SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪૨ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે; સ્થિતિની અપેક્ષાએ ચૌહાણવડિયા છે, વર્ણાદિ તથા અંતિમ ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હીનાધિક છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અનંત પ્રદેશ સ્કંધોનું કથન પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ પણ તુલ્ય છે. ६२ अजहण्णमणुक्कोसोगाहणगाणं भंते ! अणंतपएसियाणं पुच्छा ? गोयमा ! अणंता। से केणटेणं भंते एवं वुच्चइ ? ___ गोयमा !अजहण्णमणुक्कोसोगाहणए अणंतपएसिएखंधे अजहण्णमणुक्कोसोगाहणगस्स अणंतपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णादि-अट्ठफासेहिं छट्ठाणवडिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મધ્યમ અવગાહનાવાળા અનંત પ્રદેશ સ્કંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મધ્યમ અવગાહનાવાળા અનંત પ્રદેશી સ્કંધોના અનંત પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! મધ્યમ અવગાહનાવાળો એક અનંત પ્રદેશી અંધ, મધ્યમ અવગાહનાવાળા અન્ય અનંત પ્રદેશી ઢંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; વર્ણાદિ તથા આઠ સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ અવગાહનાવાળા દ્ધિપ્રદેશી ઢંધથી લઈ અનંતપ્રદેશી સ્કંધો સુધીના પર્યાયોનું નિરૂપણ છે. દ્રવ્યથી– દ્વિપ્રદેશથી અનંત પ્રદેશ સુધીના સ્કંધો સ્વયં એક સ્વતંત્ર દ્રવ્ય છે. તેથી તે પ્રત્યેક સ્કંધ દ્રવ્યથી તુલ્ય છે. પ્રદેશથી– દ્ધિપ્રદેશી સ્કંધોમાં બે પ્રદેશ જ હોય, તે જ રીતે દશ પ્રદેશી સ્કંધમાં દશ પ્રદેશ જ હોય છે. આ રીતે દશ પ્રદેશી સુધીના સ્કંધો પ્રદેશથી તુલ્ય છે. સંખ્યાત પ્રદેશ સ્કંધમાં સંખ્યાત પ્રદેશો હોય છે. તેના સંખ્યાતભેદ હોવાથી તેમાં સંખ્યાતમો ભાગ અને સંખ્યાત ગુણ રૂપ ક્રિસ્થાનની ન્યૂનાધિકતા થાય છે, તેથી તેને દુઠ્ઠાણવડિયા કહ્યા છે. અસંખ્યાતપ્રદેશી સ્કંધમાં અસંખ્યાત પ્રદેશો હોય છે અને તેના અસંખ્યાત ભેદ હોવાથી તેમાં પ્રદેશોની અપેક્ષાએ ચાર સ્થાનની ન્યૂનાધિકતા થાય છે, તેથી તેને ચૌઠાણવડિયા કહ્યા છે. અનંતપ્રદેશી સ્કંધમાં અનંત પ્રદેશો છે અને અનંતના અનંત ભેદ હોવાથી તેમાં પ્રદેશોની અપેક્ષાએ છસ્થાનની ન્યૂનાધિકતા હોય છે, તેથી તેને છટ્ટાણવડિયા કહ્યા છે. હિપ્રદેશી ઔધની બે પ્રકારની અવગાહના :- (૧) દ્ધિપ્રદેશી સ્કંધ એક જ આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. યથા-[. (૨) દ્ધિપ્રદેશી સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે બે આકાશ પ્રદેશ તેની ઉત્કૃષ્ટ
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy