________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
[ ૪૧ ]
છે. તે પણ સૂક્ષ્મ હોવાથી તેમાં ચાર સ્પર્શ હોય છે. તેનું સર્વ કથન જઘન્ય અવગાહનાની જેમ છે પરંતુ તેમાં વિશેષતા એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ તુલ્ય હોય છે કારણ કે દરેક લોકવ્યાપી સ્કંધની સ્થિતિ એક સમયની હોય છે.
વિસસા પરિણામથી કેટલાય સ્કંધો લોકવ્યાપી થાય છે અને કેવળી સમુદ્દઘાતમાં પણ આત્મપ્રદેશો સાથે કર્મસ્કંધ લોકવ્યાપી બને છે. તેની લોકવ્યાપક થવાની પ્રક્રિયામાં પ્રથમ સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મંથાન અને ચોથા સમયે તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થાય છે. આ રીતે તેની સર્વોત્કૃષ્ટ લોકવ્યાપી અવગાહના એક સમયની હોય છે.
બે આકાશપ્રદેશથી અસંખ્યાત આકાશ પ્રદેશ પર સ્થિત સ્કંધો મધ્યમ અવગાહનાવાળા છે. તેમાં ક્રિપ્રદેશથી લઈને અનંતપ્રદેશી સૂક્ષ્મ અને સ્થૂલ સ્કંધનો સમાવેશ થાય છે. તેથી તેમાં સમુચ્ચય(સર્વ સ્કંધોની) અપેક્ષાએ આઠ સ્પર્શ અને વર્ણાદિ ૨૦ બોલ હોય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ પર્યાયો - ८४ जहण्णढिईयाणं भंते ! पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहण्णठिईए पोग्गले जहण्णठिईयस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्णादि-अट्ठफासपज्जवेहिं य छट्ठाणवडिए । एवं उक्कोसठिईए वि । अजहण्णमणुक्कोसठिईए एवं चेव; णवरं ठिईए वि चउट्ठाणवडिए । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલ સ્કંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલોના અનંતપર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય સ્થિતિનો એક પુદ્ગલ જઘન્ય સ્થિતિના અન્ય પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે, સ્થિતિની અપેક્ષાએ તુલ્ય; અને વર્ણાદિ તથા આઠ સ્પર્શાના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિના પુગલોના પર્યાયોના વિષયમાં પણ કહેવું જોઈએ. મધ્યમ સ્થિતિના પુગલોના પર્યાયોનું કથન પણ પૂર્વવતુ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે સ્થિતિની અપેક્ષાએ તે ચૌઠાણવડિયા છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ પ્રકારની સ્થિતિવાળા પુદ્ગલોના પર્યાયોનું પ્રતિપાદન છે.
એક સમયની સ્થિતિવાળા સ્કંધને જઘન્ય સ્થિતિવાળા ઔધ કહે છે. બે સમયથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા સ્કંધને મધ્યમ સ્થિતિવાળા સ્કંધ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયની સ્થિતિવાળા સ્કંધને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અંધ કહે છે. ત્રણ પ્રકારની સ્થિતિવાળા સ્કંધમાં ક્રિપ્રદેશથી અનંતપ્રદેશી