SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ | ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી] ૨૬૫ કારણ કમ| અસ્તિકાય દ્રવ્ય પ્રમાણ ૧ | ધર્માસ્તિકાય | સર્વથી અલ્પ પ્રત્યેક દ્રવ્ય અખંડ એક દ્રવ્યરૂપ છે. ૨ | અધર્માસ્તિકાય | (પરસ્પર તુલ્ય) ૩| આકાશાસ્તિકાય ૪ | જીવાસ્તિકાય | અનંતગુણા અનંત જીવો સ્વતંત્ર દ્રવ્યરૂપ છે. ૫| પુદ્ગલાસ્તિકાય, અનંતગુણા પરમાણુ, કયણુક, વ્યણુક આદિ પ્રત્યેક સ્વતંત્ર દ્રવ્ય છે. તેમજ પ્રત્યેક સંસારી જીવોના આત્મપ્રદેશો અનંતાનંત કર્મ પુદ્ગલોથી આવરિત છે માટે જીવથી પુદ્ગલ અનંતગુણા થાય. ૬ | અદ્ધાસમય | અનંતગુણા અનંત જીવ અને પુદ્ગલ દ્રવ્ય પર તથા તેની ભૂત અને ભવિષ્ય કાલીન અનંતાનંત પર્યાયો પર કાલવર્તી રહ્યો છે તેથી કાલ દ્રવ્ય ઉપચારથી અનંત દ્રવ્યરૂપ છે માટે તે પુદ્ગલાસ્તિકાયથી અનંતગુણ છે. પ્રદેશોની અપેક્ષાએ પદ્વવ્યોનું અલ્પબદુત્વઃ- (૧-૨) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, આ બંને દ્રવ્યના પ્રદેશો પરસ્પર તુલ્ય અને સર્વથી અલ્પ છે. બંને દ્રવ્યના પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા અર્થાતુ અસંખ્યાત છે. (૩) તેનાથી પ્રદેશોની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંતગુણા છે, કારણ કે જીવો અનંત છે અને એક-એક જીવના આત્મપ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા છે. એવા અનંત જીવોના અનંત અસંખ્યાતા આત્મપ્રદેશો હોવાથી અનંતગુણા છે, (૪) તેનાથી પ્રદેશોની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય અનંતગુણા છે કારણ કે એક જીવના દરેક આત્મ પ્રદેશો પર અનંત-અનંત કર્મ સ્કંધો બંધાયેલા છે. કર્મવર્ગણા સિવાય ઔદારિક, વૈક્રિય આદિ અન્ય અનેક વર્ગણાઓ પણ છે, તેથી જીવાસ્તિકાયના પ્રદેશોથી પગલાસ્તિકાયના પ્રદેશો અનંતગુણા છે. (૫) તેનાથી અદ્ધાકાળના દ્રવ્ય–અપ્રદેશ અનંતણા છે. કારણ કે જીવ-અજીવ દ્રવ્યની વૈકાલિક અનંત-અનંત પર્યાયો પર કાલ દ્રવ્યવર્તી રહ્યું છે.(૬) તેનાથી પ્રદેશોની અપેક્ષાએ આકાશાસ્તિકાય અનંતગુણા છે. કારણ કે લોકથી અલોક અનંતાનંતગુણો વિશાળ છે, તેથી તેના પ્રદેશો સર્વથી વધુ છે. કમ અસ્તિકાય પ્રદેશનું પ્રમાણ કારણ ૧| ધર્માસ્તિકાય | સર્વથી અલ્પ |લોકાકાશના પ્રદેશ પ્રમાણ પ્રદેશો છે. ૨ | અધર્માસ્તિકાય (પરસ્પર તુલ્ય)| જીવાસ્તિકાય || અનંતગુણા | એક-એક જીવના આત્મપ્રદેશો લોકાકાશના પ્રદેશ પ્રમાણ હોવાથી અનંત જીવોના આત્મપ્રદેશો અનંતગુણા થાય. ૪] પગલાસ્તિકાય | અનંતગુણા |પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અનંતાનંત કર્મ સ્કંધોથી આવરિત છે. અદ્ધાસમય અનંતગુણા | કાલ અપ્રદેશી હોવા છતાં જીવ અને પુદ્ગલની પર્યાયો પર વર્તી રહ્યું હોવાથી ઔપચારિક દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલના પ્રદેશોથી અનંતગુણા છે. ૬ | આકાશાસ્તિકાય | અનંતગુણા | અલોકાકાશના પ્રદેશો અનંત છે, તે કાલ દ્રવ્યથી અનંતગુણા છે. પ્રત્યેક દ્રવ્યના દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થનું સ્વતંત્ર અલ્પબહત્વઃ- (૧-૨) સર્વથી થોડા દ્રવ્યની અપેક્ષાએ
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy