________________
[ ૮૨ ]
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૨
હોય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોની સચિત્ત યોનિ નથી, અચિત્ત યોનિ હોય છે, મિશ્ર યોનિ નથી. १४ असुरकुमाराणं भंते ! किं सचित्ता जोणी, अचित्ता जोणी, मीसिया जोणी? गोयमा! णो सचित्ता जोणी, अचित्ता जोणी, णो मीसिया जोणी । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમારોની સચિત્ત યોનિ હોય છે, અચિત્ત યોનિ હોય છે કે મિશ્ર હોય છે? ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારોની સચિત્ત યોનિ નથી, અચિત્તયોનિ હોય છે, મિશ્રયોનિ નથી. આ રીતે યાવત્ સ્નતિનકુમારો સુધી જાણવું જોઈએ. १५ पुढविकाइयाणं भंते ! किं सचित्ता जोणी, अचित्ता जोणी, मीसिया जोणी?
गोयमा ! सचित्ता वि जोणी, अचित्ता वि जोणी, मीसिया वि जोणी । एवं जाव चरिंदियाणं । सम्मुच्छिमपंचिंदियतिरिक्खजोणियाणं सम्मुच्छिममणुस्साण य एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પૃથ્વીકાયિક જીવોની સચિત્ત યોનિ હોય છે, અચિત્ત યોનિ હોય છે કે મિશ્ર યોનિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવોની સચિત્ત યોનિ હોય છે, અચિત્ત યોનિ હોય છે અને મિશ્ર યોનિ પણ હોય છે. આ જ રીતે ચોરેન્દ્રિય જીવો સુધી જાણવું જોઈએ.
સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ યોનિકો અને સંમૂર્છાિમ મનુષ્યોની યોનિના વિષયમાં પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ અર્થાત્ તેની સચિત્ત, અચિત્ત અને મિશ્ર, તે ત્રણ પ્રકારની યોનિ હોય છે. १६ गब्भवक्कंतियपंचेदियतिरिक्खजोणियाणं गब्भवक्कंतियमणुस्साण यणो सचित्ता, णो अचित्ता, मीसिया जोणी ।
वाणमंतरजोइसियवेमाणियाणं जहा असुरकुमाराणं । ભાવાર્થ - ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો તથા ગર્ભજ મનુષ્યોની સચિત્ત યોનિ નથી, અચિત્ત યોનિ નથી, પરંતુ મિશ્રયોનિ હોય છે.
વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોનું યોનિ વિષયક કથન અસુરકુમારોની સમાન જાણવું જોઈએ અર્થાત્ દેવોની અચિત્ત યોનિ હોય છે. १७ एएसिणं भंते ! जीवाणं सचित्तजोणीणं अचित्तजोणीणं मीसजोणीणं अजोणीण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ___ गोयमा !सव्वत्थोवा जीवा मीसजोणिया, अचित्तजोणिया असंखेज्जगुणा, अजोणिया अणंतगुणा, सचित्तजोणिया अणंतगुणा । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! આ ઉપરોક્ત સચિત્તયોનિક, અચિત્તયોનિક, મિશ્રયોનિક તથા અયોનિક જીવોમાં કોણ-કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા મિશ્રયોનિક જીવો છે. (કારણ કે તે માત્ર ગર્ભજ તિર્યંચ અને