SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ અજ્ઞાનની અપેક્ષાએ જીવોન અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા વિભંગજ્ઞાની છે કારણ કે વિર્ભાગજ્ઞાન, મિથ્યાદષ્ટિ નૈરયિકો તથા દેવોમાં અને કોઈ કોઈ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને જ હોય છે. (૨-૩) તેનાથી મતિ-શ્રુત અજ્ઞાની વનસ્પતિકાયના જીવોની અપેક્ષાએ અનંતગુણા છે, તે બંને અજ્ઞાન પણ સહચારી હોવાથી પરસ્પર તુલ્ય છે. કમ જીવ | પ્રમાણ | કારણ ૧| વિભંગાની | સર્વથી થોડા કેટલાક નારકી, દેવો, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં હોય છે. ૨-૩ મતિ-શ્રુત અજ્ઞાની | અનંતગુણા વનસ્પતિકાયની અપેક્ષાએ વધુ છે. પરસ્પર તુલ્ય જ્ઞાની-અજ્ઞાનીની જીવોનું સંમિલિત અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની છે. (૨) તેનાથી અવધિજ્ઞાની પૂર્વવત્ અસંખ્યાત ગુણા છે. (૩–૪) તેનાથી મતિ-શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. (૫) તેનાથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા છે કારણ કે મિથ્યાત્વી નૈરયિકો અને દેવોને ભવપ્રત્યય વિર્ભાગજ્ઞાન હોય જ છે. સમકિતી નૈરયિકો અને દેવોની અપેક્ષાએ મિથ્યાત્વી નૈરયિકો અને દેવો અસંખ્યાતગુણા છે તેથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા થઈ જાય છે. (૬) તેનાથી કેવળજ્ઞાની સિદ્ધોની અપેક્ષાએ અનંતગુણા છે. (૭–૮) તેનાથી મતિ-શ્રુત અજ્ઞાની વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ અનંતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. આ છે | પ્રમાણ કારણ ૧ | મન:પર્યવજ્ઞાની| સર્વથી થોડા | સંયત મનુષ્યોને જ હોય છે. | ૨ | અવધિજ્ઞાની | અસંખ્યાતગુણા | ચારે ગતિના જીવોમાં હોય છે. ૩-૪ મતિ-શ્રુતજ્ઞાની પરસ્પર તુલ્ય | અવધિજ્ઞાન રહિતના સમ્યગ્દષ્ટિ જીવોને પણ હોય છે. અને વિશેષાધિક ૫ |વિર્ભાગજ્ઞાની |અસંખ્યાતગુણા | દેવ-નારકોમાં સમકિતી કરતાં મિથ્યાત્વી જીવો અસંખ્યાતગુણા છે. | | કેવળજ્ઞાની અનંતગુણા સિદ્ધ ભગવાનની અપેક્ષાએ અનંત છે. |-૮ મતિ-શ્રુતઅજ્ઞાની | અનંતગુણા | વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી અનંતગુણા છે. (૧૧) દર્શન દ્વાર :१०५ एएसि णं भंते ! जीवाणं चक्खुदंसणीणं, अचक्खुदंसणीणं, ओहिदसणीणं, केवलदसणीणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ___ गोयमा ! सव्वत्थोवा जीवा ओहिदसणी, चक्खुदंसणी असंखेज्जगुणा, केवलदसणी अणंतगुणा, अचक्खुदंसणी अणंतगुणा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ચદર્શની, અચદર્શની, અવધિદર્શની અને કેવળદર્શની જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા અવધિદર્શની છે, (૨) તેનાથી ચક્ષુદર્શની અસંખ્યાતણા છે, (૩) તેનાથી કેવળદર્શની અનંતગુણા છે, (૪) અને તેનાથી
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy