________________
.
છ દ્રવ્યોનું દ્રવ્ય-ક્ષેત્ર આદિની દૃષ્ટિએ સ્વરૂપ :
ક્રમ દ્રવ્યનું નામ જીવ/અજીવ દ્રવ્યથી
ક્ષેત્રથી
અજીવ એક એક
૧ ધર્માસ્તિકાય
૨ અધર્માસ્તિકાય અજીવ
૩ આકાશાસ્તિકાય
અજીવ
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
લોક પ્રમાણ લોક પ્રમાણ
અનંત
એક લોકાલોક પ્રમાણ અનાદિ-અનંત અરૂપી અનાદિ—અનંત | અરૂપી અનાદિ આનંત રૂપી
અઢીદ્વીપ પ્રમાણ લોકપ્રમાણ
અનંત
લોકના દેશમાગમાં
S જીવાસ્તિકાય જીવ અનંત
ઉપયોગવાન
લોક પ્રમાણ | લોકના દેશભાગમાં
* જીવ અને પુદ્ગલ એક દ્રવ્યની અપેક્ષાએ લોકના એક દેશભાગમાં અને સર્વ દ્રવ્યની અપેક્ષાએ લોકપ્રમાણ છે,
૪
કાળ
અજીવ
૫ પુદ્ગલાસ્તિકાય અજીવ
કાળથી ભાવથી ગુણથી અનાદિ—અનંત | અરૂપી અનાદિ-અનંત 1 અરૂપી સ્થિતિ સહાયક
ગતિ સહાયક
અવગાહન ગુણ વર્તના
ગ્રહણ ગુણ
| અનાદિ—અનંત | અરૂપી
રૂપી અજીવ ઃ– જેમાં રૂપ હોય તેને રૂપી કહે છે. રૂપ એટલે વર્ણ. પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને
સ્પર્શગુણનું સાહચર્ય છે; તેથી રૂપના કથનથી શેષ ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનનું પણ ગ્રહણ થાય છે. ક્યારેક કોઈક સ્કંધમાં કોઈ એક ગુણની પ્રધાનતાથી કથન થતું હોય છે. યથા- કપૂર સુગંધી છે, પરંતુ કપૂરમાં પણ વર્ણ, રસ અને સ્પર્શ હોય જ છે. કપૂર સુગંધી છે, તેવા કથન સમયે તેના વર્ણાદિ ગૌણ બની જાય છે. સંક્ષેપમાં જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તેને રૂપી કહે છે. અજીવ દ્રવ્યોમાં એક પુદ્ગલાસ્તિકાય જ રૂપી છે.
રૂપી પુદ્ગલાસ્તિકાયના ભેદ ઃ– તેના મુખ્ય ચાર ભેદ છે– સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. (૧)äથા– જે પુદ્ગલ અન્ય પુદ્દગલોના મળવાથી પુષ્ટ થાય, પુદ્ગલો છૂટા પડવાથી ઘટી જાય તેને સ્કંધ કહે છે. તેના અનંત પ્રકાર છે. બે પરમાણુ ભેગા થવાથી પ્રિદેશી સ્કંધ બને છે. તે જ રીતે અનંત પરમાણુ ભેગા થવાથી અનંત પ્રદેશી ધ બને છે. તે અનંત પ્રદેશી ધમાંથી કેટલાક પરમાણુઓ છૂટા પડી જાય, તો તે નાનો સ્કંધ બની જાય છે અને અન્ય પરમાણુઓ ભેગા થાય, તો તે મોટો સ્કંધ બની જાય છે. આ રીતે તેમાં વધઘટ થયા કરે છે. (૨) સંધવેસા– સ્કંધ સાથે જોડાયેલા સ્કંધના જ બુદ્ધિ કલ્પિત એક વિભાગને સ્કંધ દેશ કહે છે. સ્કંધના અનંત પ્રકાર હોવાથી સ્કંધ દેશના પણ અનંત પ્રકાર છે. (૩) ધપÇા– સ્કંધ સાથે જોડાયેલા સ્કંધના જ અવિભાજ્ય અંશને સ્કંધ પ્રદેશ કહે છે. તેના પણ અનંત પ્રકાર છે. (૪) પરમાણુ પો વા– સ્કંધથી છૂટા પડેલા અવિભાજ્ય અંશને પરમાણુ પુદ્દગલ કહે છે. ધર્માસ્તિકાય આદિ ત્રણે અરૂપી અજીવ દ્રવ્યો અખંડ હોવાથી તેના ખંડ છૂટા પડતા નથી તેથી તેમાં પરમાણુ પુદ્ગલ રૂપ ચોથો ભેદ નથી. પુદ્ગલ દ્રવ્યમાં સંઘટન અને વિઘટન થતું હોવાથી તેમાં પરમાણુ રૂપ ભેદ થાય છે. સ્કંધાદિને લાડવાના માધ્યમે સમજાવવામાં આવે છે
(૧) જેમ અનેક બુંદીઓના દાણા જોડાય ત્યારે તે લાડવો કહેવાય છે, તેમ સંખ્યાત-અસંખ્યાત કે અનંત પરમાણુઓ ભેગા મળે ત્યારે તે સ્કંધ કહેવાય છે.
(૨) લાડવામાં પા, અર્ધો, પોણો વગેરે વિભાગ બુદ્ધિથી કલ્પવામાં આવે, તેમ સ્કંધના બુદ્ધિ કલ્પિત વિભાગો દેશ કહેવાય છે.