________________
પ્રતિપત્તિ-૩: દેવાધિકાર
[ ૩૩૧ |
સમાન લાલ ઓષ્ઠવાળા, શ્વેત મોગરાના પુષ્પ સમાન દાંતવાળા, કાળા કેશવાળા, ડાબા કાનમાં એક કંડલના ધારક, ભીના ચંદનથી લિપ્ત શરીરવાળા, શિલિન્દ્ર પુષ્પ જેવી કંઈક રક્ત આભાવાળા અને સંકલેશ ઉત્પન્ન ન કરે તેવા સૂક્ષ્મ અને શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરેલા, પ્રથમ કુમારાવસ્થાને ઓળંગી ગયેલા, બીજી પ્રૌઢાવસ્થાને પ્રાપ્ત નહીં થયેલા અર્થાત્ અતિ પ્રશસ્ત યૌવનમાં પ્રવર્તમાન હોય છે. હસ્તાભરણ અને બીજા શ્રેષ્ઠ આભૂષણોમાં જડિતનિર્મળ મણિ અને રત્નોથી સુશોભિત ભુજાવાળા, દશ મુદ્રિકા વડે સુશોભિત આંગળીઓ- વાળા, પોત-પોતના ચિહ્નોથી અંકિત મુગટવાળા, ચૂડામણિરૂપ અદ્ભૂત ચિહ્નયુક્ત, સુરૂપ, મહદ્ધિક, મહાધુતિમાન, મહાયશસ્વી, મહાબલી, સામર્થ્યયુક્ત, મહાસુખસંપન્ન, હારથી સુશોભિત વક્ષ:સ્થળ- વાળા, કડા અને બાજુબંધથી ચંભિત ભુજાવાળા, અંગદ, કુંડળ અને કપોલ ભાગને સ્પર્શ કરતાં કર્ણપીઠના ધારક, હાથોમાં વિવિધ આભરણો ધારણ કરેલા, મસ્તક પર રંગબેરંગી પુષ્પમાળા ધારણ કરેલા, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો પહેરેલા, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપનના ધારક, દેદીપ્યમાન શરીરયુક્ત, લાંબી વનમાળાના ધારક, દિવ્યવર્ણથી, દિવ્યગંધથી, દિવ્યસ્પર્શથી, દિવ્યસંહનનથી, દિવ્યસંસ્થાનથી, દિવ્યઋદ્ધિથી, દિવ્યતિથી, દિવ્યપ્રભાથી, દિવ્યછાયા(કાંતિ)થી, દિવ્યઅર્ચિ(જ્યોતિ)થી, દિવ્યતેજથી અને દિવ્યલેશ્યાથી દશે દિશાને પ્રકાશિત કરતા, સુશોભિત કરતા વિચરે છે. તે દેવોનું શરીર સદાને માટે મધ્યમ વય એટલે યુવાનીને પ્રાપ્ત, રોગ રહિત, જરાવસ્થા રહિત હોય છે. ભવનપતિદેવોમાં દશે જાતિઓના દેવોના દેહના વર્ણ અને વસ્ત્રના વર્ણ ભિન્ન-ભિન્ન હોય છે. ભવનપતિ દેવોના ભવનોની સંખ્યા, ઋદ્ધિ આદિ – | મ | ભવનપતિના દક્ષિણ | ઉત્તર | દક્ષિણની | ઉત્તરની નામ |દિશાના ઇન્દ્ર | દિશાના ઇન્દ્ર | ભવન | ભવન ભવન
સખા | સંખ્યા સંખ્યા ૧ | અસુરકુમાર | અમરેન્દ્ર | બલીન્દ્ર | ૩૪ લાખ | ૩૦ લાખ | ૬૪ લાખ | ચૂડામણી | કૃષ્ણ | રક્ત ૨ | નાગકુમાર | ધરણેન્દ્ર | ભૂતાનંદેન્દ્ર | ૪૪ લાખ | ૪૦ લાખ | ૮૪ લાખ | નાગ ફેણ | શ્વેત
સુવર્ણકુમાર | વેણુદેવેન્દ્ર વેણુદાલીન્દ્ર ૩૮ લાખ | ૩૪ લાખ | ૭૨ લાખ ગરૂડ | ગૌર શ્વેત ૪ | વિધુતકુમાર | હરિકતેન્દ્ર | હરિસ્મહેન્દ્ર | ૪૦ લાખ | ૩૬ લાખ | ૭૬ લાખ | વજ ||
અગ્નિકુમાર |અગ્નિશિખેન્દ્ર |અગ્નિમાણવેન્દ્ર | ૪૦ લાખ | ૩૬ લાખ | ૭૬ લાખ કળશ રક્ત લીપકુમાર | પર્મેન્દ્ર | વિશિષ્ઠન્દ્ર | ૪૦ લાખ | ૩૬ લાખ | ૭૬ લાખ | સિંહ | રક્ત ઉદધિકુમાર | જલકાતેન્દ્ર જલપ્રત્યેન્દ્ર | | ૪૦ લાખ | ૩૬ લાખ ૭૬ લાખ અશ્વ, દિશાકુમાર | અમિતેન્દ્ર | અમિતવાહનેન્દ્ર | ૪૦ લાખ | ૩૬ લાખ ૭૬ લાખ હાથી ગૌર શ્વેત
વાયુકુમાર | વલંબેન્દ્ર | પ્રભંજનેન્દ્ર | ૫૦ લાખ | ૪૬ લાખ | | ૯૬ લાખ | મગર |નીલ (કુ) | ૧૦ | સ્વનિતકુમાર | ઘોષેન્દ્ર | મહાઘોષેન્દ્ર | ૪૦ લાખ | ૩૬ લાખ | ૭૬ લાખ | સરાવલું | ગૌર | શ્વેત
૭િ,૭૨ લાખ * ભવનપતિ દેવોના પ્રત્યેક ઇન્દ્રને ૩૩ ત્રાયન્ટિંશક દેવો, ૪ લોકપાલ દેવો, સપરિવાર ૫ અગ્રમહિષીઓ, ૩ પરિષદ, ૭ સેના, ૭ સેનાધિપતિઓ હોય છે. * ઉત્તર-દક્ષિણના અસુરકુમારેન્દ્રને ક્રમશઃ ૬૦ હજાર અને ૬૪ હજાર સામાનિક દેવો અને તેનાથી ચાર ગુણા આત્મરક્ષક દેવો હોય છે. શેષ નવનિકાયના દેવેન્દ્રોને એકસરખા છ-છ હજાર સામાનિક દેવો અને તેનાથી ચાર ગુણા આત્મરક્ષક દેવો હોય છે. * આ ભવનોમાં નાનામાં નાના જંબુદ્વીપ જેવડા ૧ લાખ યોજનાના અને મોટા અસંખ્યાત યોજનના હોય છે. * ભવનો અંદરથી ગોળ, બહારથી ચોરસ, નીચે કમળ કર્ણિકાના આકારે છે કે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના બે આંતરા છોડીને દસ આંતરામાં દસે ભવનપતિ દેવોના સ્થાન છે.
૧ વર્ણ
નીલ
રક્ત
નીલ
શ્વેત
નીલ
Tયાત ફિ.) | ૨ક્ત