SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું વૈરિયકો અનંતરાહારક હોય છે ? ત્યાર પછી તેઓના શરીરની નિષ્પતિ થાય છે ? ત્યારપછી પર્યાદાનતા–પુદ્ગલોનું ગ્રહણ થાય છે ? પછી તેનું ઇન્દ્રિયાદિ રૂપે પરિણમન થાય છે ? ત્યાર પછી પરિચારણા કરે છે અને ત્યાર પછી વિપુર્વણા કરે છે ? ૩૦૨ ઉત્તર– હા, ગૌતમ ! નૈરિયકો અનંતરાહારક હોય છે, પછી તેઓના શરીરની નિષ્પત્તિ(રચના) થાય છે, ત્યારપછી પુદ્ગલ ગ્રહણ અને તેનું પરિણમન થાય છે, ત્યારપછી પરિચારણા અને ત્યાર પછી વિકુર્વણા કરે છે. ३ असुरकुमारा णं भंते ! अणंतराहारा, तओ णिव्वत्तणया, तओ परियाइयया तओ परिणामणया, तओ विउव्वणया, तओ पच्छा परियारणया ? गोयमा ! असुरकुमारा अणंतराहारा, तओ णिव्वत्तणया जाव तओ पच्छा परियारणया । एवं जाव थणियकुमारा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! શું અસુરકુમારો પણ અનંતરાહારક હોય છે ? ત્યાર પછી તેઓના શરીરની નિષ્પત્તિ થાય છે ? પછી તેઓ ક્રમશઃ પુદ્ગલ ગ્રહણ, તેનું પરિણમન, વિકુર્વણા અને ત્યાર પછી પરિચારણા કરે છે ? ઉત્તર– હા, ગૌતમ અસુરકુમારો અનંતરાહારી હોય છે, પછી તેઓના શરીરની નિષ્પત્તિ થાય છે યાવત્ ત્યાર પછી તેઓ પરિચારણા કરે છે. આ જ રીતે સ્તનિતકુમાર સુધી જાણવું જોઈએ. ४ पुढविक्काइया णं भंते ! अणंतराहारा, तओ णिव्वत्तणया, तओ परियाइयणया, तओ परिणामणया य, तओ परियारणया, तओ विउव्वणया ? हंता गोयमा ! तं चैव जाव परियारणया, णो चेव णं विउव्वणया । एवं जाव चउरिंदिया, णवरं - वाउक्काइया पंचेंदियतिरिक्खजोणिया मणुस्सा य जहा णेरइया । वाणमंतर-जोइसिय-वेमाणिया जहा असुरकुमारा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું પૃથ્વીકાયિકો અનંતરાહારક હોય છે ? પછી તેઓના શરીરની નિષ્પત્તિ થાય છે ? તત્પશ્ચાત્ પુદ્ગલ ગ્રહણ, પરિણમન, પરિચારણા અને ત્યાર પછી શું વિકુર્વણા કરે છે ? ઉત્તર– હા, ગૌતમ ! પૃથ્વીકાયિકોની વક્તવ્યતા યાવત્ પરિચારણા પર્યંતનું કથન આ જ રીતે જાણવું જોઈએ, પરંતુ તેઓ વિકુર્વણા કરતા નથી. આ જ રીતે ચૌરેન્દ્રિય સુધી કથન કરવું જોઈએ; વિશેષતા એ છે કે વાયુકાયિક, પંચેંદ્રિય તિર્યંચ અને મનુષ્યોના વિષયમાં નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોની વક્તવ્યતા અસુરકુમારોની વક્તવ્યતાની સમાન જાણવી જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં જીવોના વિષયમાં અનંતરાહાર આદિ છ બોલોના ક્રમની વિચારણા છે. છ બોલના વિશેષાર્થ આ પ્રમાણે છે– અનંતરાહાર– ઉત્પત્તિ ક્ષેત્રમાં ઉત્પન્ન થતાં જ આહાર કરવો. નિર્વર્તના– શરીરની નિષ્પત્તિ(રચના). પર્યાદાનતા– શરીર રચના થયા પછી અંગ-ઉપાંગ દ્વારા લોમાહારથી પુદ્ગલોને ગ્રહણ કરવા. પરિણમન– ગ્રહિત પુદ્ગલોને શરીર, ઇન્દ્રિય આદિરૂપે પરિણત કરવા. પરિચારણા– યથાયોગ્ય શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરવો. વિધુર્વણા– વૈક્રિય લબ્ધિના સામર્થ્યથી વિક્રિયા કરવી.
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy