SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ | બાવરીનું પદ : ક્રિયા ૮૯ ] ગુણસ્થાન હોય છે. તેમાં કેટલાક જીવો સમકિતી અને કેટલાક મિથ્યાત્વી હોય છે. સમકિતીને મિથ્યાદર્શન ક્રિયા નથી, તેથી ચાર ક્રિયા અને મિથ્યાત્વીને પાંચ ક્રિયા હોય છે. આ રીતે નારકી અને દેવોમાં આરંભિકી આદિ ચાર ક્રિયા અવશ્ય હોય છે, મિથ્યાદર્શન ક્રિયા વિકલ્પ હોય છે. પાંચ સ્થાવર જીવો એકાંત મિથ્યાત્વી હોવાથી તેમાં પાંચ ક્રિયાઓ અવશ્ય હોય છે. ત્રણ વિકલેન્દ્રિયોમાં અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમકિતી હોય છે, પરંતુ મિથ્યાત્વાભિમુખ હોવાથી તે જીવોને મિથ્યાત્વજન્ય મિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા લાગે છે. જે જીવોને મિથ્યાદર્શન ક્રિયા હોય તેને પ્રથમ ચાર ક્રિયા હોય છે. આ રીતે તે જીવોને પણ પાંચ ક્રિયા નિયમતઃ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયોમાં પ્રથમ પાંચ ગુણસ્થાન હોય છે. તેમાં કેટલાક જીવો સમકિતી, કેટલાક મિથ્યાત્વી, કેટલાક દેશ વિરતિ અને કેટલાક અવિરતિ હોય છે, તેથી તે જીવોને પ્રથમની ત્રણ ક્રિયા અવશ્ય હોય છે, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા વિકલ્પ હોય છે, તેમાં મિથ્યાત્વીને પાંચ ક્રિયા, સમકિતીને મિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા છોડીને ચાર ક્રિયા, દેશવિરતિને મિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા અને અપ્રત્યાખ્યાન ક્રિયા છોડીને શેષ ત્રણ ક્રિયા હોય છે. મનુષ્યમાં ચૌદ ગુણસ્થાન હોય છે, તેથી તેમાં પાંચ, ચાર, ત્રણ, બે અથવા એક ક્રિયા વિકલ્પ હોય છે અને કેટલાક જીવો અક્રિય પણ હોય છે. મનુષ્યોમાં મિથ્યાત્વીને પાંચ ક્રિયા, સમકિતીને ચાર ક્રિયા, દેશવિરતિને ત્રણ ક્રિયા, પ્રમત્ત સંયતને આરંભિયા અને માયાવત્તિયા, આ બે ક્રિયા, સરાગી અપ્રમત્ત સંયતને એક માયાવત્તિયા ક્રિયા હોય છે અને અગિયારમાથી ચૌદમા ગુણસ્થાનવર્સી વીતરાગી જીવો આરંભિકી આદિઆ પાંચ ક્રિયાની અપેક્ષાએ અક્રિય હોય છે. આરલ્મિકી આદિ પાંચ કિયાનો પરસ્પર સદ્ભાવઃ| કિયા | ગરાસ્થાન | આરલ્મિકી પરિગ્રહિકમાયાપ્રત્યયા અપ્રત્યાખ્યાન મિથ્યાદર્શન આરંભિકી ક્રિયામાં | ૬ | ભજના | | નિયમો | ભજના | ભજના | પરિગ્રહિક ક્રિયામાં | ૫ | નિયમો નિયમા | ભજના ભજના માયાપ્રત્યયા ક્રિયામાં ભજના ભજના | ભજના અપ્રત્યાખ્યાન ક્રિયામાં| ૪ | નિયમો | નિયમો | નિયમો ભજના | મિથ્યાદર્શન ક્રિયામાં | ૩ | નિયમો | નિયમા | - ૧૦ ભજના ૨૪ દંડકના જીવોમાં આરભિકી આદિ ક્રિયા: કિયા ગણસ્થાન| આરંભિકી | પરિગ્રહિકી | માયાપ્રત્યયા અપ્રત્યાખ્યાન મિથ્યાદર્શન ૧. નારકી–દેવો | ૪ નિયમો નિયમ નિયમા | ભજના ૨. પાંચ સ્થાવર નિયમા | નિયમો | નિયમો | નિયમો | નિયમો ૩. ત્રણ વિકસેન્દ્રિય | ૧, ૨ | નિયમો | નિયમો | નિયમો નિયમો || નિયમો ૪. તિર્યંચ પંચેન્દ્રિય | ૫ | નિયમા | નિયમા | | ભજના | ભજના ૫. સરાગી મનુષ્યો | ૧ થી ૧૦ | ભજના | ભજના નિયમા | ભજના ભજના ૬. વીતરાગી મનુષ્યો| ૧૧ થી ૧૪ | x | X | | X | x નિયમાં
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy