SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૦ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨ સુધીની સમગ્ર વક્તવ્યતા નૈરયિકોના વિષયોમાં પણ જાણવી જોઈએ. આ જ રીતે એકેન્દ્રિયને છોડીને શેષ વૈમાનિક સુધીના દંડક કહેવા જોઈએ. ७९ जीवा णं भंते ! जाइं दव्वाई भासत्ताए गेण्हंति ताई किं ठियाई गेण्हइ ? अठियाई गेण्हइ ? गोयमा ! एवं चेव पुहुत्तेण वि णेयव्वं जाव वेमाणिया । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જીવો જે દ્રવ્યોને ભાષારૂપે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે એકવચનથી કથન કર્યું તે જ રીતે બહુવચનમાં પણ નૈરયિકોથી લઈવૈમાનિકો સુધી સમજી લેવું જોઈએ. ८० जीवे णं भंते ! जाई दव्वाइं सच्चभासत्ताए गेण्हइ ताई किं ठियाई गेण्हइ ? अठियाई गेण्हइ? गोयमा ! जहा ओहियदंडओ तहा एसो वि । णवरं-विगतेदिया ण पुच्छिज्जति एवं मोसभासाए वि सच्चामोसभासाए वि। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! જીવો જે દ્રવ્યોને સત્ય ભાષારૂપે ગ્રહણ કરે છે, શું તે સ્થિતદ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને? ઉત્તર-હે ગૌતમ! જેમ ઔધિક જીવ વિષયક દંડક(આલાપક) છે, તેમજ આ સત્ય ભાષા વિષયક દંડક પણ કહેવો જોઈએ. વિશેષતા એ છે કે અહીં વિકલૈંદ્રિયોના વિષયમાં પૃચ્છા ન કરવી અને તે જ રીતે મૃષા ભાષા તથા મિશ્ર ભાષા દ્રવ્યોના ગ્રહણના વિષયમાં પણ કહેવું જોઈએ. ८१ असच्चामोसभासाए वि एवं चेव, णवरं-असच्चामोसभासाए विगलिंदिया वि पुच्छिज्जति इमेणं अभिलावेणं विगलिदिए णं भंते ! जाइं दव्वाइं असच्चामोसभासत्ताए गेण्हइ ताई किं ठियाई गेण्हइ ? अठियाई गेण्हइ ? गोयमा ! जहा ओहियदंडओ । एवं एए एगत्तपुहत्तेणं दस दंडगा भाणियव्वा । ભાવાર્થ:- વ્યવહાર ભાષા દ્રવ્યોના ગ્રહણના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં વિકસેંદ્રિયોની પૃચ્છા પણ આ પ્રમાણે કરવી જોઈએ પ્રશ્ન- હે ભગવન્! વિકલૈંદ્રિય જીવ જે દ્રવ્યોને વ્યવહાર ભાષા રૂપે ગ્રહણ કરે છે, તો શું તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તરહે ગૌતમ! ઔધિકદંડકની સમાન જાણવું. આ રીતે સમુચ્ચય ભાષાના અને સત્ય વગેરે ચાર ભાષાના તેમ પાંચ એકવચનના અને પાંચ બહુવચનના કુલ દશ આલાપક કહેવા જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ૧૯ દંડકના એક અને અનેક જીવોમાં તેમ જ ચાર પ્રકારની ભાષા માટે ગ્રાહ્ય ભાષા દ્રવ્યની યોગ્યતા સંબંધી અતિદેશાત્મક નિરૂપણ છે. ૨૪ દંડકના જીવોમાંથી પાંચ સ્થાવર જીવોને ભાષા નથી, તેથી તેનું કથન થતું નથી.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy