SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૨ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર वट्टे वलयागारसंठाणसंठिए जावजे णं इमीसे रयणप्पभाए पुढवीए घणवायवलयं सव्वओ समता संपरिक्खित्ताणं चिट्ठइ । एवं जाव अहेसत्तमाए तणुवायवलए । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના તનુવાત વલયનો આકાર કેવો છે? ઉત્તરગૌતમ! ગોળ અને વલયાકાર છે. તે ઘનવાત વલયને ચારેય બાજુથી ઘેરીને રહેલો છે. આ રીતે સપ્તમ પૃથ્વી સુધીના તનુવાત વલયનો આકાર જાણવો જોઈએ. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વી અને અલોકની વચ્ચે આવેલા ઘનોદધિ આદિ વલયોનું પ્રમાણ અને આકારાદિનું વર્ણન છે. પ્રત્યેક નરક પૃથ્વી અને અલોકની વચ્ચે ઘનોદધિ, ઘનવાત અને તનુવાત વલય છે. પ્રત્યેક નરકપૃથ્વીની ચારેબાજુ (ચારેય દિશા-વિદિશામાં) ઘનોદધિ આદિ વીંટળાઈને રહ્યા છે, તે ઘનોદધિ આદિની મધ્યમાં નરકનો પૃથ્વીપિંડ છે. આ રીતે ઘનોદધિ વગેરે વલયાકારે હોવાથી તે ઘનોદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય કહેવાય છે. આ વલયોની ઉંચાઈ પોતપોતાની પૃથ્વીની જાડાઈ પ્રમાણે છે અને તેની જાડાઈ ભિન્ન-ભિન્ન છે, જે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિની જાડાઈ છ યોજન, ઘનવાતની જાડાઈ સાડા ચાર યોજન અને તનુવાતની જાડાઈ છ ગાઉ અર્થાત્ દોઢ યોજન છે. - નરક પુથ્વીઓના ઘનોદધિ આદિવલયોની જાડાઈની વૃદ્ધિનું પ્રમાણ આ પ્રમાણે છે–પ્રત્યેક ઘનોદધિ વલયની જાડાઈમાં યોજનાનો ત્રીજો ભાગ ઉમેરવાથી, ઘનવાત વલયની જાડાઈમાં એક ગાઉ ઉમેરવાથી અને તનુવાત વલયની જાડાઈમાં ગાઉનો ત્રીજો ભાગ ઉમેરવાથી આગળ-આગળના વલયોની જાડાઈનું માપ પ્રાપ્ત થાય છે. સૂત્રમાં ઘનોદધિની વૃદ્ધિમાં યોજનથી, ઘનવાત-તનુવાત વલયની વૃદ્ધિમાં ગાઉથી કથન છે. તે પ્રત્યેક વલયોની વૃદ્ધિનું પ્રમાણ કોષ્ટકમાં સ્પષ્ટ કર્યું છે. નરકના ઘનોદધિ આદિ વલયોની પહોળાઈ અને અલોકન અંતર :નરક | ઘનોદધિ ઘનવાત તનુવાત ત્રણે ય વલયોની કલા પહોળાઈ અને વલય વલય વલય અલોકનું અંતર ૧ | યોજન| +| ૪ યોજન | +| ૧ક્યોજન = ૧૨ યોજના ૨ | યોજન | +| ૪ ફૂ યોજન| +| ૧+ યોજન =| ૧૨૩ યોજના -– – – ૩ | યોજન | | પ યોજન | +|૧+ યોજન| = ૧૩; યોજન ૪ | ૭ યોજન [+પ યોજન| +| ૧૨ યોજન | ૧૪ યોજના ૫ | ૭૩ યોજન| +[ પ યોજન | +|૧+ ૧ યોજન =| ૧૪૩ યોજના ૬ | ૭૩ યોજન| +| પર્ યોજન| +]૧ યોજન| = ૧૫૩ યોજના ૭ | ૮ યોજન | +| યોજન | +]૨ યોજન = ૧૬ યોજન E | | | | |
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy