________________
[ ૪૨૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
હે ગૌતમ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય આભિનિબોધિકજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય આભિનિબોધિકજ્ઞાની બીજા મનુષ્યથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે, આભિનિબોધિકજ્ઞાનની અપેક્ષાએ તુલ્ય; શ્રુતજ્ઞાન પર્યાયો અને બે દર્શનોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
તે જ રીતે ઉત્કૃષ્ટ આભિનિબોધિકજ્ઞાનીના પર્યાયોના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે આભિનિબોધિકજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય છે; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા છે; શેષ ત્રણજ્ઞાન અને ત્રણ દર્શનોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
અજઘન્ય-અનુત્કૃષ્ટ(મધ્યમ) આભિનિબોધિકજ્ઞાનીના પર્યાયોના વિષયમાં ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાની મનુષ્યોની જેમ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે તથા સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે. શ્રુતજ્ઞાની મનુષ્યોના પર્યાયોના વિષયમાં સંપૂર્ણ કથન મતિજ્ઞાનીની જેમ જ કરવું. ३९ जहण्णोहिणाणीणं भंते ! मणुस्साणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहण्णोहिणाणी मणुस्से जहण्णोहिणाणिस्स मणुस्सस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए तिट्ठाणवडिए ठिईए तिट्ठाणवडिए, वण्णगंधरसफास पज्जवेहिंदोहिंणाणेहिं छट्ठाणवडिए, ओहिणाणपज्जवेहिं तुल्ले, मणपज्जवणाणपज्जववेहिं छट्ठाणवडिए, तिहिं दंसणेहिं छट्ठाणवडिए । एवं उक्कोसोहिणाणी वि । अजहण्णमणुक्कोस ओहिणाणी वि एवं चेव । णवरं ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, सट्ठाणे छट्ठाणवडिए ।
जहा ओहिणाणी तहा मणपज्जवणाणी विभाणियव्वे, णवरं ओगाहणट्ठयाए तिट्ठाण वडिए । जहा आभिणिबोहियणाणी तहा मइअण्णाणी सुयअण्णाणी य भाणियव्वे। जहा ओहिणाणी तहा विभंगणाणी वि भाणियव्वे । चक्खुदंसणी अचक्खुदसणी य जहा आभिणिबोहियणाणी । ओहिदसणी जहा ओहिणाणी । जत्थणाणा तत्थ अण्णाणा णत्थि, जत्थ अण्णाणा तत्थ णाणा णत्थि, जत्थ दसणा तत्थ णाणा वि अण्णाणा वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેના અનંતપર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અવધિજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય અવધિજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ, મતિ-શ્રુત જ્ઞાનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા, અવધિજ્ઞાન પર્યાયોની અપેક્ષાએ તુલ્ય; મન:પર્યવજ્ઞાન પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા અને ત્રણ દર્શનોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.