SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૮ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર એક દિવસના અંતરે આહારની ઇચ્છા થાય છે. તે જીવોના સંઘયણ સંસ્થાન આદિ સર્વ અંતરદ્વીપના મનુષ્યોની સમાન જાણવા તે મનુષ્યો યુગલિક જ હોય છે, તેથી તેના જીવન વ્યવહારનું સંપૂર્ણ વર્ણન અંતરદ્વીપના મનુષ્યોની જેમ જાણવું. અકર્મભૂમિના યુગલિકો મૃત્યુ પામીને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોક સુધીના કોઈ પણ જાતિના દેવ-દેવી રૂપે જન્મ ધારણ કરે છે. કર્મભૂમિના મનુષ્યો - |७४ से किं तं कम्मभूमगा? कम्मभूमगा पण्णरसविहा पण्णत्ता,तं जहा-पंचहिं भरहेहिं, पंचहिं एरवएहि,पंचहिं महाविदेहेहिं । तेसमासओ दुविहा पण्णत्ता,तंजहाआरिया, मिलेच्छा । एवं जहा पण्णवणापदे जावसेतं आरिया । सेतंगब्भवक्कतिया। सेतं मणुस्सा। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! કર્મભૂમિના મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કર્મભૂમિના મનુષ્યોના પંદર પ્રકાર છે– પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહના મનુષ્યો. તેના સંક્ષેપથી બે પ્રકાર છે- આર્ય અને સ્વેચ્છ. આ રીતે સર્વ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું જોઈએ યાવતુ આ આર્યોનું કથન થયું, આ ગર્ભજ મનુષ્યોનું કથન થયું અને આ મનુષ્યોનું કથન પણ સંપૂર્ણ થયું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં કર્મભૂમિના મનુષ્યોનું અતિદેશાત્મક નિરૂપણ છે. કર્મભૂમિ - જે ક્ષેત્રમાં અસિ, મસિ અને કૃષિ, આ ત્રણ પ્રકારના કર્મથી જીવન વ્યવહાર થાય તેને કર્મભૂમિ કહે છે. ત્યાં જન્મેલા મનુષ્યોને કર્મભૂમિજ મનુષ્યો કહે છે. કર્મભૂમિની સંખ્યા અને સ્થાન – કર્મભૂમિના ૧૫ ક્ષેત્ર છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર. તેમાંથી એક-એક ભરતાદિ ક્ષેત્રો જંબુદ્વીપમાં, બે-બે ભરતાદિ ક્ષેત્રો ધાતકીખંડ દ્વીપમાં અને બે-બે ભરતાદિ ક્ષેત્રો પુષ્કરાદ્ધ દ્વીપમાં હોય છે. ૩+૪=૧૫ કર્મભૂમિના ક્ષેત્રો છે. કર્મભૂમિના મનુષ્યોના અવગાહના આયુષ્યાદિ - પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીકાલ વર્તે છે. તેમાં છ આરાનું પરિવર્તન થયા જ કરે છે, તેથી તે-તે કાલાનુસાર ત્યાંના મનુષ્યોની અવગાહના, આયુષ્ય, સંઘયણ, સંસ્થાન આદિ સર્વ ભાવો પરિવર્તન પામતા રહે છે. - પાંચ મહાવિદેહક્ષેત્રમાં અવસ્થિત કાલ છે. ત્યાં મનુષ્યોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની છે. તે મનુષ્યોનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનું હોય છે. તે મનુષ્યોને છ સંઘયણ અને છ સંસ્થાન હોય છે. કર્મભૂમિના મનુષ્યોના બે પ્રકાર છે– આર્ય અને સ્વેચ્છ. જે મનુષ્યોને હેય, ઉપાદેયનો વિવેક હોય તેને આર્ય અને જેને આ પ્રકારનો વિવેક ન હોય તેને અનાર્ય અથવા સ્લેચ્છ કહે છે. તેનું વિસ્તૃત વર્ણન શ્રી પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું. II મનુષ્યાધિકાર સંપૂર્ણ II
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy