SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩ પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે પૃથ્વીકાયિક જીવો સાકારપશ્યતાવાળા છે, અનાકાર પશ્યતાવાળા નથી? ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાયિકોમાં એકમાત્ર શ્રુતઅજ્ઞાન સાકારપશ્યતા હોય છે. તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે પૃથ્વીકાયિક જીવો સાકારપશ્યતાવાળા છે, અનાકાર પશ્યતાવાળા નથી. આ જ રીતે અપ્લાયિકથી લઈને વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. |१६ बेइंदियाणं भंते ! पुच्छा ? गोयमा ! सागारपस्सी, णो अणागारपस्सी । से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! बेइंदियाणं दुविहा सागारपासणया पण्णत्ता । तं जहा- सुयणाणसागारपासणया य सुयअण्णाणसागारपासणया य । से तेणटेणं गोयमा ! एवं qq I tવ તેલિયા વિI ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! બેઈન્દ્રિય જીવો સાકારપશ્યતાવાળા છે કે અનાકારપશ્યતાવાળા છે? ઉત્તર- હે ગૌતમ! તેઓ સાકારપશ્યતાવાળા છે, અનાકારપશ્યતાવાળા નથી. પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે બેઇન્દ્રિય જીવો સાકારપશ્યતાવાળા છે, અનાકારપશ્યતા વાળા નથી? ઉત્તર- હે ગૌતમ! બેઇન્દ્રિય જીવોને બે પ્રકારના સાકાર પશ્યતા હોય છે, યથા- શ્રુતજ્ઞાન સાકાર પશ્યતા અને શ્રુતઅજ્ઞાન સાકારપશ્યતા. તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે બેઇન્દ્રિય સાકારપશ્યતાવાળા છે, અનાકારપશ્યતાવાળા નથી. આ જ રીતે તે ઇન્દ્રિય જીવોના વિષયમાં પણ કથન કરવું જોઈએ. १७ चउरिंदियाणं भंते ! पुच्छा? गोयमा ! चउरिंदिया सागारपस्सी वि अणागारपस्सी वि । से केणतुणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! जे णं चउरिदिया सुयणाणी सुयअण्णाणी ते णं चउरिदिया सागारपस्सी, जे णं चउरिदिया चक्खुदंसणी ते णं चउरिदिया अणागारपस्सी । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ । मणूसा जहा जीवा । अवसेसा जहा णेरइया जाव वेमाणिया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ચૌરેન્દ્રિયની પશ્યતા વિષયક પૂર્વવત્ પ્રશ્નો? ઉત્તર- હે ગૌતમ! ચોરેન્દ્રિય જીવોને સાકારપશ્યતા અને અનાકારપશ્યતા પણ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ચૌરેન્દ્રિય જીવોને સાકાર અને અનાકાર પશ્યતા હોય છે? ઉત્તર- હે ગૌતમ! ચૌરેન્દ્રિયજીવો શ્રુતજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની હોય છે, તેથી તે સાકાર પશ્યતાવાળા અને તે ચક્ષુદર્શની છે, તેથી અનાકારપશ્યતાવાળા છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે ચૌરેન્દ્રિયો સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકારપશ્યતાવાળા પણ છે. મનુષ્યોનું પશ્યતા સંબંધિત કથન સમુચ્ચય જીવોની સમાન જાણવું. શેષ વૈમાનિક સુધીના જીવોના પશ્યતા નૈરયિકોની સમાન જાણવા જોઈએ. કેવળીમાં બંને ઉપયોગની ક્રમિકતા :१८ केवली णं भंते ! इमं रयणप्पभं पुढवि आगारेहिं हेऊहिं उवमाहिं दिटुंतेहिं
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy