SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ૨૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ઉત્તર-હે ગૌતમ! સમયક્ષેત્રની લંબાઈ-પહોળાઈપિસ્તાલીસ લાખ યોજનની છે અને તેની પરિધિ આવ્યંતર પુષ્કરવરદ્વીપની પરિધિની સમાન છે અર્થાત ૧,૪૨,૩૦,૨૪૯(એક કરોડ, બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ) યોજનની પરિધિ છે. | ३४ सेकेणटेणं भंते ! एवं वुच्चइ- माणुसखेत्ते माणुसखेत्ते? गोयमा ! माणुसखेत्तेणं तिविहा मणुस्सा परिवसंति,तं जहा- कम्मभूमगा अकम्मभूमगा अंतरदीवगा। सेतेणटेणंगोयमा ! एवं वुच्चइ-माणुसखेते माणुसखेत्ते। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! મનુષ્ય ક્ષેત્રને મનુષ્ય ક્ષેત્ર કહેવાનું શું કારણ છે? ઉત્તર– હે ગૌતમ! મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ પ્રકારના મનુષ્યો રહે છે, યથા- કર્મભૂમિના મનુષ્યો, અકર્મભૂમિના મનુષ્યો અને અંતરદ્વીપના મનુષ્યો. તેથી તે ક્ષેત્ર મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. |३५ माणुसखेत्ते णं भंते ! कइ चंदा पभासिसुवा पुच्छा ? गोयमा ! बत्तीसं चंदसयं, बत्तीसं चेव सूरियाण सयं । सयलं मणुस्सलोयं, चरेति एए पभासेता ॥१॥ एक्कारस य सहस्सा, छप्पिय सोलगमहग्गहाणंतु । छच्च सया छण्णउया,णक्खत्ता तिण्णि य सहस्सा ॥२॥ अडसीइ सयसहस्सा,चत्तालीस सहस्समणुयलोगम्मि । सत्तय सया अणूणा,तारागणकोडिकोडीण ॥३॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય ક્ષેત્રમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! (ગાથાથી સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પ્રકાશિત કરતાં પરિભ્રમણ કરે છે૧૧૧,૬૧ (અગિયાર હજાર, છસો સોળ) મહાગ્રહો અને ૩,૯(ત્રણ હજાર, છસો છનુ) નક્ષત્રો ચંદ્ર-સૂર્યની સાથે યોગ કરે છે. ૨II ૮૮,૪૦,૭૦૦(અઠ્યાસી લાખ, ચાલીસ હજાર, સાતસો) ક્રોડાક્રોડી તારાઓ મનુષ્ય ક્ષેત્રમાં શોભતા હતા, શોભે છે અને શોભશે.llal વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં મનુષ્ય ક્ષેત્ર સંબંધી નિરૂપણ છે. મનુષ્યક્ષેત્ર - અસંખ્ય દ્વીપ સમુદ્રોમાંથી મધ્યના અઢીદ્વીપ અને બે સમુદ્ર પ્રમાણક્ષેત્રને અઢીદ્વીપ અથવા મનુષ્ય ક્ષેત્ર કહે છે. તેમાં જંબુદ્વીપ, ધાતકીખંડ અને આત્યંતર પુષ્કરદ્વીપ, આ અઢીદ્વીપ અને લવણસમુદ્ર તથા કાલોદધિ સમુદ્ર, આ બે સમુદ્રનો સમાવેશ થાય છે. મનુષ્યોને રહેવાના ૧૦૧ ક્ષેત્રો અઢીદ્વીપમાં જ છે, અઢી દ્વીપક્ષેત્ર એ મનુષ્યોનું સ્વસ્થાન છે, તેથી તેને મનુષ્યક્ષેત્ર કહે છે. તેમાં ત્રણ પ્રકારના મનુષ્યો રહે છે, કર્મભૂમિના મનુષ્યો, અકર્મભૂમિના મનુષ્યો અને અંતરદ્વીપના મનુષ્યો.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy