________________
| પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૧ .
[ ૧૯૭] |२९ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए रयणकंडे किंसंठिए पण्णत्ते ? गोयमा ! झल्लरिसठिए पण्णत्ते । एवं जावरि? । एवं पंकबहुले वि एवं आवबहुले वि, धणोदही वि, घणवाए वि, तणुवाए ओवासंतरे वि । सव्वे झल्लरिसंठिए पण्णत्ते। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડનો આકાર કેવો છે? ઉત્તર- હે ગૌતમ! ખંજરીના આકાર જેવો છે. આ જ રીતે રિણકાંડ સુધી કહેવું જોઈએ. આ જ રીતે પંકબહુલકાંડ, અબહુલકાંડ, ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશાંતરનો આકાર પણ ઝાલરના આકાર જેવો છે. | ३० सक्करप्पभा णं भंते ! पुढवी किं संठिया पण्णत्ता? गोयमा !झल्लरि संठिए પત્તા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીનો આકાર કેવો છે? ઉત્તર-હે ગૌતમ! ઝાલરના આકાર જેવો છે. | ३१ सक्करप्पभाएणंभते !पुढवीएघणोदही किंसैठिएपण्णत्ते?गोयमा !झल्लरिसंठिए पण्णत्ते। एवं जावओवासंतरे,जहासक्करप्पभाएवत्तव्वयातहेव जावअहेसत्तमाएवि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના ઘનોદધિનો આકાર કેવો છે? ઉત્તર- હે ગૌતમ! ખંજરીના આકારનો છે. આ રીતે શર્કરાપ્રભાના અવકાશાન્તર સુધી કહેવું જોઈએ. શર્કરા પ્રભાની વક્તવ્યતા અનુસાર શેષ પૃથ્વીઓની અર્થાત્ સાતમી પૃથ્વી સુધીની વક્તવ્યતા જાણવી જોઈએ. વિવેચન : - નરકમૃથ્વી ઓનું સંસ્થાના પ્રસ્તુત સૂત્રમાં નરક પૃથ્વીના
નરકે પૃથ્વીનો ઝલરી આકાર સંસ્થાનનું કથન છે. રત્નપ્રભા આદિ નરક પૃથ્વીનો આકાર ફી -ખંજરી જેવો ગોળાકાર છે અર્થાત્ જાડાઈ અલ્પ અને લંબાઈ-પહોળાઈ અધિક છે. તેના આધારભૂત ઘનોદધિ ઘનવાત આદિ દ્રવ્યો પણ તે જ આકારે સંસ્થિત છે. નરક પૃથ્વીઓનું અલોકથી અંતર:| ३२ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए पुरथिमिल्लाओ चरिमंताओ केवइयं
अबाहाए लोयते पण्णत्ते? गोयमा ! दुवालसहि जोयणेहिं अबाहाए लोयते पण्णत्ते, ए वंदाहिणिल्लाओ, पच्चत्थिमिल्लाओ, उत्तरिल्लाओ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશાના ચરમાંતથી લોકાંત કેટલો દૂર છે? ઉત્તર- હે ગૌતમ! બાર યોજન દૂર લોકત છે. આ જ રીતે દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશાના ચરમાંતથી બાર યોજન દૂર લોકાંત છે. | ३३ सक्करप्पभाए पुढवीए णं भंते ! पुरथिमिल्लाओ चरिमंताओ केवइयं अबाहाए लोयते पण्णत्ते? गोयमा !तिभागूणेहिं तेरसहिं जोयणेहिं अबाहाए लोयंते पण्णत्ते । एवं चउद्दिसिं वि।