાં અનંત વેદના સમુદ્યાત થયા છે અને થશે. આ જ રીતે તૈજસ સમુઘાત સુધી જાણવું જોઈએ. આ રીતે પાંચ સમુઘાતોનું ભૂત-ભવિષ્યકાલીન કથન ચોવીસ દંડકોમાં જાણવું જોઈએ. |१२ णेरइयाणं भंते ! केवइया आहारगसमुग्घाया अतीता ? गोयमा ! असंखेज्जा । केवइया पुरेक्खडा? गोयमा ! असंखेज्जा । एवं जाव वेमाणियाणं, णवर- वणस्सइकाइयाणं मणूसाण य इमं णाणत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નરયિકોના ભૂતકાળમાં કેટલા આહારક સમુદ્યાત થયા છે? x/૧ | X | 1 |
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy