SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ રર૬ | શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩ ५३ उवरिमहेट्ठिमाणं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं अट्ठावीसाए, उक्कोसेणं एगूणतीसाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ઉપરિમ અધતન રૈવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અઠ્યાવીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ ઓગણત્રીસ હજાર વર્ષે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. ५४ उवरिममज्झिमाणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कूणतीसाए, उक्कोसेणं तीसाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉપરિમ-મધ્યમ ગ્રેવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ઓગણત્રીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ ત્રીસ હજાર વર્ષે આહારેચ્છા ઉત્પન્ન થાય છે. ५५ उवरिमउवरिमगेवेज्जगाणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं तीसाए, उक्कोसेणं एक्कतीसाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ઉપરિમ-ઉપરિમ રૈવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ત્રીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ એકત્રીસ હજાર વર્ષે તેઓને આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. ५६ विजय-वेजयंत-जयंत-अपराजियाणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कतीसाए, उक्कोसेणं तेत्तीसाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વિજય વૈજયંત, જયંત, અપરાજિત વિમાનના દેવોને કેટલા કાળે આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એકત્રીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ તેત્રીસ હજાર વર્ષે આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. |५७ सव्वट्ठगदेवाणं भंते । पुच्छा? गोयमा ! अजहण्णमणुक्कोसेणं तेत्तीसाए वाससहस्साणं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- પ્રગ્ન- સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્ય-અનુત્કૃષ્ટ(જઘન્ય-ઉત્કૃષ્ટના ભેદ રહિત) તેત્રીસ હજાર વર્ષે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. વિવેચન - પ્રસ્તુત સુત્રોમાં વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના આહાર સંબંધી વર્ણન છે. તે સમગ્ર વર્ણન અસુરકુમાર દેવોની સમાન છે. ઉપર-ઉપરના દેવલોકના દેવોને આહારની ઇચ્છા અલ્પ હોય છે; તેથી તેની આહારેચ્છાનું કાલમાન ક્રમશઃ વધતું જાય છે. દેવોને જ્યારે આહારની ઈચ્છા થાય ત્યારે મન દ્વારા જ શુભ પુદ્ગલોને ગ્રહણ કરે અને પોતાના શરીર રૂપે પરિણત કરે છે, તેથી દેવો મનોભક્ષી કહેવાય છે. પ્રત્યેક જાતિના દેવોની આહારેચ્છામાં તફાવત છે, તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy